‘1984 શીખ હુલ્લડ માટે રાહુલ ગાંધી જવાબદાર નથી': પી ચિદમ્બરમ
થોડા દિવસો પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ 1984 શીખ વિરોધી હુલ્લડો પર આપેલા નિવેદનો બાદ હવે પૂર્વ કેન્દ્રીય નાણાંમંત્રી અને કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમ તેમના બચાવમાં ઉતરી આવ્યા છે.
થોડા દિવસો પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ 1984 શીખ વિરોધી હુલ્લડો પર આપેલા નિવેદનો બાદ હવે પૂર્વ કેન્દ્રીય નાણાંમંત્રી અને કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમ તેમના બચાવમાં ઉતરી આવ્યા છે. ચિદમ્બરમે કહ્યુ કે આના માટે રાહુલ ગાંધીને જવાબદાર ગણી શકાય નહિ. કારણકે તે સમયે તેમની ઉંમર માત્ર 13 કે 14 વર્ષ હશે. શીખ હુલ્લડો અંગે પી ચિદમ્બરમે કહ્યુ કે 1984 માં કોંગ્રેસ સત્તામાં હતી, ત્યારે ખૂબ જ દુઃખદ ઘટના બની અને ડૉ. મનમોહન સિંહે આના માટે સંસદમાં માફી પણ માંગી હતી.

તે એક ટ્રેજેડી હતી અને દુઃખદ હતી
તેમણે કહ્યુ કે કોઈને દોષમુક્ત જાહેર કર્યા નથી. તમને જણાવી દઈએ કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે કહ્યુ કે 1984 શીખ હુલ્લડમાં તેમનો પક્ષ શામેલ નહોતો. યુકેમાં સંસદમાં 1984 માં કરાયેલા એક સવાલ બાદ રાહુલ ગાંધીએ કહ્યુ છે કે મારા મગજમાં આ અંગે કોઈ શંકા નથી કે તે એક ટ્રેજેડી હતી અને દુઃખદ હતી. તમે કહી રહ્યા છો કે હુલ્લડમાં કોંગ્રેસ પક્ષ શામેલ હતો પરંતુ હું તેનાથી સંમત નથી. અચાનક ઘટના થાય છે અને ટ્રેજેડીમાં બદલાઈ જાય છે. આ સાથે રાહુલ ગાંધીએ બીજા પણ ઘણા મુદ્દાઓ કરાયેલા સવાલોના જવાબ આપ્યા.
રાહુલના નિવેદન પર ભાજપે સાધ્યુ નિશાન
લંડનની સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં ઈન્ટરએક્ટિવ સેશન બાદ રાહુલ ગાંધીને ફરીથી એક વાર શીખ હુલ્લડો બાદ મનમોહન સિંહે કરેલા નિવેદન અંગે સવાલ કરવામાં આવ્યા. જેના પર રાહુલ ગાંધીએ જવાબ આપતા કહ્યુ કે હું હિંસાનો શિકાર છુ અને હું સમજી શકુ છુ કે હું શું અનુભવુ છુ. તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ લંડનમાં આપેલી સ્પીચ પર ભાજપે નિશાન સાધ્યુ હતુ. ભાજપે કહ્યુ હતુ કે રાહુલ ગાંધી વિદેશમાં જઈને ભારતને નીચુ બતાવી રહ્યા છે. એટલા માટે તેમણે પોતાના નિવેદન પર દેશની જનતાની માફી માંગવી જોઈએ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
