સરહદ પર ચીનની ફરી અવળચંડાઈ, LAC પર ભારતીયોને રોક્યા!
ચીન તેની હરકતોથી બાઝ નથી આવી રહ્યું. તે વખતોવખત ભારત વિરુદ્ધ ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓ કરી રહ્યું છે. ફરી એકવાર ચીની સૈનિકોએ LAC નજીક ડેમચોકમાં કેટલાક ભારતીયોને રોક્યા છે.
નવી દિલ્હી : ચીન તેની હરકતોથી બાઝ નથી આવી રહ્યું. તે વખતોવખત ભારત વિરુદ્ધ ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓ કરી રહ્યું છે. ફરી એકવાર ચીની સૈનિકોએ LAC નજીક ડેમચોકમાં કેટલાક ભારતીયોને રોક્યા છે. સૈનિકોએ એમ કહીને વાંધો ઉઠાવ્યો કે આ તેમનો વિસ્તાર છે. આ મામલો 21 ઓગસ્ટનો હોવાનું કહેવાય છે.

21 ઓગસ્ટની ઘટના
એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું કે 21 ઓગસ્ટે ચીની સેનાએ લદ્દાખના ડેમચોકમાં ભારતીય ભરવાડોને રોક્યા હતા. અધિકારીના જણાવ્યા અનુસાર, ચાઈનીઝ પીપલ્સ લિબરેશન આર્મીએ ડેમચોકમાં સીએનએન જંક્શન ખાતે સેડલ પાસ પાસે ભરવાડોની હાજરી સામે વાંધો ઉઠાવ્યો હતો. આ ઘટના બાદ 26 ઓગસ્ટે ભારતીય સેનાના કમાન્ડરો અને ચીની પીએલએ વચ્ચે આ મુદ્દાના ઉકેલ માટે કેટલીક બેઠકો પણ થઈ હતી.

2019માં મોટી બાબલ થઈ હતી
મીડિયા અહેવાલો અનુસાર, 2019 માં પણ આ મુદ્દાને લઈને બંને પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો. અધિકારીએ કહ્યું કે ભરવાડો આ વિસ્તારમાં વારંવાર આવતા રહે છે. પરંતુ આ વખતે જ્યારે ભરવાડો પશુઓ સાથે ગયા ત્યારે ચીનીઓએ વાંધો ઉઠાવ્યો કે તે તેમનો વિસ્તાર છે. એક સંરક્ષણ સૂત્રએ જણાવ્યું કે આ ઘટના પછી બંને સેનાઓ વચ્ચે કોઈ સામ-સામે આવી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્થાનિક સ્તરે કમાન્ડરો વચ્ચે આ મુદ્દાને ઉકેલવા અને એલએસી પર શાંતિ જાળવવા માટે આ નિયમિત બેઠક હતી. એલએસી પર આવી મીટિંગ પ્રોટોકોલ મુજબ થતી રહે છે.

એપ્રિલ 2020 થી પરિસ્થિતિ ગંભીર છે
અન્ય એક અધિકારીએ જણાવ્યું કે ભારત અને ચીન એપ્રિલ 2020 થી આ ક્ષેત્ર પર નજર રાખી રહ્યા છે. 5 જૂન, 2020 ના રોજ ગલવાનની ઘટના બાદ સેક્ટરના કેટલાક વિસ્તારો નો પેટ્રોલિંગ ઝોન બની ગયા છે. ત્યારથી બંને દેશના સૈનિકો આ વિસ્તારમાં ઉભા છે. આ અથડામણમાં 20 ભારતીય સૈનિકો શહીદ થયા હતા, જ્યારે ભારતે ચીનને ઘણું નુકસાન પહોંચાડવાનો દાવો કર્યો હતો.

બંને પક્ષો વચ્ચે 16 રાઉન્ડની વાતચીત થઈ હતી
આ અથડામણ બાદ બંને દેશોએ પૂર્વી લદ્દાખમાં સરહદ પર સૈનિકોની તૈનાતી વધારી દીધી છે. બંને દેશોએ લગભગ 50-50 હજાર સૈનિકો તૈનાત કર્યા છે. જો કે, વાટાઘાટોના ઘણા રાઉન્ડ પછી બંને દેશોએ ગયા વર્ષે પેંગોંગ અને ગોગરામાંથી તેમની સેના પાછી ખેંચી લીધી હતી. બંને દેશો વચ્ચે શાંતિ સ્થાપિત કરવા માટે ઘણી બેઠકો થઈ છે, પરંતુ ચીન LAC પર ભારતને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ભારત અને ચીન વચ્ચે અત્યાર સુધીમાં વરિષ્ઠ કમાન્ડરોની બેઠકના 16 રાઉન્ડ યોજાયા છે. પરંતુ હજુ સુધી બંને પક્ષો સફળતા હાંસલ કરવામાં નિષ્ફળ રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
