કેપ્ટન અમરિંદર સિંહને મળવા પહોંચ્યા સીએમ ચન્ની, અટકળો શરૂ!
પંજાબમાં ગુરુવારે ફરી એકવાર રાજકીય ઉછલપાથલ જોવા મળી. પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ મોહાલીના સિસ્વાનમાં કેપ્ટન અમરિંદર સિંહના ફાર્મ હાઉસે મુલાકાતે પહોંચ્યા છે.
મોહાલી, 14 ઓક્ટોબર : પંજાબમાં ગુરુવારે ફરી એકવાર રાજકીય ઉછલપાથલ જોવા મળી. પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ મોહાલીના સિસ્વાનમાં કેપ્ટન અમરિંદર સિંહના ફાર્મ હાઉસે મુલાકાતે પહોંચ્યા છે. મુખ્યમંત્રી બન્યા બાદ કેપ્ટન સાથે ચન્નીની આ પ્રથમ મુલાકાત છે. સીએમ ચરણજીત સિંહ ચન્ની સાથે તેમના પુત્ર અને પુત્રવધૂ પણ ગયા છે. કેપ્ટન અમરિંદર સિંહે ચન્નીના શપથ ગ્રહણ કાર્યક્રમ અને પુત્રના લગ્નથી અંતર રાખ્યું હતું, પરંતુ અચાનક આ બેઠકથી પંજાબમાં ફરી અટકળોનો રાઉન્ડ શરૂ થયો છે.

કેપ્ટન અમરિંદર સિંહ અને ચરણજીત સિંહ ચન્નીની બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે નવજોત સિંહ સિદ્ધુ ગુરુવારે દિલ્હીમાં હાઈકમાન્ડ સમક્ષ હાજર થશે, જ્યારે તેના પહેલા જ ચન્ની અને કેપ્ટનની બેઠકના સમાચારે રાજકીય તાપમાન વધાર્યુ છે. મુખ્યમંત્રી પદ ગુમાવ્યા બાદ અમરિંદર સિંહ સતત સિદ્ધુ અને કોંગ્રેસ વિરુદ્ધ નિવેદનો આપી રહ્યા છે. તાજેતરમાં અમરિંદર સિંહે BSF ને સશક્ત બનાવવાના કેન્દ્રના પગલાને ટેકો આપ્યો હતો.
જણાવી દઈએ કે, કેન્દ્ર સરકારે હવે પંજાબમાં આંતરરાષ્ટ્રીય સરહદથી 50 કિલોમીટર અંદર સુધી બીએસએફને તપાસ અને ધરપકડ કરવાની સત્તા આપી છે. અગાઉ આ રેન્જ 15 કિમી સુધી મર્યાદિત હતી. હવે તેને 15 થી 50 કિમી સુધી વધાર્યા બાદ પંજાબમાં રાજકીય ગરમાવો શરૂ થયો છે. તાજેતરમાં સીએમ બનેલા ચરણજીત સિંહ ચન્નીએ કેન્દ્ર પાસેથી નિર્ણય તાત્કાલિક પાછો ખેંચવાની માંગ કરી હતી, જ્યારે પૂર્વ સીએમ કેપ્ટન અમરિંદરે કેન્દ્રના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે.
મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ કેપ્ટન અમરિંદર સિંહે અનેક પ્રસંગોએ સીએમ ચન્નીની પ્રશંસા કરી છે. કેપ્ટને ચન્નીને એક ઉત્તમ અને ભણેલા ગણેલા મંત્રી ગણાવ્યા હતા. જો કે આ સમય દરમિયાન તેને કહ્યું હતું કે ચન્નીને ગૃહ બાબતોની ઓછી સમજ છે. જો કે, હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે સીએમ ચન્ની અને અમરિંદર સિંહ કયા મુદ્દે મળ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
