રેલ રોકો આંદોલનઃ રાકેશ ટિકેતે કહ્યુ - ભારત સરકારે હજુ અમારી સાથે કોઈ વાત નથી કરી
ખેડૂત નેતા રાકેશ ટિકેતનુ કહેવુ છે કે ભારત સરકારે હજુ અમારી સાથે કોઈ વાત કરી નથી.
લખનઉઃ ખેડૂતોએ આજે 6 કલાક સુધી રેલ રોકો આંદોલનનુ એલાન કર્યુ છે. જે હેઠળ સવારે 10 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી દેશભરમાં ઠેર-ઠેર ટ્રેનો રોકવાની ઘોષણા કરવામાં આવી છે. આ દરમિયાન ભારતીય ખેડૂત યુનિયનના નેતા રાકેશ ટિકેતનુ નિવેદન સામે આવ્યુ છે. ટિકેતે કહ્યુ કે આ આંદોલન અલગ-અલગ જિલ્લાઓમાં અલગ-અલગ જગ્યાએ થશે. તેમણે કહ્યુ કે આખા દેશમાં ત્યાંના લોકોને ખબર રહે છે કે અમારા ક્યાં ટ્રેન રોકવાની છે. રાકેશ ટિકેતનુ કહેવુ છે કે ભારત સરકારે હજુ અમારી સાથે કોઈ વાત કરી નથી.

સંયુક્ત કિસાન મોરચાનો દાવો - શાંતિપૂર્ણ રહેશે આંદોલન
સંયુક્ત કિસાન મોરચાએ એલાન કર્યુ છે કે બંધ સંપૂર્ણપણે શાંતિપૂર્ણ રહેશે. સાથે જ બંધ દરમિયાન કોઈ પણ પ્રકારની હિંસા કે તોડફોડ ન કરવાની સૂચના પહેલા જ આપી દેવામાં આવી છે. સંયુક્ત કિસાન મોરચાએ કહ્યુ છે કે બંધ દરમિયાન જરુરી અને ઈમરજન્સી સેવાઓને કોઈ પણ રીતે અટકાવવામાં આવશે નહિ.
યુપીમાં એલર્ટ, લખનઉમાં કલમ 144 લાગુ
ઉત્તર પ્રદેશના એડીજી કાયદો-વ્યવસ્થા પ્રશાંત કુમારે કહ્યુ કે ખેડૂત આંદોલનના કારણે એલર્ટ આપવામાં આવ્યુ છે. અધિકારીઓને ખેડૂત સંગઠનોના પદાધિકારીઓને આંદોલનમાં અરાજક તત્વોના ગરબડ કરવાની સંભાવના સાથે જોડાયેલા તથ્યોની માહિતી આપવા અને શાંતિ-વ્યવસ્થા જાળવી રાખવા માટે તેમના સતત સંપર્કમાં રહેવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. ક્યાંય પણ ગરબડ કરનાર તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
લખીમપુર ખીરી મામલે અજય મિશ્રાના રાજીનામાની માંગ
ખેડૂતોએ લખીમપુર ખીરી હિંસા મામલે ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના રાજીનામાની માંગ કરીને રેલ રોકો આંદોલનનુ એલાન કરી દીધુ છે. ખેડૂતોએ આજે 6 કલાક સુધી રેલ રેકો આંદોલનનુ એલાન કર્યુ છે. જે હેઠળ સવારે 10 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી દેશભરમાં ઠેર-ઠેર ટ્રેનો રોકવાની ઘોષણા કરી છે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ









Click it and Unblock the Notifications
