CAA-NRC: આજે રાજઘાટ પર કોંગ્રેસના ધરણા, પ્રિયંકા ગાંધી સંભાળશે કમાન
CAA અને એનઆરસીના વિરોધમાં કોંગ્રેસ સતત વિરોધ પ્રદર્શન કરી રહી છે. પ્રિયંકા ગાંધી સતત સક્રિયતા અને હસ્તક્ષેપ બાદ જ આજે કોંગ્રેસ પાર્ટી રાજઘાટ પર ધરણા પર બેસશે.
CAA અને એનઆરસીના વિરોધમાં કોંગ્રેસ સતત વિરોધ પ્રદર્શન કરી રહી છે. હવે ભાજપના વિરોધાની કમાન પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ સંભાળી છે. આ મુદ્દે પ્રિયંકા ગાંધી સતત સક્રિયતા અને હસ્તક્ષેપ બાદ જ આજે કોંગ્રેસ પાર્ટી રાજઘાટ પર ધરણા પર બેસશે. તમને જણાવી દઈએ કે પહેલા આ કાર્યક્રમ 28 ડિસેમ્બરે થવાનો હતો પરંતુ પ્રિયંકા ગાંધીના કારણે આજે આ ધરણા થશે. નક્કી કાર્યક્રમ મુજબ કોંગ્રેસ આજે બપોરે 3 વાગ્યાથી રાતે 8 વાગ્યા સુધી શાંતિપૂર્ણ સાંકેતિક ધરણા પર બેસશે. જેમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના બધા દિગ્ગજોશામેલ થવાની આશા છે.

પ્રિયંકા ગાંધીએ સંભાળી કમાન
વળી, આજે કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી અને અન્ય જગ્યાઓ પર રાજ્ય અધ્યક્ષોની આગેવાનીમાં ધરણા પ્રદર્શન કરવામાં આવશે. રાજસ્થાનમાં આની કમાન મુખ્યમંત્રી અશોક ગેહલોતે પોતાના હાથમાં લીધી છે.

જનતાનો અવાજ દબાવવાની કોશિશ થઈ રહીઃ કોંગ્રેસ
સીએએ અને એનઆરસીના વિરોધમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શન દરમિયાન પ્રદર્શનકારીઓ પર પોલિસની કાર્યવાહી પર પ્રિયંકા ગાંધીએ નિવેદન જારી કરીને કહ્યુ કે જનતાનો અવાજ દબાવવા માટે દેશમાં તાનાશાહીનુ તાંડવ થઈ રહ્યુ છે. એનઆરસી અને નાગરિકતા સુધારા કાયદો દેશની ગરીબ જનતા સામે છે, પ્રિયંકાએ છાત્રો, બુદ્ધિજીવીઓ, સામાજિક કાર્યકર્તાઓ, વકીલો અને પત્રકારોની ધરપકડની નિંદા કરી છે.

નાગરિકતા સુધારા એક્ટનો થઈ રહ્યો છે વિરોધ
તમને જણાવી દઈએ કે નાગરિકતા સુધારા એક્ટ, 2019ને હાલમાં જ સંસદમાં મંજૂરી મળી છે. આ કાયદામાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા હિંદુ, જૈન, સિખ, બૌદ્ધ, પારસી અને ઈસાઈ સમાજના શરણાર્થઈઓને નાગરિકતાનો પ્રસ્તાવ છે. કોંગ્રેસ સહિત મોટાભાગના વિપક્ષી દળો અને ઘણા સામાજિક સંગઠન આ બિલનો વિરોધ કરી રહ્યા છે. વિરોધ કરી રહેલા લોકોનુ કહેવુ છે કે ધર્મના આધારે કાયદો બનાવવો ભારતના બંધારણ પર હુમલો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
