SC/ST એક્ટમાં ફેરફાર અંગે કેન્દ્ર સરકારે બધા રાજ્યોને મોકલ્યુ એલર્ટ
એસસી-એસટી એક્ટમાં સુધારાનો સવર્ણ સમાજ સતત વિરોધ કરી રહ્યો હતો. હવે આ મામલે કેન્દ્ર સરકારે બધા રાજ્યોને સુધારેલા અધિનિયમ અંગે એલર્ટ મોકલ્યુ છે.
એસસી-એસટી એક્ટમાં સુધારાનો સવર્ણ સમાજ સતત વિરોધ કરી રહ્યો હતો. જેના પગલે મધ્યપ્રદેશમાં સીએમ શિવરાજ સિંહ ચૌહાણે થોડા દિવસો પહેલા કહ્યુ હતુ કે રાજ્યમાં બધા વર્ગોના હિતોને સુરક્ષિત રાખવામાં આવશે અને એસસી-એસટી એક્ટમાં તપાસ બાદ જ ધરપકડ થશે. હવે આ મામલે કેન્દ્ર સરકારે બધા રાજ્યોને સુધારેલા અધિનિયમ અંગે એલર્ટ મોકલ્યુ છે.

કેન્દ્રએ બધા રાજ્યોને એક્ટમાં ફેરફાર અંગે સૂચિત કર્યુ
ઈન્ડિયન એક્સપ્રેસના સમાચારો મુજબ કેન્દ્રીય ગૃહમંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એ સ્પષ્ટ કર્યુ છે કે સંસદે કેસ ફાઈલ કરતા પહેલા પ્રારંભિક તપાસની જોગવાઈને રદ કરવા કે આરોપીની ધરપકડ કરતા પહેલા કોઈ ઓથોરિટીની મંજૂરી લેવા માટે અધિનિયમમાં સુધારો કર્યો છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાનામાં આ વર્ષના અંતમાં ચૂંટણી છે. આ રાજ્યોમાં ઓબીસી અને સવર્ણ સમાજ એસસી-એસટી એક્ટમાં ફેરફારના વિરોધમાં નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.

શિવરાજ સિંહ ચૌહાણના નિવેદન બાદ સરકારે લીધુ પગલુ
સરકારી સૂત્રો મુજબ, આ બાબત સંવેદનશીલ હોવાના કારણે તેમજ દેશમાં આના કારણે અશાંતિનો માહોલ બની રહ્યો હોવાના કારણે સુધારેલા અધિનિયમ વિશે તેમને જણાવવા માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સૂચિત કરવામાં આવ્યુ છે. એસસી-એસટી એક્ટમાં હાલમાં જ કેન્દ્ર સરકાર દ્વ્રારા કરાયેલા સુધારા બાદ આગોતરા જામીનની જોગવાઈ ખતમ કરી દેવામાં આવી છે અને તત્કાળ ધરપકડના આદેશ જારી કરવામાં આવ્યા છે.

સરકારે બદલ્યો હતો સુપ્રિમ કોર્ટનો ચુકાદો
સરકાર દ્વારા કરાયેલા સુધાર બાદ સવર્ણ સમાજનું કહેવુ છે કે વર્તમાન સરકારે સુપ્રીમ કોર્ટના આદેશ છતાં દલિત મતબેંકને લલચાવવા માટે એક્ટમાં સુધારો કર્યો અને આના માટે જ આ સમાજ વિરોધ કરી રહ્યો છે. 9 ઓગસ્ટે સંસદે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ દલિત સમાજ દ્વ્રારા વિરોધ પ્રદર્શનને જોતા એક્ટમાં સુધારાને મંજૂરી આપી દીધી હતી. એસસી-એસટી એક્ટ સુધારામાં નવી જોગવાઈ 18એ ને જોડ્યા બાદ દલિતોને હેરાન કરવા બાબતે તત્કાળ ધરપકડ થશે અને આગોતરા જામીન પણ નહિ મળી શકે. આ બાબતની તપાસ ઈન્સ્પેક્ટર રેન્કના પોલિસ અધિકારી જ કરી શકશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
