ચૂંટણી પંચના મતભેદ પર મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરાએ તોડ્યુ મૌન, જાણો શું કહ્યુ
મોદી-શાહને ક્લીન ચિટ મામલે ચૂંટણી પંચના મતભેદ પર મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરાનું નિવેદન આવ્યુ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહને આચાર સંહિતાના ઉલ્લંઘન મામલે ક્લીન ચિટ આપવા વિશે અધિકારીઓ વચ્ચે જ મતભેદ જોવા મળી રહ્યો છે. હવે આના પર મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરાનું નિવેદન સામે આવ્યુ છે. મુખ્ય ચૂંટણી કમિશ્નરે અશોક લવાસાના કથિત પત્ર પર નિવેદન જાહેર કરીને કહ્યુ કે પંચના 3 સભ્યોને એકબીજાના ટેમ્પલેટ કે ક્લોન હોવાની અપેક્ષા નથી હોતી. ભૂતકાળમાં ઘણી વાર આવુ થયુ છે જ્યારે વિચારોનો એક મોટો મતભેદ થયો છે, આવુ થઈ શકે છે અને હોવુ જોઈએ.

તેમણે કહ્યુ કે આદર્શ આચાર સંહિતાને સંભાળવા વિશે ઈસીઆઈના આંતરિક કામકાજ વિશે આજે મીડિયામાં જે સમાચારો ચાલી રહ્યા છે તેમાં કોઈ દમ નથી. તમને જણાવી દઈએ કે હિંદુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ મુજબ 4મે બાદ લવાસા આચાર સંહિતા ઉલ્લંઘન પર થયેલ કોઈ પણ બેઠકમાં શામેલ થયા નથી. કથિત રીતે તેમણે મુખ્ય ચૂંટણી કમિશ્નરને પત્ર લખીને કહ્યુ છે કે જ્યાં સુધી તેમના અસંમતિવાળા મતને ઑન-રેકોર્ડ નહિ કરવામાં આવે ત્યાં સુધી તે પંચની કોઈ પણ મીટિંગમાં શામેલ નહિ થાય.
CEC Sunil Arora: But the same largely remained within confines of ECI after demission of office unless appearing much later in a book written by the concerned ECs/CECs. I personally never shied away from a public debate whenever required but there is time for everything. (2/3) https://t.co/5OtXtxNPDz
— ANI (@ANI) 18 May 2019
તમને જણાવી દઈએ કે પંચના ત્રણ સભ્યોની 'ફૂલ કમિશન'માં મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરા અને બે ચૂંટણી કમિશ્નર, અશોક લવાસા અને સુશીલ ચંદ્રા શામેલ છે. પોલ પેનલના નિયમ એકમત દ્રષ્ટિકોણને પ્રાથમિકતા આપે છે પરંતુ સર્વસંમતિના અભાવમાં બહુમતના નિર્ણયનો સ્વીકાર કરવામાં આવે છે. પીએમ નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ સામે મળેલી આચાર સંહિતાની ફરિયાદોની તપાસ માટે રચેલી સમિતિમાં મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરા, અશોક લવાસા અને સુશીલ ચંદ્રા શામેલ હતા અને તે તેમને આચાર સંહિતાની સીમામાં માની રહ્યા હતા પરંતુ બહુમતથી લેવાયેલા નિર્ણયમાં આચાર સંહિતાનું ઉલ્લંઘન નહિ ગણીને ક્લીનચિટ આપી દેવામાં આવી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
