દિગ્વિજય સિંહના ગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદનું અનામત અંગે મોટુ નિવેદન
પોતાના નિવેદનો માટે હંમેશા સમાચારોમાં છવાયેલા રહેતા દ્વારકા શારદાપીઠ અને જ્યોતિપીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ હવે અનામત સામે પણ મોરચો ખોલ્યો છે.
પોતાના નિવેદનો માટે હંમેશા સમાચારોમાં છવાયેલા રહેતા દ્વારકા શારદાપીઠ અને જ્યોતિપીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ હવે અનામત સામે પણ મોરચો ખોલ્યો છે. અનુસૂચિત જાતિ-જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયન સામે બોલ્યા બાદ હવે શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ અનામતને સંપૂર્ણપણે ખતમ કરવાની માંગ કરી છે. તેમણે કહ્યુ કે તેના બદલે સમાજના દરેક વર્ગને પ્રગતિની સમાન તક આપીને સમાજ સેવાને યોગ્ય બનાવવા જોઈએ. તેનાથી જ સહુની ભલાઈ થશે.

વિશેષ સુવિધા મળે તેને કોણ હેરાન કરે
શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ જારી કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે જે લોકોને શિક્ષણ, નોકરી, પ્રમોશનમાં અનામતની વિશેષ સુવિધા મળે છે તેમને કોણ હેરાન કરી શકે? શંકરાચાર્યએ સવાલ કર્યો છે કે જ્યારે લોકો અનામતનો લાભ લઈને મોટા મોટા પદો પર બેઠા છે તો શું તેમને હેરાન કરવા કોઈના માટે સંભવ છે? તેમના પર કોઈ કેવી રીતે અત્યાચાર કરી શકે છે?
બધાના કલ્યાણનું વિચારે નેતાઓ
શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદના જણાવ્યા મુજબ આપણા નેતાઓએ દરેક વ્યક્તિ અને વર્ગના કલ્યાણ માટે વિચારવુ જોઈએ. નેતાઓએ માત્ર કોઈ વર્ગ વિશેષ તરફ ધ્યાન ન આપવુ જોઈએ. શંકરાચાર્યએ પોતાના નિવેદનમાં કહ્યુ છે કે અનામત સંપૂર્ણપણે સમાપ્ત થવુ જોઈએ અને સહુને પ્રગતિની સમાન તક આપીને સમાજ સેવા માટે યોગ્ય બનાવવા જોઈએ. તેમણે આગળ કહ્યુ કે જો કોઈ યોગ્યતા વિના અનામતના આધારે ડૉક્ટર બનશે તો તે પેટમાં કાતર જ છોડશે અને જો પ્રોફેસર બનાવીશુ તો તે ભણાવશે નહિ અને એન્જિનિયર બનાવીશુ તો પુલ પડાવશે. શંકરાચાર્યએ કહ્યુ છે કે તેમણે પણ યોગ્ય બનવા દો. તેમને પ્રતિસ્પર્ધામાં આગળ આવવા દો. ત્યારે જ તેમની પ્રગતિ થશે, તેમને માત્ર બેંક બનાવીને રાખવી તેમના પ્રત્યે અત્યાચાર કરવો થશે.
એસસી-એસટી એક્ટનો વિરોધ
કેન્દ્ર સરકાર દ્વારા એસસી-એસટી એક્ટમાં કરાયેલ સુધારાનો પણ શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ ગયા શુક્રવારે વિરોધ કર્યો હતો. શંકરાચાર્યએ કેન્દ્રની ભાજપ સરકારને હિંદુ વિરોધી સુધી ગણાવી દીધી. તેમણે કહ્યુ હતુ કે આ રીતે સુધારા રૂપમાં લાવેલો એસસી-એસટી એક્ટ ભારતીય સમાજ માટે વિઘટનનું કારણ બનશે. તેમણે કહ્યુ હતુ કે આ કાયદાથી જાતિગત ભેદભાવ વધશે અને સમાજ પાછળ ધકેલાઈ જશે. સમાજ જો પાછળ ધકેલાશે તો દેશ પણ આગળ નહિ વધી શકે. તમને જણાવી દઈએ કે શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ પોતાના ધાર્મિક ગુરુ માને છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
