મોદી સરકારનો મોટો નિર્ણય, સવર્ણોને 10 ટકા અનામતનું એલાન
2019 લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્રની મોદી સરકારે એક મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે સવર્ણોને 10 ટકા આરક્ષણ મળશે.
2019 લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્રની મોદી સરકારે એક મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે સવર્ણોને 10 ટકા આરક્ષણ મળશે. મળતી જાણકારી અનુસાર કેન્દ્રીય કેબિનેટે આર્થિક રૂપે કમજોર સવર્ણોને નોકરી અને શિક્ષામાં 10 ટકા આરક્ષણ માટે મંજૂરી આપી છે. સરકાર સંવિધાનમાં સંશોધન ઘ્વારા કોટા વધારશે. માનવામાં આવી રહ્યું છે કે નરેન્દ્ર મોદી સરકાર સંવિધાન સંશોધન બિલ સંસદમાં રજુ કરી શકે છે.
આ પણ વાંચો: ડ્રાઈવિંગ લાઇસન્સ આધાર સાથે લિંક કરવું જરૂરી, સરકાર કાનૂન લાવશે

મોદી સરકારનો મોટો દાવ
કેન્દ્રની મોદી સરકારે લોકસભા ચૂંટણી પહેલા આરક્ષણ મુદ્દે અગત્યનો નિર્ણય લીધો છે. કેબિનેટ મિટિંગમાં આર્થિક રૂપે પછાત સવર્ણો માટે 10 ટકા આરક્ષણ પર મુહર મારી છે. આ નિર્ણય પછી આરક્ષણ કોટા 49 ટકા થી વધીને 59 ટકા થઇ ગયું છે. કેન્દ્રીય કેબિનેટમાં નક્કી કરવામાં આવ્યું છે કે શિક્ષા અને નોકરીમાં આરક્ષણ આપવામાં આવ્યું છે. સરકાર તેની સાથે જોડાયેલા સંશોધનને મંગળવારે સંસદમાં રજુ કરશે.
|
ગરીબ સવર્ણ જાતિઓને 10 ટકા અનામત પ્રસ્તાવને મંજૂરી
ખરેખર ઘણા સમયથી એવી માંગ કરવામાં આવી રહી હતી કે આર્થિક રૂપે પછાત લોકોને અનામત આપવામાં આવે. આખરે કેન્દ્ર સરકારે તેના પર મુહર મારી દીધી છે. મળતી જાણકારી અનુસાર ગરીબ સવર્ણ જાતિઓને નવા પ્લાનમાં લાગુ કરવા માટે આરક્ષણ કોટા વધારવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે સરકાર સંવિધાનમાં સંશોધન કરીને તેને પૂરું કરવાનો પ્રયાસ કરશે.

કોટા વધારવા માટે સરકારનો પ્લાન
સૂત્રો અનુસાર જે પરિવારની વાર્ષિક ઈન્ક્મ 8 લાખ કરતા ઓછી છે તેમને આ ફાયદો મળશે. હાલમાં કેન્દ્ર કેબિનેટે આ નિર્ણય પર મુહર મારી દીધી છે. પરંતુ આરક્ષણ કોટા વધારવાની તેમની રાહ થોડી મુશ્કિલ હોય શકે છે કારણકે સંવિધાન સંશોધનમાં સરકારને બાકી દળોના સાથની પણ જરૂર પડશે.
|
ખુબ જ મોડું કરી નાખ્યું: હરીશ રાવત
મોદી કેબિનેટના આ નિર્ણય પર કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી હરીશ રાવતે પ્રતિક્રિયા આપી છે. તેમને કહ્યું કે ખુબ જ મોડું થઇ ગયું છે. હવે ચૂંટણી આવી રહી છે એટલે આ દેખાઈ રહ્યું છે. તેઓ ગમે તેવા જુમલા આપે પરંતુ હવે આ સરકારને કોઈ નહીં બચાવી શકે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
