કોવિડ મહામારી વચ્ચે સીબીઆઈએ 2020માં 800 કેસ સોલ્વ કર્યા
કોવિડ મહામારી વચ્ચે સીબીઆઈએ 2020માં 800 કેસ સોલ્વ કર્યા
કોવિડ 19 મહામારીને ધ્યાનમાં રાખી વિવિધ પડકારોનો સામનો કરવા છતાં કેન્દ્રીય તપાસ એજન્સીએ 2020માં લગભગ 800 મામલાની તપાસ પૂરી કરી છે. સીબીઆઈએ આ વર્ષે હાથરસ દુષ્કર્મ મામલે સતાનકુલમ કસ્ટડિયલ મોત મામલે, બેંક ફ્રોડ હાઈ પ્રોફાઈલ મામલાના કેટલાય કેસની તપાસ પૂરી કરી છે. જો કે 2020નો સૌથી મોટો કેસ સુશાંત સિંહ સુસાઈડ કેસની તપાસ હજી ચાલુ છે.

કોરોના કાળમાં કેટલાય સીબીઆઈ અધિકારીઓએ જીવ ગુમાવ્યો
નવા વર્ષના અવસર પર વીડિયો કોન્ફ્રેન્સિંગ દ્વારા સીબીઆઈ ડાયરેક્ટર ઋષિ કુમાર શુક્લાએ અધિકારીઓને શુભેચ્છા પાઠવી અને મહામારી વચ્ચે તેમના કામનાં વખાણ કર્યાં. સીબીઆઈ ડાયરેક્ટરે એજન્સીના એવા અધિકારીઓ અને કર્મચારીઓના પરિવારનો સભ્યો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી જેમણે તામ સંભવ સાવધાનીઓ છતાં ઘાતક વાયરલ બીમારીને કારણે પોતાનો જીવ ગુમાવવો પડ્યો. તેમણે હરેક સંભવ સહાયતાનું આશ્વાસન આપ્યું છે.

આ કેસ સોલ્વ કર્યા
સીબીઆઈ ચીફે કહ્યું કે કોવિડ 19 મહામારી સાથે જોડાયેલી સમસ્યાઓથી લડતાં સીબીઆઈએ હાથરસ દુષ્કર્મ મામલામાં, સતાનકુલમ કસ્ટડિયલ ડેથ મામલે, બેંક ફ્રોડ મામલે પોતાની તપાસ પૂરી કરી અને ભાગેડૂ વિજય માલ્યા વિરુદ્ધ કાનૂની લડાઈ જીતી જે લંડનમાં પોતાના પ્રત્યર્પણની કાર્યવાહીનો વિરોધ કરી રહ્યા હતા. આનાથી તેમને વર્તમાન તપાસ વિધિઓમાંથી અમુકનો અનુભવ પ્રાપ્ત કરવામાં મદદ મળશે અને આનાથી તેમની ટીમની પ્રક્રિયા તેજ કરવાના ઉદ્દેશ્યથી તપાસ શ્રેષ્ઠ બનાવવામાં મદદ મળશે.

2020 દરમ્યાન 800 મામલાનું નિસ્તારણ કરાયું
સીબીઆઈ નિદેશકે એમ પણ જણાવ્યું કે કોવિડ 19 મહામારીના ભારે પડકારો છતાં વર્ષ 2020 દરમ્યાન 800 મામલાનું નિસ્તારણ કરવામાં આવ્યું, કોવિડ 19ને પગલે જીવનના વિવિધ ક્ષેત્રોમાં સંચાલનમાં જબરદસ્ત બાધા ઉત્પન્ન થઈ. શુક્લાએ કહ્યું કે, તમારા સહયોગ અને પ્રયાસોથી અમે અમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે પર્યાપ્ત સંખ્યામાં મામલાની તપાસને અંતિમ રૂપ આપવામાં સક્ષમ થયા છીએ. આગામી દિવસોમાં વધુ આકરી મહેનત કરવાની જરૂરત છે.

આ પ્રણ લીધું
શુક્લાએ એજન્સીના અધિકારીઓને નિરંતર પરિક્ષણના માધ્યમથી તપાસના નવીનતમ ઉપકરણો સાથે ખુદને અપડેટ રાખવા માટે પણ કહ્યું. એજન્સી પ્રમુખે હાલમાં જ સિસ્ટર અભયાની હત્યાના મામલાનો પણ ઉલ્લેખ કર્યો જેમાં 28 વર્ષ બાદ દોષસિદ્ધિ થઈ. તેમણે કહ્યું કે હાલમાં જ મોટી સંખ્યામાં ઉચ્ચ મૂલ્યના બેંક ધોખાધડીના મામલાની તપાસ હાથમાં લેવામાં આવી, જે એજન્સી માટે એક પડકાર છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
