'આયુષ્માન ભારત' લોન્ચ કર્યા બાદ નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ થયા પીએમ મોદી
‘આયુષ્માન ભારત' આરોગ્ય યોજના શરૂ કરવા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે શાંતિ નોબેલ પુરસ્કારની માંગ કરવામાં આવી છે.
'આયુષ્માન ભારત' આરોગ્ય યોજના શરૂ કરવા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે શાંતિ નોબેલ પુરસ્કારની માંગ કરવામાં આવી છે. તમિલનાડુ ભાજપ અધ્યક્ષ તમિલસાઈ સુંદરરાજને આયુષ્માન ભારત યોજના શરૂ કરવા માટે પીએમ મોદીને નોબલ શાંતિ પુરસ્કાર 2019 માટે નોમિનેટ કર્યા છે. તેમણે પીએમ મોદી માટેના આ નોમિનેશનમાં લોકોને શામેલ થવા માટે અપીલ પણ કરી છે.

તમિલનાડુ ભાજપ અધ્યક્ષે કરી નોબેલ શાંતિ પુરસ્કાર 2019 આપવાની માંગ
તમિલનાડુ ભાજપ તરફથી અપાયેલ જાહેરાતમાં કહેવામાં આવ્યુ છે કે દુનિયાની સૌથી મોટી આરોગ્ય યોજના પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના - ‘આયુષ્માન ભારત' ની શરૂઆત કરવા માટે ડૉ. તમિલિસાઈ સુંદરરાજને પીએમ મોદીને નોબેલ શાંતિ પુરસ્કાર 2019 માટે નોમિનેટ કર્યા છે. તેમણે લોકોને અપીલ પણ કરી છે કે તેઓ આની સાથે જોડાય.

50 લાખ લોકો સુધી યોજના પહોંચાડવાનો દાવો
પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના અંતર્ગત આવનાર આયુષ્માન ભારતની શરૂઆત પીએમ મોદીએ કરી કે જે દુનિયાની સૌથી મોટી આરોગ્ય યોજના ગણાવાઈ રહી છે. સરકારનો દાવો છે કે આ યોજનાથી દેશના કરોડો લોકો લાભ લઈ શકશે. રાંચીથી આ યોજનાની શરૂઆત કરતી વખતે પીએમે કહ્યુ કે આયુષ્માન ભારત દેશના ગરીબ વ્યક્તિને મળશે.

13 હજાર હોસ્પિટલોને જોડવામાં આવી
પીએમ મોદીએ કહ્યુ હતુ કે આ યોજના સાથે દેશની 13 હજાર હોસ્પિટલોને જોડવામાં આવી છે. તેમણે કહ્યુ કે ‘સબકા સાથ સબકા વિકાસ' ના સિદ્ધાંત પર ચાલતા આ યોજના દ્વારા બધા જાતિ-ધર્મના લોકોને ઈલાજ મળશે. કોઈની સાથે ભેદભાવ કરવામાં નહિ આવે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
