Buldhana Accident: બુલઢાણામાં એક્સપ્રેસવે પર બસમાં લાગી આગ, ભીષણ દૂર્ઘટનામાં 26 મુસાફરોના મોત
Maharashtra Buldhana Accident: મહારાષ્ટ્રના બુલઢાણામાં એક ભયાનક માર્ગ અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. બુલઢાણા પોલીસના જણાવ્યા અનુસાર, બુલઢાણામાં સમૃદ્ધિ મહામાર્ગ એક્સપ્રેસ વે પર બસમાં આગ લાગવાથી 26 લોકોના મોત થયા છે. મરનારના ત્રણ બાળકો પણ સામેલ છે.
બુલઢાણાના ડેપ્યુટી એસપી બાબુરાવ મહામુનીએ જણાવ્યું હતું કે, બુલઢાણામાં સમૃદ્ધિ મહામાર્ગ એક્સપ્રેસ વે પર 33 મુસાફરોને લઈ જતી બસમાં આગ લાગતાં ઓછામાં ઓછા 26 લોકોનાં મોત થયાં હતાં અને અનેક લોકો ઘાયલ થયાં હતાં.

ઇજાગ્રસ્તોને બુલઢાણા સિવિલ હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના શનિવારે રાત્રે લગભગ 2 વાગ્યાની આસપાસ બની હતી. જણાવવામાં આવી રહ્યું છે કે બસમાંથી આઠ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. જેઓ સુરક્ષિત રીતે બચી ગયા તેમાં ડ્રાઈવરનો પણ સમાવેશ થાય છે.
બુલઢાણાના એસપી સુનિલ કડાસેને જણાવ્યું કે, "બસમાં કુલ 33 લોકો મુસાફરી કરી રહ્યા હતા, જેમાંથી 26 લોકોના મોત થયા અને 8 લોકો ઘાયલ થયા. બસનો ડ્રાઈવર બચી ગયો અને તેણે કહ્યું કે ટાયર ફાટ્યા બાદ બસ પલટી ગઈ, જેના કારણે બસમાં આગ લાગી.
Maharashtra | A total of 33 people were travelling on the bus out of which 25 people died and 8 people sustained injuries. The driver of the bus also survived and said that the bus overturned after a tyre burst leading to flames in the bus: Buldhana SP Sunil Kadasane
— ANI (@ANI) July 1, 2023
બુલઢાણાના એસપી સુનીલ કડાસેને જણાવ્યું હતું કે, "બસ નાગપુરથી પુણે જઈ રહી હતી ત્યારે લગભગ 1:30 વાગે અકસ્માત થયો હતો. ડ્રાઇવરે જણાવ્યું કે ટાયર ફાટવાને કારણે આ અકસ્માત થયો હતો, જેના કારણે બસમાં આગ લાગી હતી. બાદમાં કારની ડીઝલ ટાંકીમાં આગ લાગી હતી. મૃતકોમાં ત્રણ બાળકો અને બાકીના પુખ્ત વયના છે. અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
આ પેસેન્જર બસ નાગપુરથી પુણે જઈ રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો. સ્થાનિક અહેવાલો અનુસાર, બસ વિદર્ભ ટ્રાવેલ્સની હતી. સિંદખેડ રાજા નજીક પિંપલખુટા ગામ પાસે સમૃદ્ધિ મહામાર્ગ એક્સપ્રેસ વે પર બસ રોડ ડિવાઈડર સાથે અથડાઈ હતી. જે બાદ બસમાં આગ લાગી હતી.
પોલીસ અને સ્થળ પર હાજર લોકોના જણાવ્યા અનુસાર, બસ પહેલા નાગપુર-ઔરંગાબાદ રોડની જમણી બાજુના લોખંડના પોલ સાથે અથડાઈ અને પછી ડિવાઈડર સાથે અથડાઈ.
Maharashtra | At least 25 people feared dead and several injured after a bus carrying 32 passengers burst into flames on Samruddhi Mahamarg expressway in Buldhana. The injured are being shifted to Buldhana Civil Hospital: Dy SP Baburao Mahamuni, Buldhana
— ANI (@ANI) July 1, 2023
(Warning: Disturbing… pic.twitter.com/NLo8pcqpz3
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
