બુરાડી કેસઃ મૃતક લલિતના ભાઈએ 11 પાઈપો અંગે કર્યો મોટો ખુલાસો
દિલ્હીના બુરાડીમાં એક જ ઘરની અંદર 11 લોકોના મોત મામલે મૃતક લલિતના મોટા ભાઈ દિનેશ કહ્યુ છે કે આ આત્મહત્યાનો મામલો નથી અને તેને મીડિયા રિપોર્ટ પર વિશ્વાસ નથી.
દિલ્હીના બુરાડીમાં એક જ ઘરની અંદર 11 લોકોના મોત મામલે ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે. પોલિસની અત્યાર સુધીની તપાસમાં જે વાતો સામે આવી છે તે મુજબ આખો મામલો તંત્ર-મંત્રની ક્રિયાઓ સાથે જોડાયેલો છે જેનો સૂત્રધાર પરિવારનો નાનો પુત્ર લલિત હોઈ શકે છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બધા 11 લોકોના મોત ફંદાથી લટકીને થવાની પુષ્ટિ થયા બાદ પોલિસની તપાસ હવે લલિત બાજુ વળી ગઈ છે. બીજી તરફ પોલિસના દાવા પર પરિવારના સભ્ય વિશ્વાસ નથી કરી રહ્યા. મૃતક લલિતના મોટા ભાઈ દિનેશ કહ્યુ છે કે આ આત્મહત્યાનો મામલો નથી અને તેને મીડિયા રિપોર્ટ પર વિશ્વાસ નથી.

દિનેશઃ ‘વેંટિલેશન માટે લગાવાયા હતા પાઈપ'
મૃતક લલિતના ભાઈ દિનેશે જણાવ્યુ કે તેમના પરિવારની મોતનો મામલો આત્મહત્યા નથી. આ મામલે તપાસ થવી જોઈએ. દિનેશના જણાવ્યા અનુસાર પરિવારે ક્યારેય કોઈ બાબાનો સંપર્ક કર્યો નથી. ઘરની અંદર લાગેલા પાઈપ અંગે જ્યારે તેમને પૂછવામાં આવ્યુ તો તેમણે કહ્યુ કે આ પાઈપ વેંટિલેશન માટે લગાવવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યુ કે ઘરની બાજુવાળો પ્લોટ ખાલી હતો જેનાથી હવાની અવરજવર માટે આ પાઈપ લગાવવામાં આવ્યા હતા.

શું કહી રહ્યો છે પરિવાર
દિનેશની પહેલા પરિવારની બીજી એક સભ્ય સુજાતાએ કહ્યુ કે પરિવારના 11 લોકોના મોતનો આ મામલો આત્મહત્યાનો નથી. તેમના પરિવારની હત્યા કરવામાં આવી છે. સુજાતાએ કહ્યુ કે પરિવાર તંત્ર-મંત્રની વાત ખોટી છે. કેસ ખતમ કરવા માટે પોલિસ આમ કરી રહી છે. હું આ પરિવારની દીકરી છુ. મને ના ખબર હોય તેમના ઘર વિશે.

પરિવારની હત્યા કરાઈ છેઃ બહેન સુજાતા
સુજાતાએ કહ્યુ કે તે માત્ર પૂજા પાઠ કરતા હતા. મારા ભાઈ પોતાની મા ની ઈજ્જત કરતા હતા. તે ક્યારેય પોતાની મા ની હત્યા ના કરી શકે. આખો પરિવાર ખુશીથી અને શાંતિપૂર્વક રહેતો હતો. તે કોઈ બાબા પર વિશ્વાસ નહોતા કરતા. પરિવારની હત્યા કરવામાં આવી છે. તેમણે જણાવ્યુ કે ઘરનો ગેટ ખુલ્લો હતો. જે હાલત હતી તેના પરથી લાગે છે કે કોઈએ રાતે આવીને આમ કર્યુ છે.

શું કહી રહ્યા છે દિલ્હી પોલિસથી જોડાયેલા સૂત્રો
પરિવારના દાવાથી ઉલટુ દિલ્હી પોલિસની ક્રાઈમ બ્રાન્ચ સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યુ કે અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યુ છે કે લલિતની ભૂમિકા જ મુખ્ય છે. તે માનસિક રીતે સ્વસ્થ નહોતો અને તંત્ર-મંત્રની ક્રિયાઓમાં રચ્યો પચ્યો રહેતો હતો. લલિતના પિતાનું લગભગ 12 વર્ષ પહેલા મૃત્યુ થઈ ગયુ છે. લલિત પરિવારના બાકીના સભ્યોને કહેતો હતો કે પિતાની આત્મા તેની અંદર આવે છે અને તેને ખાસ નિર્દેશ આપે છે. લલિત પરિવારના લોકોને કહેતો કે તેના પિતાના આત્મા તેને નિર્દેશ આપે છે તે બધુ તે રજિસ્ટરમાં લખે છે. લલિત છેલ્લા ત્રણ વર્ષથી સતત રજિસ્ટરમા ધાર્મિક વાતો લખી રહ્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
