નહેરૂના નેશનલ હેરાલ્ડનો કાળો ઇતિહાસ અને હેરાલ્ડ ગોટાળો

જવાહર લાલ નહેરૂને જ્યારે દેશના વડાપ્રધાનમંત્રી બનાવવામાં આવ્યા તો તેમણે તંત્રીપદેથી રાજીનામું આપી દિધું અને ત્યારબાદ રામ રાવને નેશનલ હેરાલ્ડના તંત્રી બનાવવામાં આવ્યા. ઓગષ્ટ 1942 બાદ જ્યારે બ્રિટિશોએ ઇન્ડિયા પ્રેસ પર હુમલો કર્યો તો તે દરમિયાન હેરાલ્ડ સમાચારપત્રને પણ બંધ કરવું પડ્યું. હેરાલ્ડને વર્ષ 1942થી માંડીને 1945 સુધી સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું. વર્ષ 1945ના અંતિમ મહિનાઓમાં એકવાર ફરી નેશનલ હેરાલ્ડની શરૂઆત કરવામાં આવી.
બીજી શરૂઆત પાસે આશા
નેશનલ હેરાલ્ડની બીજી શરૂઆતમાં કોંગ્રેસના ફિરોજ ગાંધીએ વર્ષ 1946માં સમાચારપત્રની કમાન મેનેજિંગ ડિરેક્ટરના રૂપમાં સંભાળી. આ સમય માનિકોંડા ચલાપતિ રાવને તંત્રીનો પદભાર આપવામાં આવ્યો. અત્યાર સુધી હેરાલ્ડની બે આવૃતિ લખનઉ અને દિલ્હીથી નિકળવા લાગ્યા હતા. નેશનલ હેરાલ્ડને હિન્દીમાં નવજીવન અને ઉર્દૂ ભાષામાં કોમી અવાજના નામથી પણ નિકાળવામાં આવતું હતું.
આ કહેવું ક્યારેય અતિશ્યોક્તિ નહી હોય કે નેશનલ હેરાલ્ડ સંપૂર્ણપણે કોંગ્રેસી સમાચારપત્ર હતું. ભારતના આઝાદ થયા પછી ફરી એકવાર બંધ કરવાની નોબત આવી ગઇ હતી. વર્ષ 1977માં જ્યારે લોકસભા ચૂંટણીમાં ઇન્દિરા ગાંધીની હાર થઇ હતી તો પણ આ સમાચારપત્રને બે વર્ષ માટે બંધ કરવામાં આવ્યું હતું. અહીંથી હેરાલ્ડનો કાળો ઇતિહાસ શરૂ થઇ ગયો હતો.
ઇન્દિરા બાદ ડૂબી ગઇ નાવડી
ઇન્દિરા ગાંધીની હાર બાદ પૂર્વ વડાપ્રધાનમંત્રી રાજીવ ગાંધીએ નેશનલ હેરાલ્ડની કમાન સંભાળી પરંતુ ત્યાં સુધી વાતાવરણ બિલકુલ બદલાઇ ગયું હતું. વર્ષ 1998માં લખનઉ આવૃતિને બંધ કરી દેવામાં આવી અને ફક્ત દિલ્હી આવૃતિ જ બજારમાં આવતું રહ્યું.
જણાવી દઇએ કે 1 એપ્રિલ, વર્ષ 2008ને નેશનલ હેરાલ્ડને બોર્ડ સભ્યોએ એ વાતની જાહેરાત કરી દિધી કે હવે હેરાલ્ડની દિલ્હી આવૃતિને પણ બંધ કરવામાં આવી રહી છે. કહેવામાં આવે છે કે પ્રિંટ ટેક્નોલોજી અને કોમ્યુટર ટેક્નોલોજીમાં સુધારો ન થવાના કારણે તેને બંધ કરવામાં આવ્યું. નેશનલ હેરાલ્ડને જ્યારે બંધ કરવામાં આવ્યું તો તે સમયે તેના એડિટર ઇન ચીફ ટીવી વેંકેટાચલ્લમ હતા.
શું છે હેરાલ્ડ ગોટાળો
વર્ષ 2008માં નેશનલ હેરાલ્ડને બંધ કર્યા બાદ તેનો માલિકી હક એસોસિએટેડ જર્નલ્સને આપવામાં આવ્યો હતો. નેશનલ હેરાલ્ડને ચલાવનાર કંપની એસોસિએટ જર્નલ્સે કોંગ્રેસ પાર્ટી પાસે વ્યાજ વિના 90 કરોડની લોન લીધી. કોંગ્રેસે લોન તો આપી દિધી અને તેનું કારણ જણાવ્યું કે કર્મચારીઓનું બેરોજગાર થતાં બચવું.
અહીં પ્રશ્ન ઉદભવે છે કે લોન આપ્યા બાદ પણ સમાચારપત્ર કેમ શરૂ ન થયું. ત્યારબાદ 26 એપ્રિલ 2012 કોનેશનલ હેરાલ્ડનો માલિકી હક યંગ ઇન્ડિયાને આપવામાં આવ્યો. તમને જણાવી દઇએ કે યંગ ઇન્ડિયા કંપનીમાં 76 ટકા શેર સોનિયા અને રાહુલ ગાંધીના છે.
યંગ ઇન્ડિયાએ હેરાલ્ડની 1600 કરોડની પરિસંપત્તિઓને ફક્ત 50 લાખમાં મળી. હવે ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીનો આરોપ છે કે ગાંધી પરિવારે હેરાલ્ડની સંપત્તિઓને ગેરકાયદેસર રીતે ઉપયોગ કર્યો છે. ત્યારબાદ સુબ્રમણ્યમ સ્વામી આ વિવાદને લઇને 2012માં કોર્ટ પહોંચી ગઇ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
