નીતિશે ઉડાવી મોદીના વિકાસ મૉડલની મજાક, કહ્યું 'રનવે ની ભેંસે' ઉઘાડી પૉલ
પટના, 8 નવેમ્બર: બિહારના પૂર્વ સીએમ નીતિશ કુમાર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે કડવાહટથી બધા વાકેફ છે. બંને નેતા પોત-પોતાના રાજ્યોના વિકાસ માટે જાણીતા છે પરંતુ બંને એકબીજાને પસંદ કરતા નથી એટલા માટે ભલે પીએમ મોદી નીતિશ કુમાર પર કોઇ ટિપ્પણી ના કરે પરંતુ નીતિશ કુમાર વડાપ્રધાન પર કંઇપણ કહેવાની તક છોડતા નથી.
નીતિશ કુમારે પોતાના ફેસબુક વોલ પર પીએમ મોદીની જોરદાર મજાક ઉડાવી છે. તેમણે ઉડ કે દેખો ભેંસો કે સાથ મેં, કુછ દિન તો ગુજારો ગુજરાત મેં! શીર્ષક સાથે મોદીની સાથે અમિતાભ બચ્ચન પર પણ નિશાન તાક્યું છે. નીતિશ કુમારે લખ્યું છે કે સુરતના રનવે પર આવેલી ભેંસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે વિકાસ મોડલના જોરદાર ધજાગરા ઉડાવ્યા હતા.
નીતિશ કુમારે લખ્યું છે કે આ મોદી સરકારની સત્યતા છે, જેના લીધે ફ્લાઇટમાં બેઠેલા બધા 150 યાત્રીઓનો જીવ જોખમમાં મુકાઇ ગયો હતો. લોકસભા ચૂંટણીમાં સોશિયલ મીડિયા પર ફોટોશોપના માધ્યમથી એડિટ કરેલો ફોટો અપલોડ કરીને નરેન્દ્ર મોદીએ દેશની જનતાને મૂર્ખ બનાવી દિધા છે પરંતુ હવે જનતા સમક્ષ તેમની સચ્ચાઇ ઉજાગર થઇ ગઇ છે.

વિકાસ મોડલના નામ પર મોદીએ જનતાને બનાવ્યા મૂર્ખ
અત્રે ઉલ્લેખનીય છે કે ગુરૂવારે રાત્રે સ્પાઇસજેટ જેટનું એક વિમાન સુરત એરપોર્ટ પર એક ભેંસ સાથે ટકરાઇ ગયું હતું. બોઇંગ 737-800 વિમાન ઉડાન નંબર એસજી 622માં 150 મુસાફરો અને ચાલક દળના છ સભ્યો હતા. બધા સુરક્ષિત બચી ગયા. વિમાન સુરતથી નવી દિલ્હી માટે ઉડાન ભરવાનું હતું. ત્યારબાદ કેન્દ્રિય નાગરિક ઉડ્ડયન મંત્રી અશોક ગજપતિ રાજૂઈ શુક્રવારે સ્પાઇસજેટ કેસ અને હવાઇપટ્ટી પર સુરક્ષા ખામીઓ સંબંધી ઘટનાઓની ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપ્યા છે. આ ઘટના બાદ કંપની સ્પાઇજેટે સુરતથી પોતાની સેવા અનિશ્વિતકાળ માટે સ્થગિત કરી દિધી છે.
સુરક્ષા વિશેષજ્ઞોએ કહ્યું કે આ ઘટના એક મોટા અકસ્માતમાં ફેરવાઇ શકતી હતી, કારણ કે વિમાન જ્યારે ઝડપી ગતિ હોય તો પશુને બચાવવાના પ્રયત્નમાં તે પલટી ખાઇ શકે અથવા હવાઇપટ્ટી પરથી દૂર જઇ શકે છે.
ડીસીજીએના પૂર્વ પ્રમુખ એચ.એસ. ખોલાએ કહ્યું કે '' આ ગંભીર મુદ્દો છે. તેમાં ઘણા જીવ જઇ શકતા હતા. એરપોર્ટના અધિકારીઓને દિવાલ બનાવી અથવા અન્ય રીતે હવાઇપટ્ટીથી સુરક્ષા માનકોને સુનિશ્વિત કરવા જોઇએ. એવી ઘટનાઓ તે હવાઇમથકો પર વધુ થાય છે, જેની આસપાસ ગામ હોય છે. આવી સ્થિતીમાં રખડતા ઢોરોને બહાર રાખવા માટે જરૂરી વ્યવસ્થા કરવી જોઇએ.''
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
