MeToo પર અમિત શાહનું મોટુ નિવેદનઃ ‘એમ જે અકબર પરના આરોપોની થશે તપાસ'
કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી એમજે અકબરની મુશ્કેલીઓ સતત વધતી જોવા મળી રહી છે. અમિત શાહે કહ્યુ છે કે એમજે અકબર પર લાગેલા આરોપીની તપાસ થશે.
દેશમાં ચાલી રહેલા #MeToo કેમ્પેઈન બાદ વિવાદોમાં ઘેરાયેલા કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી એમજે અકબરની મુશ્કેલીઓ સતત વધતી જોવા મળી રહી છે. અમિત શાહે કહ્યુ છે કે એમજે અકબર પર લાગેલા આરોપીની તપાસ થશે. આ સાથે જ શાહે એ પણ કહ્યુ કે એ પણ જોવાનું રહેશે કે મંત્રી સામે લગાવાયેલા આરોપમાં કેટલી સચ્ચાઈ છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં એમજે અકબર પર 4 મહિલાઓએ યૌન શોષણના આરોપ લગાવ્યા છે.

તે વ્યક્તિના પોસ્ટની સત્યતા તપાસવી પડશે જેણે આરોપ લગાવ્યા છે
શુક્રવારે એમ જે અકબર લાગેલા આરોપો પર બોલતા અમિત શાહે કહ્યુ કે જોવુ પડશે કે આ સત્ય છે કે અસત્ય. અમારે એ વ્યક્તિની પોસ્ટની સત્યતા તપાસવી પડશે જેણે આ આરોપ લગાવ્યા છે. તમે મારો નામનો પણ ઉપયોગ કરીને ગમે તે લખી શકો છો. જો કે તેમણે તપાસની વાત પર કહ્યુ કે, ‘આના પર જરૂર વિચારીશુ. યૌન શોષણના આરોપથી ઘેરાયેલા એમ જે અકબર પર ભાજપના મોટા નેતાઓ તરફથી આ પહેલી પ્રતિક્રિયા છે.'

સોશિયલ મીડિયા પર અવિશ્વસનીય આરોપ લગાવવામાં આવી શકે છે
અમિત શાહે કહ્યુ કે સોશિયલ મીડિયા એક એવુ પ્લેટફોર્મ છે જ્યાં અવિશ્વસનીય આરોપ લગાવવામાં આવી શકે છે. પરંતુ તેમના આ નિવેદને ભાજપમાં એક ચર્ચા શરૂ કરવાનું કામ જરૂર કર્યુ છે. શાહે સ્પષ્ટ કર્યુ છે કે એમ જે અકબર પર લાગેલા આરોપો બાદ એક નકારાત્મક સંદેશ જઈ રહ્યો છે અને પાર્ટી આ અંગે ચિંતિત છે. વળી, કેન્દ્રીય સામાજિક ન્યાય તેમજ સશક્તિકરણ રાજ્યમંત્રી રામદાસ આઠવલેનું કહેવુ છે કે અકબરે રાજીનામુ આપવુ જોઈએ જો તેમની સામેના આરોપો સાચા સાબિત થાય તો. તેમણે કહ્યુ કે અકબરનો પક્ષ સાંભળવો પણ જરૂરી છે.

સરકારે ચાર સભ્યોની સમિતિની રચનાનો કર્યો આદેશ
અમિત શાહનું આ નિવેદન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના #MeToo અભિયાનને સમર્થન આપ્યા બાદ આવ્યુ છે. આ મુદ્દે મોદી સરકારના મંત્રી ઘેરાયા બાદ ભાજપ તરફથી કોઈ પણ મોટા નેતા નિવેદન આપવાથી બચી રહ્યા હતા. વળી, વિપક્ષી રાજકીય દળ એમ જે અકબરના રાજીનામાની માંગ કરી રહ્યા છે. શુક્રવારે આ વિશે કેન્દ્રીય મહિલા તેમજ બાળ કલ્યાણ મંત્રી મેનકા ગાંધીએ કહ્યુ કે, આ સમિતિમાં સેવાનિવૃત્ત જજો અને કાનૂની બાબતોના વિશેષજ્ઞોને શામેલ કરવામાં આવશે. આ સમિતિ આરોપોની તપાસ કરશે અને બાદમાં આના પર સુનાવણી પણ કરશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
