બાબરી વિધ્વંસ મામલે સીબીઆઈ કોર્ટનો ફેસલો, બધા આરોપી છૂટી ગયા
બાબરી વિધ્વંસ મામલે સીબીઆઈ કોર્ટનો ફેસલો, બધા આરોપી છૂટી ગયા
નવી દિલ્હીઃ અયોધ્યામાં 1992માં થયેલ બાબરી મસ્જિદ વિધ્વંસ મામલે 28 વર્ષ બાદ આજે ફેસલો આવી ગયો છે. સીબીઆઈની વિશેષ કોર્ટે તમામ આરોપીઓને છોડી મૂક્યા છે. જેમાં લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, વિનય કટિયાર, કલ્યાણસિંહ જેવા દિગ્ગજ નામ સામેલ હતા.

જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશની અયોધ્યામાં 6 ડિસેમ્બર 1992ના રોજ કારસેવકોની ભીડે વચ્ચે બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી હતી. આ ઘટના બાદ એજ દિવસે બે એફઆઈઆર નોંધવામાં આવી. પહેલી એફઆઈઆર (197/1992)માં અજાણ્યા કારસેવકોને આરોપી બનાવવામા આવ્યા. તેમની વિરુદ્ધ લૂટ-પાટ, ઈજા પહોંચાડવી અને ધાર્મના આધારે બે જુથોમાં દુશ્મનાવટ બનાવવા જેવા આરોપો લગાવ્યા. બીજી એફઆઈઆર (198/1992) ભાજપ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે જોડાયેલા એવા નેતાઓ વિરુદ્ધ નોંધવામાં આવી, જેમણે રામકથા પાર્કમાં મંચ પર કથિત ભડકાઉ ભાષણ આપ્યાં હતાં. જેમાં ભાજપના નેતા એલ કે અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, સાધ્વી ઋતંભરા, વીએચપીના તત્કાલીન મહાસચિવ અશોક સિંઘલ, વિનય કટિયાર, ગિરિરાજ કિશોર અને વિષ્ણુ હરિ ડાલમિયાના નામ સામેલ હતા.
બાદમાં પહેલી એફઆઈઆર સંબંધિત તપાસ સીબીઆઈને સોંપવામાં આવી અને બીજી એફઆઈઆરની તપાસ સીઆઈડીને હવાલે કરી દેવામાં આવી. 1993 પહેલી એફઆઈઆરની સુનાવણી માટે યૂપીના લલિતપુરમાં સ્પેશિયલ કોર્ટ બનાવવામાં આવી, જ્યારે બીજી એફઆઈઆર સાથે જોડાયેલ કેસની સુનાવણઈ રાયબરેલીની વિશેષ અદાલતને સોંપી દેવામાં આી. બાદમાં આ બંને એફઆઈઆર ઉપરાંત વધુ 45 કેસ નોંધવામાં આવ્યા અને તેમને બધાને બાદમાં પહેલા કેસ સાથે સીબીઆઈના હવાલે કરી દેવામાં આવ્યા. આ કેસની સુનાવણી માટે અલ્હાબાદ હાઈકોર્ટના કહેવા પર લખનઉમાં એક નવી સીબીઆઈ અદાલતની રચના કરવામાં આવી. પરંતુ બીજી એફઆઈઆર સાથે જોડાયેલ કેસ રાયબરેલી કોર્ટમાં જ ચાલતો રહ્યો. લખનઉ ટ્રાન્સફર થતા પહેલા 1993માં પહેલી એફઆઈઆર 197-1992માં આઈપીસીની કલમ 120બી એટલે કે અપરાધિક ષડયંત્ર પણ જોડી દેવામાં આવ્યું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
