હવે સિદ્ધુ પર ચાલ્યો ચૂંટણી કમિશનનો દંડો, ધર્મના નામે મત માંગવા પર થયો કેસ
કોગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુ સામે બિહારના કટિહારમાં ચૂંટણી રેલી દરમિયાન આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘનનો કેસ નોંધવામાં આવ્યો છે.
કોગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુ સામે બિહારના કટિહારમાં ચૂંટણી રેલી દરમિયાન આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘનનો કેસ નોંધવામાં આવ્યો છે. પોતાના નિવેદનોના કારણે હંમેશા સમાચારોમાં રહેનાર પંજાબ સરકારમાં મંત્રી અને કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુ મંગળવારે કટિહારમાં રેલી દરમિયાન મુસ્લિમોને એક થઈને કોંગ્રેસના પક્ષમાં મત આપવાની અપીલ કરી હતી.

મુસ્લિમોને એક થઈને મત કરવાની કરી હતી અપીલ
નવજોત સિંહ સિદ્ધુના આ વિવાદિત નિવેદન બાદ આદર્શ આચાર સંહિતાના નોડલ અધિકારી અમિત કુમાર પાંડેયે આની નોંધ લઈને સ્થાનિક અધિકારી પાસે ભાષણની સીડી માંગી હતી. વળી, ભાજપે પણ સિદ્ધુના નિવેદન પર વાંધો વ્યક્ત કરીને ચૂંટણી કમિશનને આના સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
|
ભાજપે કરી હતી ફરિયાદ, કમિશને માંગી હતી ભાષણની સીડી
તમને જણાવી દઈએ કે નવજોત સિંહ સિદ્ધુની જેમ બસપા સુપ્રીમો માયાવતીએ દેવબંધની રેલીમાં મુસ્લિમો પાસે મહાગઠબંધનને મત આપવાની અપીલ કરી હતી જે બાદ ચૂંટણી કમિશને કડક પગલાં લઈને તેમના પ્રચાર પર 48 કલાકની રોક લગાવી દીધી છે. કટિહાર રેલીમાં નવજોત સિદ્ધુએ કહ્યુ હતુ, ‘હું તમને બધાને ચેતવવા આવ્યો છુ મુસ્લિમ ભાઈઓ. તમે 64 ટકા વસ્તી છો અહીં, તમે મારી પાઘડી છો. તમે બધા લોકો પંજાબમાં કામ કરવા જાવ છો. તમને અમારે ત્યાં પ્રેમ મળે છે, આ લોકો વહેંચી રહ્યા છે તમને. મુસ્લિમ ભાઈઓ, આ અહીં ઓવેસી જેવા લોકોને ઉભા કરીને તમારા મતોને વહેંચીને જીતવા ઈચ્છે છે.'

સિદ્ધુના નિવેદન પર ગરમાયુ રાજકારણ
સિદ્ધુએ કહ્યુ, '64 ટકા તમારી વસ્તી છે. જો તમે ભેગા થયા અને એક થઈને મત આપ્યા તો બધુ પલટી જશે, મોદી ઉલટાઈ જશે. મોદીને બાઉન્ડ્રીને પાર કરી દો.' બિહારની 40 લોકસભા સીટો પર 7 તબક્કામાં મતદાન થઈ રહ્યુ છે. પહેલા તબક્કામાં રાજ્યની 4 સીટો પર મતદાન 11 એપ્રિલે થયો હતો. બાકીની સીટો પર બાકીના6 તબક્કામાં મતદાન થશે. વળી, ચૂંટણી પરિણામ 23 મેના રોજ ઘોષિત કરવામાં આવશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
