પીએમ મોદી પર વાંધાજનક ટીપ્પણી કરનાર લેખક સામે રસ્તા પર ઉતર્યા ભાજપના કાર્યકરો, 311 સામે FIR
તમિલનાડુમાં ચેન્નઈ પોલીસે ભાજપના 311 કાર્યકરો વિરૂદ્ધ કેસ નોંધ્યો છે. જેમાં પાર્ટીના રાષ્ટ્રીય સચિવ એચ.રાજાનો સમાવેશ થાય છે. પોલીસે બુધવારે મરિના બીચ પર ભાજપના કાર્યકરોને કસ્ટડીમાં લીધા હતા.
તમિલનાડુમાં ચેન્નઈ પોલીસે ભાજપના 311 કાર્યકરો વિરૂદ્ધ કેસ નોંધ્યો છે. જેમાં પાર્ટીના રાષ્ટ્રીય સચિવ એચ.રાજાનો સમાવેશ થાય છે. પોલીસે બુધવારે મરિના બીચ પર ભાજપના કાર્યકરોને કસ્ટડીમાં લીધા હતા. તે સમયે આ લોકો તમિલ લેખક નેલાઇ કન્નન સામે વિરોધ કરી રહ્યા હતા. કન્નન એ જ લેખક છે જેમને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ સામે વાંધાજનક ટિપ્પણી કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે બુધવારે પેરાબુરથી કન્નનની ધરપકડ કરી હતી. હકીકતમાં, રવિવારે તિરુનેલવેલીમાં નાગરિકતા સુધારો કાયદાની વિરુદ્ધ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બાદ કન્નનના કથિત ભાષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. કન્નન પર બે સમુદાયો વચ્ચે હિંસા ભડકાવવા અને શાંતિનો ભંગ કરવાના ઇરાદાપૂર્વક અપમાન સહિત ઘણા આરોપો મૂકવામાં આવ્યા છે.
Tamil Nadu: Chennai police files cases against 311 BJP workers including party's national general secretary H Raja. BJP workers were detained by the police yesterday at Marina Beach while they were protesting against Nellai Kannan over his remarks against PM Modi & HM Amit Shah.
— ANI (@ANI) January 2, 2020
સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અહેવાલ મુજબ કન્નને વડા પ્રધાન મોદી અને અમિત શાહ વિરુદ્ધ મુસ્લિમો કેમ કાર્યવાહી નથી કરી રહ્યા તે અંગે "આશ્ચર્ય" વ્યક્ત કર્યો હતો.
આ મીટિંગમાં કન્નને અમિત શાહ પર આરોપ લગાવ્યો હતો કે તેમણે વડા પ્રધાન મોદીને પોતાના નિયંત્રણમાં રાખ્યા છે. ભાજપના રાષ્ટ્રીય સચિવ એચ.રાજાએ તામિલનાડુ પોલીસની તમિલ લેખકના વિવાદિત નિવેદનમાં તેમની ધરપકડ કરવાની માંગ કરી હતી. તેમણે કહ્યું હતું કે મેં તમિલનાડુ પોલીસના ડાયરેક્ટર જનરલને વોટ્સએપ અને ઓનલાઇન ફરિયાદ કરી છે. હું તમિલનાડુ સરકારને તાકીદે કાર્યવાહી કરવા વિનંતી કરું છું.
પોલીસે તમિલ લેખક વિરુદ્ધ કલમ 504, 505 અને 505 (2) હેઠળ કેસ નોંધ્યો હતો. પોલીસ તેમને પકડવા પહોંચી ત્યારે કન્નનને છાતીમાં દુખાવો હોવાનું જણાવ્યું હતુ. ત્યારબાદ તેમને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
PM Modi Meeting: 'Lockdownની અફવાઓ પર લગામ', PMની મુખ્યમંત્રીઓ સાથે અઢી કલાક ચાલી બેઠક, આપ્યા 8 સંદેશ-List -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો










Click it and Unblock the Notifications
