પાકિસ્તાની રેંજર્સને જડબાતોડ જવાબ આપનારા બીએસએફના હેડ કોંસ્ટેબલ સુશીલકુમાર શહીદ
જમ્મૂ-કાશ્મીરના આરએસપુરા સેકટરમાં પાકિસ્તાન તરફથી થયેલા ફાયરિંગમાં હેડકોંસ્ટેબલ સુશીલકુમાર શહીદ થઇ ગયા છે....
જમ્મૂ-કાશ્મીરના આરએસપુરા સેકટરમાં પાકિસ્તાન તરફથી થયેલા ફાયરિંગમાં હેડકોંસ્ટેબલ સુશીલકુમાર શહીદ થઇ ગયા છે. ઉલ્લેખનીય છે કે શુક્રવારે રાત્રે પાકિસ્તાન તરફથી સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતુ, જેમાં સુશીલકુમારને ગોળી વાગી હતી.

હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત
તમને જણાવી દઇએ કે હેડ કોંસ્ટેબલ સુશીલકુમાર હરિયાણાના કુરુક્ષેત્ર વિસ્તારના રહેવાસી હતા અને ફાયરિંગ દરમિયાન તેમને છાતીના ઉપરના ભાગમાં ગોળી વાગી હતી. તેમનું આજે પોસ્ટમોર્ટમ થશે ત્યારબાદ તેમને અંતિમ સલામી આપવામાં આવશે. શુક્રવારે રાતથી જમ્મૂના આરએસ પુરા, પુલવામા, પર્ગવાલ અને અખનૂર સેક્ટરમાં 20 થી વધુ બીએસએફ પોસ્ટ અને ગામોમાં ફાયરિંગ થઇ રહી છે, જેનો જડબાતોડ જવાબ આપણા દેશના જવાનો આપી રહ્યા છે.

પાકિસ્તાને આખી રાત છોડ્યા મોર્ટાર શેલ
જમ્મૂ કાશ્મીરની સરહદે આરએસપુરા સેક્ટરમાં પાકિસ્તાન તરફથી રવિવાર સાંજે અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે હીરાનગરમાં ભારતીય જવાનોએ 7 પાકિસ્તાની રેંજરો અને એક આતંકવાદીને ઠાર માર્યા હતા. આ જ કારણે પાકિસ્તાન ભડકેલુ છે અને તે સતત આંતરરાષ્ટ્રીય સીમા પર સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે.
પાકિસ્તાન તરફથી સતત થઇ રહેલ નાપાક હરકતોનો ભારતીય જવાનો જડબાતોડ જવાબ આપી રહ્યા છે. સમાચાર એજંસી મુજબ પાકિસ્તાનીઓએ મોર્ટાર શેલનો ઉપયોગ કર્યો છે. આ પહેલા શુક્રવારે પણ પાકિસ્તાને જમ્મૂ કાશ્મીરના કઠુઆ નજીક હીરાનગરમાં ફાયરિંગ બાદ ઘુસણખોરી કરી હતી.

જો પાકિસ્તાન ભારતીય સૈનિકોને નિશાન બનાવશે તો બીએસએફ ઉઠાવશે કડક પગલા
7 પાકિસ્તાની રેંજર્સ અને 1 આતંકવાદીને માર્યા બાદ બીએસએફ એ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો પાકિસ્તાની સૈનિકો ભવિષ્યમાં બીએસએફ જવાનોને નિશાન બનાવશે તો તેમણે તેની ભારે કિંમત ચૂકવવી પડશે. બીએસેફના અધિક મહાનિર્દેશક જનરલ અરુણકુમારે આ વાત પાકિસ્તાની ફાયરિંગમાં શહીદ થયેલા બીએસએફ જવાન ગુરનામ સિંહના મૃતદેહ પર પુષ્પચક્ર અર્પણ કરતી વખતે કહી હતી.

ગુરનામ શુક્રવારે જમ્મૂની કઠુઆ બૉર્ડર પર પાકિસ્તાની ફાયરિંગનો શિકાર બન્યા હતા અને રવિવારે સવારે તેઓ શહીદ થઇ ગયા હતા. અરુણ કુમારની માનીએ તો, ' જો પાકિસ્તાની સૈનિક ભારતીય જવાનો સામે કંઇ પણ કરવાની કોશિશ કરશે તો તેમને જડબાતોડ જવાબ આપવામાં આવશે. અમે તેના માટે બધી રીતે તૈયાર છે. ' આ તરફ પાકિસ્તાને રવિવારે પણ સીઝફાયરનું ઉલ્લંઘન ચાલુ રાખ્યુ છે અને આંતરરાષ્ટ્ર્રીય સીમા પર સંઘર્ષવિરામનું ઉલ્લંઘન પણ કર્યુ હતુ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
