'અન્નદાતા'ને 'ઉર્જાદાતા' બનાવવાને લઈ નાણામંત્રીએ બજેટમાં ખેડૂતો માટે કર્યું આ મોટું એલાન
'અન્નદાતા'ને 'ઉર્જાદાતા' બનાવવાને લઈ નાણામંત્રીએ બજેટમાં ખેડૂતો માટે કર્યું આ મોટું એલાન
નવી દિલ્હીઃ દેશના પહેલા ફુલ ટાઈમ મહિલા નાણા મંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળનું પહેલું બજેટ રજૂ કર્યું. આ દરમિયાન તેમણે કેન્દ્ર સરકારની ઉપલબ્ધીઓનો ઉલ્લેખ કરતા 2019-20ના બજેટમાં ખેડૂતો માટે કેટલીક ઘોષણા કરી છે. નાણામંત્રી સીતારમણે કહ્યું કે, 'અમે કૃષિના બુનિયાદી માળખામાં વ્યાપક રૂપે રોકાણ કરીશું. અન્નદાતાને ઉર્જાદાતા બનાવવા પર કામ થશે. ખેડૂતોના ઉત્પાદનથી જોડાયેલ કામમાં પ્રાઈવેટ ઉદ્યમિતાને પ્રોત્સાહન આપવામાં આવશે.'

અન્નદાતાને ઉર્જાદાતા બનાવાશે
નાણામંત્રી નિર્મલા સીતારમણે એલાન કર્યું કે અમે ખેડૂતોની ઉપજ વધારવા ઉપરાંત પ્રાઈવેટ ઉદ્યમિતાનું સમર્થન કરશું અને જેનાથી ખેડૂતોના ઉત્પાદનમાં વધારાને સુવિધા મળશે. આની સાથોસાથ ખેડૂતો માટે સહયોગી ગતિવિધિઓ પર બળ આપવામાં આવશે, જેમ કે વાંસ, લાકડી અને નવીકરણીય ઉર્જા પેદા કરવાના અવસર પણ ઉપલબ્ધ કરાવશું. તેમણે કહ્યું કે અન્નદાતાને ઉર્જાદાતા કેમ ન બનાવી શકાય?

કૃષિની સંરચનામાં રોકાણ વધારવામાં આવશે
નાણા મંત્રીએ પોતાના બજેટમાં ખેડૂતો માટે મોટું એલાન કર્યું કે, 'કૃષિની સંરચનામાં રોકાણને પ્રોત્સાહન આપવામાં આવશે. 10 હજાર નવા કિસાન ઉત્પાદક સંઘ બનશે. કોર્પોરેટિવ દ્વારા ડેરી ઉદ્યોગને પ્રોત્સાહનનો પ્રસ્તાવ છે. કૃષિ સંરચનામાં પણ મોટા રોકાણનું લક્ષ્ય છે. જીરો બજેટ ફાર્મિંગ દ્વારા ખેડૂતોની આવક બેગણી કરવામાં મદદ મળશે.'

ખેડૂતોની આવક બેગણી કરવાની કોશિશ
નાણામંત્રીએ કહ્યું કે, 'ખેડૂતોના જીવન અને વ્યવસાય આસાન બનાવવા માટે કામ કરવામાં આવશે. આઝાદીની 75મી વર્ષગાંઠ સુધી ખેડૂતોની આવક બેગણી કરવાની કોશિશ થશે.' નિર્મલા સીતારમણે કહ્યું કે, 2024 સુધી ગામના દરેક ઘરમાં પાણી પહોંચાડવામાં આવશે. જેમાં દરેક ઘરમાં ટાકાથી પાણી પહોંચાડવામાં આવશે. આ કામ જળ જીવન મિશન અંતર્ગત કરવામાં આવશે. આમાં દરેક ઘર સુધી પીવાનું પાણી પહોંચાડવાની કોશિશ રહેશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
