દિલ્હીમાં ભડકાઉ ભાષણ આપનાર ત્રણેય નેતાઓ પર ભાજપ એક્શન લેઃ ચિરાગ પાસવાન
દિલ્હીમાં ભડકાઉ ભાષણ આપનાર ત્રણેય નેતાઓ પર ભાજપ એક્શન લેઃ ચિરાગ પાસવાન
નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીના ઉત્તર-પૂર્વી વિસ્તારમાં ભડકેલી હિંસામાં અત્યાર સુધી 38 લોકોના જીવ ચાલ્યા ગયા છે, જ્યારે હિંસાની અલગ અલગ ઘટનાઓમાં 250 લોકો ઘાયલ થયા છે. હિંસાની આ ઘટના બાદ રાજકીય ગરમાવો ચાલુ છે અને વિપક્ષી દળ ભાજપના ત્રણેય નેતા કપિલ મિશ્રા, અનુરાગ ઠાકર અને પ્રવેશ વર્મા પર ભડકાઉ ભાષણ આપવા અને હિંસા ભડકાવવાનો આરોપ લગાવી રહ્યા છે. જ્યારે હવે એનડીએના સહયોગી દળ એલજેપીએ પણ આ ત્રણેય નેતાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે.

ચિરાગ પાસવાને કાર્યવાહી કરવાની માંગ કરી
ચિરાગ પાસવાને દિલ્હી હિંસા પર નિવેદન આપતા કહ્યું, ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ દિલ્હીમાં હિંસા ભડકાવવાના દોષી ભાજપના નેતાઓ કપિલ મિશ્રા, પ્રવેશ વર્મા અને અનુરાગ ઠાકુર વિરુદ્ધ આકરી કાર્યવાહી કરે. તેમની વિરુદ્ધ પ્રશાસનિક કાર્યવારી પણ થવી જોઈએ. જણાવી દઈએ કે સોમવારે ઉત્તર પૂર્વી દિલ્હીના ખજૂરી, ચાંદબાગ, મુસ્તફાબાદ, મૌજપુર, બાબરપુર, ઝાફરાબાદ, ગોકુલપુરી અને આસપાસના વિસ્તારોમાં હિંસા ભડકી ઉઠી હતી, જેમાં 38 લોકોના જીવ ચાલ્યા ગયા છે.

તો કદાચ હિંસા ના ફેલાત
ચિરાગ પાસવાને કહ્યું, આ સિલસિલો દિલ્હી વિધાનસભા ચૂંટણી દરમિયાન શરૂ થયો હવે અનુરાગ ઠાકુરે કહ્યું 'ગોળા મારો ગદ્દારોને' જે બાદ ગોળી ચલાવવાની ઘટના અને હિંસા પણ થઈ. હાલમાં જ કપિલ મિશ્રાએ પોલીસ સમક્ષ પ્રદર્શનકારીઓને ધમકી આપી હતી. જો તેમની વિરુદ્ધ તરત કાર્યવાહી કરવામાં આવી હોત તો કદાચ હિંસા ના ફેલાત.

કપિલ મિશ્રાએ શું કહ્યું
જ્યારે હિંસા માટે કથિત રીતે સતત જવાબદાર ઠેરવવામાં આવી રહેલ ભાજપના નેતા કપિલ મિશ્રાએ કહ્યું કે મને આતંકવાદી કહેવામાં આવી રહ્યો છે, મને વિલન કહેવામાં આવી રહ્યો છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ તાહિરના મુદ્દે કંઈ નથી બોલી રહ્યા. મારા ભાષણમાં કંઈપણ ભડકાઉ નહોતું. તેમાં હિંસાની કોઈ વાત નહોતી. જે લોકો દેશને વહેંચવાની વાત કરી રહ્યા છે અથવા જેમની છત પરથી પેટ્રોલ બોમ્બ મળ્યા છે તેમના પર કોઈ સવાલ નથી ઉઠાવતું.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
