યૌન શોષણ મામલે પહેલી વાર તપાસ સમિતિ સામે હાજર થયા જસ્ટીસ રંજન ગોગોઈ
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટીસ રંજન ગોગોઈ સામે યૌન શોષણનો આરોપ લગાવનાર મહિલાએ તપાસ પ્રક્રિયામાં શામેલ થવાનો ઈનકાર કરી દીધા બાદ જસ્ટીસ સમિતિ સામે હાજર થયા.
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટીસ રંજન ગોગોઈ સામે યૌન શોષણનો આરોપ લગાવનાર મહિલાએ જસ્ટીસ ગોગોઈ સામે ચાલી રહેલ તપાસ પ્રક્રિયામાં શામેલ થવાનો ઈનકાર કરી દીધો છે. મહિલાના આ નિર્ણય બાદ જસ્ટીસ ગોગોઈ તપાસ પેનલ સામે હાજર થયા. ત્રણ જજોની પેનલ આ સમગ્ર કેસની તપાસ કરી રહ્યા છે. તેમણે નિર્ણય લીધો છે કે આરોપ લગાવનાર મહિલાના તપાસ પ્રક્રિયામાં શામેલ ન હોવા છતાં પણ આ તપાસ પ્રક્રિયા ચાલુ રહેશે. જો કે આ પેનલમાં હાજર થયા બાદ જસ્ટીસ ગોગોઈની શું પૂછપરછ કરવામાં આવી છે તેની માહિતી હજુ સુધી સામે આવી નથી.

પહેલી વાર હાજર થયા સીજેઆઈ
માહિતી અનુસાર જસ્ટીસ ગોગોઈને મંગળવારે પત્ર મોકલવામાં આવ્યો હતો જેમાં તેમના અપીલ કરવામાં આવી હતી કે તે તપાસ સમિતિ સામે હાજર થાય. આ પહેલી વાર છે જ્યારે તેમણે પોતાના ઉપર લાગેલા યૌન શોષણના આરોપો બાદ જસ્ટીસ ગોગોઈ તપાસ સમિતિ સામે હાજર થયા છે. તમને જણાવી દઈએ કે ત્રણ જજોની આ સમિતિમાં જસ્ટીસ એસ એ બોબડે, ઈન્દિરા બેનર્જી, ઈન્દુ મલ્હોત્રા શામેલ છે. આ પહેલા મંગળવારે જસ્ટીસ ગોગોઈ સામે યૌન શોષણનો આરોપ લગાવનાર મહિલાએ તપાસ પ્રક્રિયામાં શામેલ થવાનો ઈનકાર કરી દીધો હતો.
મહિલાએ તપાસમાં શામેલ થવાનો કર્યો ઈનકાર
તમને જણાવી દઈએ કે 30 એપ્રિલના રોજ મહિલા પોતાના લિખિત પત્ર સાથે સમિતિ સામે પહોંચી અને તેણે જણાવ્યુ હતુ કે છેવટે તેણે યૌન શોષણની ફરિયાદ સાત મહિના બાદ કેમ કરી. મહિલાનું કહેવુ છે કે વકીલ વિના સમિતિની અંદર મને મારો પક્ષ રાખવાનું માનસિક પીડા આપી રહ્યુ હતુ. મહિલાએ નિવેદન જાહેર કરીને કહ્યુ કે તે હવે સમિતિની સુનાવણીમાં ભાગ નહિ લે.
નિયમોનું પાલન નથી થઈ રહ્યુ
પીડિતાનું કહેવુ છે કે ત્રણ જજોની પેનલ વિસાખા ગાઈડલાઈન અનુસાર નક્કી નિયમોનું પાલન નથી કરી રહ્યા. સમિતિની અંદરનું વાતાવરણ ઘણુ ડરામણુ છે, હું ઘણી ડરી ગયેલી હતી કારણકે મને સુપ્રીમ કોર્ટના જજ સવાલ પૂછી રહ્યા હતા અને તે પણ મારા વકીલની ગેરહાજરીમાં, મારી મદદ માટે ત્યાં કોઈ પણ નહોતુ. મહિલાએ એ પણ દાવો કર્યો કે સમિતિ એ વાતનો સ્વીકાર કરવા તૈયાર નથી કે મે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સામે ફરિયાદ નોંધાવી છે. મને એ વાતની આશા હતી કે સમિતિનું વલણ મારા પ્રત્યે સંવેદનશીલ હશે અને જેની મદદથી હું પોતાની આપવીતી તેમની સામે કહી શકીશ. પરંતુ સમિતિનું વલણ એવુ નથી જેનાથી મનેડર ન લાગે, ગભરામણ ન થાય કે મને શોક ન લાગે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
