ચારધામ યાત્રા પર આવતા શ્રદ્ધાળુઓ પર નહિ હોય કોઈ રોક-ટોક, કરવુ પડશે કોવિડ ગાઈડલાઈનનુ પાલન
રાજ્ય સરકારે મહાકુંભ અને ચારધામ યાત્રામાં આવતા શ્રદ્ધાળુઓને કોરોના ગાઈડલાઈનનુ પાલન કરવાના નિર્દેશ આપ્યા છે.
દહેરાદૂનઃ કોરોના વાયરસ સંક્રમણના કેસ અમુક રાજ્યોમાં જ નહિ પરંતુ દેશભરમાં વધી રહ્યા છે. એવામાં આરોગ્ય વિભાગ સાથે રાજ્ય સરકારની પણ ચિંતા વધી ગઈ છે. વળી, કોવિડ-19 સંક્રમણનુ જોખમ હવે મહાકુંભ અને ચારધામ યાત્રા પર પણ મંડરાઈ રહ્યુ છે. જો કે રાજ્ય સરકારે મહાકુંભ અને ચારધામ યાત્રામાં આવતા શ્રદ્ધાળુઓને કોરોના ગાઈડલાઈનનુ પાલન કરવાના નિર્દેશ આપ્યા છે. સાથે જ કહ્યુ છે કે ચારધામ યાત્રા પર કોઈ રોક ટોક નહિ હોય. જો કે રાજ્યમાં વધતા કોરોના સંક્રમણને જોતા શુક્રવારે મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે ઑનલાઈન બેઠક લીધી જેમાં તેમણે કહ્યુ કે રાજ્યમાં કોરોના સંક્રમણને રોકવા માટે પૂરી કોશિશ કરવામાં આવશે.

બેઠકમાં મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે કહ્યુ કે સંક્રમિત રાજ્યોના શહેરોથી આવનારા લોકો માટે 72 કલાક પહેરલાનો કોરોના રિપોર્ટ અનિવાર્ય કરશે. આના માટે પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. વર્ચ્યુઅલ બેઠક દરમિયાન સીએમ તીરથે કહ્યુ કે ચારધામ યાત્રા પર કોઈ રોક-ટોક નહિ રહે. યાત્રા ચાલતી રહેશે. એ વાત સાચી છે કે દેશના વિવિધ ભાગોમાં કોરોનાનુ સંક્રમણ ફેલાઈ રહ્યુ છે. ઉત્તરાખંડમાં હાલમાં લૉકડાઉન નહિ થાય પરંતુ લોકોને સાર્વજનિક સ્થળોએ સોશિયલ ડિસ્ટંસીંગ, માસ્ક પહેરવા તેમજ વારંવાર સેનિટાઈઝ લગાવવાનુ પાલન કરવુ પડશે.
સીએમ તીરથ સિંહ રાવતે કહ્યુ કે મહાકુંભ અને ચારધામ યાત્રામાં આવતા શ્રદ્ધાળુઓ માટે કેન્દ્ર સરકાર તરફથી જાહેર થયેલી ગાઈડલાઈનનુ પાલન કરવુ જરૂરી છે. સાથે જ કહ્યુ કે મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ વગેરે હાઈ રિસ્કવાળા રાજ્ય છે ત્યાંથી આવતા લોકોએ કોવિડ-29નો રિપોર્ટ કરાવ્યા વિના આવવાની મંજૂરી આપવામાં આવશે નહિ. જો કે આ રાજ્યોમાં ચારધામ યાત્રા પર આવતા લોકો માટે કોરોનાનો નેગેટીવ રિપોર્ટ બતાવવો અનિવાર્ય રહેશે.
ઉલ્લેખનીય છે કે ચારધામ યાત્રા 14મેના રોજ ગંગોત્રી તેમજ યમનોત્રીના કપાટ ખુલતા જ શરૂ થઈ જશે. ગયા વર્ષ કોવિડના કારણે ઘણા સમય સુધી યાત્રા રોકવામાં આવી હતી. કેદારનાથના કપાટ 17મેના રોજ સવારે 5 વાગે મેષ લગ્નમાં ખોલવામાં આવશે. બદરીનાથના કપાટ 18 મેના રોજ ખોલવામાં આવશે. કપાટ વિધિ-વિધાન સાથે સવારે 4 વાગીને 15 મિનિટે ખોલવામાં આવશે. વળી યમુનોત્રી અને ગંગોત્રીના કપાટ 14મેના રોજ ખોલવામાં આવશે. ગંગોત્રી અને યમુનોત્રીના કપાટ દર વર્એષે અક્ષય તૃતીયાના દિવસે ખુલે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
