બુલંદશહર હિંસાઃ ઈન્સ્પેક્ટર સુબોધનો અંગૂઠો કાપીને લટકેલો હતો, શરીર પર હતા 18 ઘા
ઉત્તરપ્રદેશના બુલંદશહરમાં થયેલી હિંસામાં શહીદ થયેલ સ્યાના પોલિસ સ્ટેશનના ઈન્સ્પેક્ટરના પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ફોરેન્સિક વિભાગની વીડિયોગ્રાફીમાં ચોંકાવનારા ખુલાસા થયા છે.
ઉત્તરપ્રદેશના બુલંદશહરમાં થયેલી હિંસામાં શહીદ થયેલ સ્યાના પોલિસ સ્ટેશનના ઈન્સ્પેક્ટરના પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ફોરેન્સિક વિભાગની વીડિયોગ્રાફીમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. સ્યાના પોલિસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર સુબોધ કુમારનો અંગૂઠો કાપીને લટકેલો હતો અને શરીર પર 18 ઘા હતા.

શરીર પર મળ્યા હતા 18 ઘા
મીડિયાના સમાચારો અનુસાર, ફોરેન્સિક ટીમ પ્રભારી સુરેન્દ્ર કુમારની માનીએ તો ઈન્સ્પેક્ટર સુબોધ કુમારના માથામાં ત્રણ ઊંડા ઘા હતા. ગોળી દિમાગમાં ફસાયેલી હતી. બંને આંખોની નીચે ઈજાના નિશાન હતા. અંગૂઠો કાપીને લટકેલો હતો. પીઠ પર લાઠી અને પત્થરોના 7 નિશાન હતા. ડાબા પગના ઘૂંટણ પાછળ ચાર નિશાન હતા. તમને જણાવી દઈએ કે સ્યાના ઈન્સ્પેક્ટર સુબોધ કુમારના પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં તેમના માથામાં ગોળી વાગવા અને ઈજાની પુષ્ટિ થઈ છે.

32 બોરની પિસ્ટલમાંથી ચાલી હતી ગોળી
પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર શહીદ ઈન્સ્પેક્ટર સુબોધ કુમાર તેમજ ભાજપ કાર્યકર્તા સુમિતને એક જ હથિયારથી ગોળી વાગી છે. સૂત્રોની માનીએ તો ઈન્સ્પેક્ટર સુબોધ કુમાર અને ભાજપ કાર્યકર્તા સુમિતને .32 બોરની પિસ્તોલથી ગોળી મારવામાં આવી હતી. ઘટનાના ઘણા વીડિયો અને નજરે જોનાર સાક્ષીઓના નિવેદનથી માલુમ પડ્યુ છે કે ઈન્સ્પેક્ટરને ગોળી મારતા પહેલા બહુ ખરાબ રીતે મારવામાં આવ્યા. ભીડ એટલી હદે ઉગ્ર થઈ ગઈ હતી કે ઈન્સ્પેક્ટર સુબોધ કુમાર એકલા જ રહી ગયા હતા. સાથી પોલિસકર્મી પોતાનો જીવ બચાવવા માટે તેમને એકલા છોડીને ભાગી ગયા હતા. સુબોધ કુમારની સર્વિસ રિવોલ્વર પણ તેમની પાસેથી મળી નથી.

ચમન, દેવેન્દ્ર, આશિષ ચૌહાણ અને સતીશની થઈ ધરપકડ
એડીજી લૉ એન્ડ ઓર્ડર આનંદકુમારે કહ્યુ કે કયા સંગઠનના લોકો આમાં શામેલ હતા તેના પર કંઈ પણ કહેવુ અત્યારે વહેલુ ગણાશે. બુલંદશહર હિંસા અંગે 50થી 60 અજ્ઞાત લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ચમન, દેવેન્દ્ર, આશિષ ચૌહાણ અને સતીશની ધરપકડ કરવામાં આવી છે. આ બધાના નામ એ 27 લોકોમાં છે જેમની સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી.

NHRC એ યુપી સરકાર અને પોલિસ પ્રમુખને જાહેર કરી નોટિસ
આયોગના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ, ‘એનએચઆરસીએ મીડિયા રિપોર્ટો પર જાતે સંજ્ઞાન લીધુ અને ઉત્તરપ્રદેશના મુખ્ય સચિવ તથા પોલિસ મહાનિર્દેશકને નોટિસ આપીને આ ઘટના અંગે ઉપદ્રવીઓ સામે કરેલી કાર્યવાહી સહિત એક વિસ્તૃત રિપોર્ટ માંગ્યો છે.' આયોગે નોટિસમાં કહ્યુ છે કે આ હિંસક વિરોધ અને ઉગ્ર ભીડ દ્વારા કરાયેલ ઉપદ્રવની વધુ એક ઘટના છે જેનાથી અરાજકતા અને સંવેદનશીલ મુદ્દાઓ તથા પરિસ્થિતિને પહોંચી વળવામાં પ્રશાસનની નિષ્ફળતા દેખાઈ રહી છે.

શું હતો સમગ્ર મામલો
બુલંદશહરના સ્યાના પોલિસ સ્ટેશન ક્ષેત્રની ચિંગરાવઠી પોલિસ ચોકી ક્ષેત્રમાં સોમવારની બપોરે ગોકશીની સૂચના પર જોરદાર બબાલ થઈ હતી. આ દરમિયાન ચિંગરાવટી ગામમાં મોટી સંખ્યામા હિંદુવાદી સંગઠન અને ગ્રામીણો ભેગા થઈ ગયા. ગુસ્સામાં લોકોએ ચિંગરાવટી ચાર રસ્તા જામ કરી દીધા અને પોલિસ ચોકીમાં રહેલા વાહનોને આગ ચાંપી દીધી. આ ઘટનામાં સ્યાના ઈન્સ્પેક્ટર સુબોધ કુમાર અને ભાજપ કાર્યકર્તા સુમિત કુમારનું મોત થઈ ગયુ હતુ. આ મામલે પોલિસ તપાસ કરી રહી છે. ચિંગરાવટી ગામમાં સતત છાપેમારી ચાલુ છે.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
