ગુરુમૂર્તિને આરબીઆઇ બોર્ડમાં શામિલ કરવું ખોટું: સુબ્રમણિયમ સ્વામી
ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણિયમ સ્વામી હંમેશા પોતાની પાર્ટીની મુસીબત ઉભી કરવા માટે ઓળખાય છે.
ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણિયમ સ્વામી હંમેશા પોતાની પાર્ટીની મુસીબત ઉભી કરવા માટે ઓળખાય છે. ફરી એકવાર તેમને પાર્ટી માટે મુસીબત ઉભી કરતા કહ્યું કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસ ભ્રષ્ટાચાર આરોપમાં લિપ્ત છે. તેવી પરિસ્થિતિમાં તેમને આરબીઆઇ ગવર્નર બનાવવાનું ચોંકાવનારું છે. સુબ્રમણિયમ સ્વામીએ શક્તિકાંત દાસ પર લાગેલા આરોપો વિશે હજુ સુધી કઈ જ નથી કહ્યું. ધ્યાન આપવા જેવી બાબત છે કે આ પહેલા પણ સ્વામી શક્તિકાંત દાસ પર આરોપો લગાવી ચુક્યા છે.

શક્તિકાંત દાસ ભ્રષ્ટ વ્યક્તિ છે
એક બિઝનેસ સ્કૂલ કાર્યક્રમમાં બોલતા સ્વામીએ કહ્યું કે આરબીઆઇ નવા ગવર્નર ઘણા જ ભ્રષ્ટ છે. મેં તેમને નાણાં મંત્રાલયથી હટાવ્યા હતા, હું શક્તિકાંત દાસને એક ભ્રષ્ટ વ્યક્તિ માનુ છું. તેવી પરિસ્થિતિમાં તેમને આરબીઆઇ ગવર્નર પદ પર જોઈને હેરાન છું. જયારે સ્વામીને પૂછવામાં આવ્યું કે આખરે કોને આરબીઆઇ ગવર્નર બનાવવા જોઈએ તેના જવાબમાં તેમને કહ્યું કે આઇઆઇએમ બેંગ્લોર પ્રોફેસર આર વિદ્યનાથન આ પદ માટે યોગ્ય વ્યક્તિ છે. પ્રોફેસર આર વિદ્યનાથન એક સારો વિકલ્પ છે. તેની સાથે સાથે સ્વામીએ કહ્યું કે એસ ગુરુમૂર્તિને આરબીઆઇ બોર્ડમાં શામિલ કરવું એક મોટી ભૂલ છે.
આ પણ વાંચો: લોકસભા 2019: બિહારમાં NDAનું સીટ શેરિંગ ફાઈનલ, ભાજપ-જેડીયૂ 17 અને એલજેપી 6 સીટ પર લડશે
ચિદમ્બરમ મામલે પણ બોલ્યા હતા
સ્વામીએ કહ્યું કે મેં ચિદમ્બરમ વિરુદ્ધ પણ કોર્ટમાં ભ્રષ્ટાચાર મામલે કેસ નોંધાવ્યો હતો અને શક્તિકાંત દાસે તેમાં હસ્તક્ષેપ કરવાની કોશિશ કરી હતી. ત્યારપછી મેં તેમને તરત નાણાં મંત્રાલયથી હટાવ્યા હતા જયારે શક્તિકાંત દાસ ચેન્નાઈમાં હતા ત્યારે જે તેઓ ભ્રષ્ટાચાર મામલે જોડાયેલા હતા. જયારે સ્વામીને પૂછવામાં આવ્યું કે શુ વર્ષ 2019 ચૂંટણીમાં ભાજપ ફરી સત્તામાં આવશે? તેના જવાબમાં તેમને કહ્યું કે સરકાર સામે કોઈ પણ પ્રકારની નારાજગી નથી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
