"આ NDA નહીં, BJPનું મંત્રીમંડળ વિસ્તરણ છે"
રવિવારે થયેલ મંત્રીમંડળ ફેરબદલ અને વિસ્તરણ અંગે વિવિધ રાજકારણીઓની પ્રતિક્રિયા
રવિવારે થયેલ મંત્રીમંડળ ફેરબદલ અને વિસ્તરણની લાંબા ગાળાથી રાહ જોવાઇ રહી હતી. મંત્રીમંડળ ફેરબદલ પહેલાં જ 6 કેન્દ્રિય મંત્રીઓએ રાજીનામું આપતાં દેશભરની નજર આ પરિવર્તન પર મંડાયેલી હતી. નવા મંત્રીમંડળમાં 9 નવા મંત્રીઓનો ઉમેરો થયો છે તથા 4 મંત્રીઓની પદોન્નતિ થઇ છે. નવા મંત્રીઓના નામ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહે લાંબી ચર્ચા બાદ નક્કી કર્યા હોવાનું કહેવાય છે, જેમાં જદયુ ઉપરાંત શિવસેનાનો પણ સમાવેશ થયો નથી. આ અંગે વિવિધ રાજકારણીય નેતાઓના નિવેદનો આવ્યા છે.

ભાજપની આંતરિક ફેરબદલ
નવા મંત્રીમંડળમાં હાલમાં જ એનડીએમાં જોડાયેલ જદયુને જગ્યા ન મળતાં આ અંગે કે.સી. ત્યાગીએ કહ્યું કે, આ એનડીએ નહીં, પરંતુ ભાજપની આંતરિક ફેરબદલ છે. બસપા સુપ્રીમો માયાવતીએ પણ આ અંગે તીખી પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે, મંત્રીમંડળ વિસ્તરણના નામે સરકાર લોકોનું ધ્યાન બીજી દિશામાં વાળી રહી છે. મંત્રીમંડળ ફેરબદલ દ્વારા સરકાર લોકોનું ધ્યાન બેરોજગારી, સફાઇ અભિયાન, ગંગાની સફાઇ જેવા મુદ્દા પરથી ખસેડવા માંગે છે.
"જે પોતાના લોકોને છોડે તેને કોઇ સ્વીકારતું નથી"
મંત્રીમંડળ વિસ્તરણ અને ફેરબદલના તુરંત બાદ આરજેડીના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર પર વાક્પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, જેડીયુને શપથ ગ્રહણ કાર્યક્રમમાં પણ આમંત્રણ નથી મળ્યું. જે પોતાના લોકોને છોડે છે, એને બીજા લોકો પણ સ્વીકારતા નથી. નોંધનીય છે કે, ગત મહિને જ નીતીશ કુમાર બિહારમાં મહાગઠબંધનની સરકાર તોડી એનડીએમાં જોડાયા હતા.
Ho sakta hai bahumat ka arrogance ho,lekin hum is pe dhyaan nahi de rahe, unka bahumat hai toh apne hisab se sarkar chalayene:Sanjay Raut,SS
— ANI (@ANI) September 3, 2017
ભાજપને બહુમતનું ઘમંડ
શિવસેનાના સંજીવ રાઉતે પણ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, શિવસેનાને મંત્રીપદની લાલચ નથી. આ એનડીએનું નહીં, પરંતુ ભાજપના મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે. આ પહેલાનું મંત્રીમંડળ વિસ્તરણ પણ ભાજપના મંત્રીમંડળનું વિસ્તરણ જ હતું. ભાજપને પોતાના બહુમતનું ઘમંડ હોઇ શકે છે અને તેઓ પોતાનું ધાર્યું જ કરે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
