નારાજ ગિરિરાજ સિંહ ટિકીટ પરત આપશે!
નવી દિલ્હી, 14 માર્ચ: ભારતીય જનતા પાર્ટીમાં ટિકીટ વહેચણીને લઇને ધમાસાણ મચેલ છે. ભાજપના નેતાઓએ પાર્ટી હાઇકમાંડ પર રાજ્યના નેતાઓની ભલામણને નજરઅંદાજ કરવાનો આરોપ લગાવ્યો છે. ગિરિરાજ સિંહે ખુલીને પોતાની નારાજગી વ્યક્ત કરતાં પોતાની ટિકીટ પરત આપી શકે છે. તેમને બિહારના બેગૂસરાયના બદલે નવાદાથી ટિકીટ આપવામાં આવતાં તેમણે નારાજગી વ્યક્ત કરી છે.
ભાજપે ભારે માથાકૂટ બાદ 75 ઉમેદવારોની યાદી જાહેર કરી દિધી છે, પરંતુ વિવાદને અટકાવી શકાયો નથી. પહેલાંથી જ તઘલખી વલણમાં દેખાઇ રહ્યાં હતા. ગિરિરાજને આ વાત પસંદ ન આવી કે તેમને બેગૂસરાયના બદલે નવાદાથી ટિકીટ આપવામાં આવી.
નવાદાથી ભાજપના ઉમેદવાર બનાવવામાં આવતાં ગિરિરાજ સિંહે કહ્યું હતું કે તે નારાજા છે, કારણ કે તેમની સીટના બદલતાં પહેલાં કોઇપણ જાતની ચર્ચા કરવામાં આવી ન હતી. તેમને વિશ્વાસમાં લેવામાં આવ્યા ન હતા.

ભાજપે સારણથી રાબડી દેવી વિરૂદ્ધ રાજીવ પ્રતાપ રૂડીને ટિકીટ આપી છે. ગિરિરાજ સિંહને નવાદાથી શાહનવાઝ હુસૈનને ભાગલપુરથી ભાજપે ટિકીટ આપી છે. આ ઉપરાંત કીર્તિ આઝાદને દરભંગાથી ટિકીટ મળી છે. બિહારમાં ભાજપે હજુ સુધી વધુ આઠ સીટો પર ઉમેદવારો જાહેર કરવાના છે.
ચાલીસમાં સાત સીટ ભાજપે એલજેપીને આપી દિધી છે. બિહારમાં જેડીયૂ છોડનારા ભાજપની મહેરબાની, સાંસદ સુશીલ સિંહને ઔરંગાબાદથી અને વિજય કુમાર કુશવાહાને મધેપુરાથી ટિકીટ આપી છે.
હવે વિરોધ અને નારાજના આ વચનોથી ફક્ત ભાજપને જ નહી, પરંતુ મોદીના મિશન 272ને પણ ઝટકો લાગી શકે છે. તેને પુરું કરવા માટે બિહારમાં ભાજપનું પ્રદર્શન સારું હોય એમ એકદમ જરૂરી માનવામાં આવે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
