આ બજેટથી ગરીબોને બળ મળશે, યુવાઓને સારું ભવિષ્ય મળશે: પીએમ મોદી
નાણામંત્રી નિર્મલા સીતારમને આજે મોદી સરકારના બીજા કાર્યકાળનું પહેલું બજેટ રજુ કર્યું છે, જેમાં ઘણી ઘોષણાઓ કરવામાં આવી છે.
નાણામંત્રી નિર્મલા સીતારમને આજે મોદી સરકારના બીજા કાર્યકાળનું પહેલું બજેટ રજુ કર્યું છે, જેમાં ઘણી ઘોષણાઓ કરવામાં આવી છે. આ બજેટ પર પીએમ મોદીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ દેશને સમૃદ્ધ અને દરેક લોકોને સમર્થ બનાવતું બજેટ છે. આ બજેટથી ગરીબોને બળ મળશે અને યુવાઓને સારું ભવિષ્ય મળશે. પીએમ મોદીએ કહ્યું કે આ બજેટથી મધ્યમ વર્ગ આગળ વધશે વિકાસના કામમાં ગતિ આવશે. તેની સાથે સાથે ટેક્સ સ્ટ્રકચર અને જરૂરી ઢાંચાઓમાં આધુનિકરણ આવશે. પીએમ મોદી ઘ્વારા આગળ જણાવવામાં આવ્યું કે ન્યૂ ઈન્ડિયા માટે બજેટમાં દેશના કૃષિક્ષેત્રને બદલવાનો રોડમેપ છે.

આપને જણાવી દઈએ કે બજેટ રજુ કરતા નિર્મલા સીતારમન ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે સસ્તા ઘર ખરીદનારને ટેક્સ છૂટ મળશે. 4.5 લાખનું ઘર ખરીદવા પર વ્યાજ પર 3.5 લાખની છૂટ મળશે, જે પહેલા 2 લાખની છૂટ હતી. એટલું જ નહીં પરંતુ ઈલેક્ટ્રિક કાર્સ પર 5 ટકા જીએસી કરી દેવામાં આવ્યો છે. ઈ-વ્હિકલ્સ પર જીએસટીને 12 ટકાથી ઘટાડી 5 ટકા કરી દેવામાં આવ્યો.
આ પણ વાંચો: 'અન્નદાતા'ને 'ઉર્જાદાતા' બનાવવાને લઈ નાણામંત્રીએ બજેટમાં ખેડૂતો માટે કર્યું આ મોટું એલાન
નાણામંત્રી નિર્મલા સીતા રમન ઘ્વારા જાહેરાત કરવામાં આવી છે કે વર્ષ 2014 પછી 9.6 કરોડ શૌચાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. 5.6 લાખ ગામો આજે દેશમાં ખુલ્લામાં શૌચ કરવાથી મુક્ત થઇ. નિર્મલા સીતારમણ ઘ્વારા જણાવવામાં આવ્યું કે પાણી માટે જલશક્તિ મંત્રાલયની રચના કરવામાં આવી, જળ આપૂર્તિના લક્ષ્યને લાગૂ કરવામાં આવી રહ્યો છે. 1500 બ્લૉકની ઓળખ કરવામાં આવી, સરકારનો લક્ષ્ય 2024 સુધી દરેક ઘરમાં જળ પહોંચાડવાની છે.
લોકસભા નિર્મલા સીતારમણ ઘ્વારા મધ્યમ વર્ગ માટે એક મોટી જાહેરાત કરતા જણાવવામાં આવ્યું કે 5 લાખ સુધીની આવક ધરાવતા લોકોને કોઈ ટેક્સ આપવાની જરૂર નથી.
આ પણ વાંચો: બજેટ 2019: દરેક નાગરિકને 2024 સુધી સ્વચ્છ પીવાનું પાણી મળશે
નાણામંત્રી નિર્મલા સીતારમન ઘ્વારા જણાવવામાં આવ્યું કે ઉજ્જવલા યોજના અને સૌભાગ્ય યોજના ઘ્વારા દેશમાં ઘણા બદલાવ આવ્યા છે. નિર્મલા સીતા રમન ઘ્વારા જાહેરાત કરવામાં આવી છે કે 400 કરોડ રૂપિયા સુધીના ટર્નઓવર પર 25% કોર્પોરેટ ટેક્સ લાગશે.
આ પણ વાંચો: આશા, વિશ્વાસ અને આકાંક્ષાથી આપણે 50 ખરબ ડૉલરની અર્થવ્યવસ્થા બનીશુઃ સીતારમણ
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં










Click it and Unblock the Notifications
