8700 કરોડના ખર્ચે તૈયાર થશે રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર, જાણો આ NPR શું છે?
8700 કરોડના ખર્ચે તૈયાર થશે રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર, જાણો આ NPR શું છે?
નવી દિલ્હીઃ સિટિઝન એમેન્ડમેન્ટ એક્ટને લઈ દેશભરમાં થઈ રહેલ ઉગ્ર વિરોધ પ્રદર્શનો વચ્ચે મંગળવારે કેન્દ્રિય કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં નેશનલ પોપ્યુલેશન રજિસ્ટરને (NPR) મંજૂરી મળી ગઈ છે. જનસંખ્યા અપડેટ કરવા માટે 8500 કરોડ રૂપિયાનું ફંડ મંજૂર કરવામાં આવ્યું છે. જણાવી દઈએ કે આગામી વર્ષે એપ્રિલ મહિનામાં જનસંખ્યા રજિસ્ટરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી શકે છે. NPR એટલે દેશમાં રહેતા નાગરિકોની યાદી, છેલ્લે 2015માં ડોર-ટૂ-ડોર સર્વે કરી ડેટા અપટેડ કરવામાં આવ્યા હતા.

NPR શું છે?
નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (NPR)એ દેશમાં રેગ્યુલર રીતે નોંધાયેલા નાગરિકોનું રજિસ્ટર, આ યાદી સિટિઝનશીપ એક્ટ 1955 અને સિટિઝનશીપ રૂલ્સ, 2003ના પ્રાવધાનો અંતર્ગત સ્થાનિક (ગામ/વિસ્તાર), તાલુકા, જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય લેવલે તૈયાર કરવામાં આવે છે. દરેક ભારતીય નાગરિકો માટે એનપીઆરમાં નોંધણી કરાવવી ફરજીયાત છે. એનપીઆરમાં એવા લોકોની યાદી તૈયાર કરવામાં આવે છે જેઓ દેશના કોઈપણ વિસ્તારમાં 6 મહિના કે તેથી વધુ સમયથી રહી રહ્યા હોય.

ઉદ્દેશ્ય શું છે?
દેશભરમાં દરેક નાગરિકોની વ્યાપક ઓળખનો ડેટાબેઝ તૈયાર કરવાનો એનપીઆરનો ઉદ્દેશ્ય છે. ડેટાબેઝ વસ્તી વિષયક તેમજ બાયોમેટ્રિક વિગતો હશે. દેશભરના બધા જ નાગરિકો પાસેથી આધાર નંબર, મોબાઈલ નંબર, પાન કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ, ચૂંટણી કાર્ડની ડિટેલ અને ભારતીય પાસપોર્ટ નંબર સહિતની માહિતી એકઠી કરવામાં આવશે. જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટના ચુકાદાને ધ્યાનમાં રાખીને આ મામલે આધાર કાર્ડની માહિતી શેર કરવી સ્વૈચ્છિક રાખવામાં આવી છે એટલે કે કોઈ નાગરિક ઈચ્છે તો આધારની ડિટેલ આપી શકે અને ના આપે તો પણ કોઈ સવાલ નહિ કરી શકે.

એપ્રિલથી પ્રક્રિયા શરૂ થશે
આ બેઠકમાં 2021ની જનગણતરી અને એનપીઆરને અપડેટ કરવાની ઔપચારિક મંજૂરી મળવાની સંભાવના જતાવવામાં આવી હતી. આસામને બાદ કરતાં બાકીના બધા જ કેન્દ્ર શાસિત પ્રદેશો અને રાજ્યોમાં એનપીઆર અપડેટ કરવાની પ્રક્રિયા આગામી વર્ષે એપ્રિલથી શરૂ થનાર છે, જે સપ્ટેમ્બર સુધી ચાલશે. પહેલીવાર વર્ષ 2010માં એનપીઆર બનાવવાની શરૂઆત થઈ હતી. અધિકારીઓનું કહેવું છે કે 2015માં ડોર ટૂ ડોર સર્વેક્ષણ અને અપડેટ માટે ડેટાનું ડિટિટલીકરણ હવે પૂરું થઈ ગયું છે.કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવેડકરે જણાવ્યા મુજબ કેબિનેટે વસ્તી ગણતરી માટે 8754.23 કરોડના ખર્ચાને મંજૂરી આપી છે અને નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર માટે 3941.35 કરોડ રૂપિયાના ખર્ચને મંજૂરી આપી છે.

આ રાજ્યોએ એનપીઆર પર કામ બંધ કર્યું
પશ્ચિમ બંગાળ અને કેરળે એનપીઆર પર કામ કરવાનું બંધ કરી દીધું છે. સંસદના બંને સદનમાં સિટિઝન એમેન્ડમેન્ટ એક્ટ (CAA) પાસ થયા બાદ આવું થયું છે. ગત અઠવાડિયે કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને કહ્યું હતું કે, નાગરિકતા સંશોધન એક્ટ 2019ને ધ્યાનમાં રાખી ઉઠાવવામાં આવેલ ચિંતાઓ પર વિચાર કર્યા બાદ હવે રાજ્ય સરકારે ફેસલો લીધો છે કે તેઓ એનપીઆરને અપડેટ કરવાની પ્રક્રિયામાં સહયોગ નહિ કરે. એનઆરસીને સરળ બનાવવા માટે આ પગલું ભર્યું છે.

મમતા બેનરજીએ શું કહ્યું
જ્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું હતું કે, રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટરની તૈયારી અને અપડેટ અંગેની બધી જ ગતિવિધિઓ પશ્ચિમ બંગાળમાં અટકાવી દેવામાં આવી છે. પશ્ચિમ બંગાળ સરકારની મંજૂરી વિના એનપીઆર સાથે જોડાયેલ એકેય ગતિવિધિ કરવામાં નહિ આવે. પશ્ચિમ બંગાળની સરકારે નાગરિકતા સંશોધન કાનૂન આવ્યા બાદથી એનપીઆર પર ચાલી રહેલ કામ પર રોક લગાવવાનો આદેશ આપ્યો હતો. બંગાળના એવા ત્રણ રાજ્ય (કેરળ, પંજાબ અને પશ્ચિમ બંગાળ)માંથી એક છે જેમણે સ્પષ્ટ રીતે કહી દીધું કે તેઓ પોતાને સીએએ લાગૂ નહિ થવા દે. પરંતુ કેન્દ્ર સરકારનું કહેવું છે કે આ મામલે રાજ્યો પાસે એકેય વિકલ્પ નથી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
