કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં કહ્યુ, 2011ની વસ્તી ગણતરીમાં જાતિ સાથે જોડાયેલા આંકડા કોઈ કામના નથી
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યુ છે કે વર્ષ 2011ની વસ્તી ગણતરીમાં જે જાતિ સાથે જોડાયેલા આંકડા એકઠા કરવામાં આવ્યા હતા તે કોઈ કામના નથી.
નવી દિલ્લીઃ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યુ છે કે વર્ષ 2011ની વસ્તી ગણતરીમાં જે જાતિ સાથે જોડાયેલા આંકડા એકઠા કરવામાં આવ્યા હતા તે કોઈ કામના નથી. તેનો કોઈ પણ પ્રકારનો અધિકૃત ઉપયોગ ન કરી શકાય કારણકે તેમાં ઘણી ખામીઓ છે. સાથે જ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યુ છે કે તે જાતી કે પછાત જાતિ સાથે જોડાયેલા આંકડા 2022ની વસ્તી ગણતરી દરમિયાન એકઠા કરવાના પક્ષમાં નથી. સરકાર તરફથી કહેવામાં આવ્યુ છે કે તે માત્ર એસસી અને એસટી સાથે જોડાયેલા આંકડા એકઠા કરવાના પક્ષમાં છે.

સુપ્રીમ કોર્ટ દ્વારા દાખલ કરવામાં આવેલ એફિડેવિટમાં કેન્દ્રએ મહારાષ્ટ્ર સરકારની અરજી પર વાંધો વ્યક્ત કરીને કહ્યુ કે 2011ની વસ્તી ગણતરીમાં જાતિ સાથે આધારિત આંકડા સાર્વજનિક ન કરી શકાય કારણકે તેમાં ઘણી ભૂલો છે. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્ર સરકારે 2011ની વસ્તી ગણતરીમાં જાતિ આધારિત આંકડાઓને સાર્વજનિક કરવાની માંગ કરી હતી. સરકાર તરફથી કહેવામાં આવ્યુ છે કે વસ્તી ગણતરી દરમિયાન એકઠા કરવામાં આવેલ આંકડાઓમાં ખામીઓ છે, જાતિ સાથે જોડાયેલા આંકડા ભરોસાપાત્ર અને વિશ્વસનીય આંકડા ઉપલબ્ધ નથી કે જે બંધારણીય કે કાનૂની રીતે અનામત, પ્રમોશન વગેરે માટે ઉપયોગ કરી શકાય.
તમને જણાવી દઈએ કે 2011માં વસ્તી ગણતરી યુપીએ સરકારના કાર્યકાળમાં થઈ હતી. દેશમાં પહેલી વાર જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવવામાં આવી હતી. આ પહેલા 1931માં આ રીતની વસ્તી ગણતરી કરાવવામાં આવી હતી. દેશમાં પહેલી વસ્તી ગણતરીની વાત કરીએ તો તે 1881માં થઈ હતી. ત્યારબાદ દર10 વર્ષ પછી વસ્તી ગણતરી કરાવવામાં આવે છે. આ વર્ષે વસ્તી ગણતરીને એટલા માટે ટાળી દેવામાં આવી છે કારણકે કોરોના મહામારી સામે આખો દેશ લડી રહ્યો છે. માનવામાં આવી રહ્યુ છે કે આવતા વર્ષે ફરીથી ફેબ્રુઆરીમાં વસ્તી ગણતરી કરાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગને લઈને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની આગેવાનીમાં 11 સભ્યોના નેતાઓના દળે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. આમાં બધા નેતાઓએ માંગ કરી કે જાતિ આધારિત વસ્તી ગણતરીમાં ઓબીસી સાથે જોડાયેલા આંકડાઓ એકઠા કરવામાં આવે. વળી, કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાયે જુલાઈ મહિનામાં લોકસભામાં એક લેખિત સવાલના જવાબમાં કહ્યુ હતુ કે અમે એસસી અને એસટી સાથે જોડાયેલા આંકડા ઉપરાંત અન્ય જાતિઓ સાથે જોડાયેલા આંકડાઓને એકઠા કરવાના પક્ષમાં નથી અને આ અમારી પૉલિસીનો ભાગ નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?









Click it and Unblock the Notifications
