છત્તીસગઢ માટે અમિત શાહે જાહેર કર્યો ભાજપનો ઘોષણાપત્ર, આપ્યા આ વચનો
ભાજપ અધ્યક્ષ અમિત શાહે ઘોષણાપત્ર જાહેર કરીને કહ્યુ કે છત્તીસગઢમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર અને તેમના 15 વર્ષ દેશમાં કલ્યાણ રાજ્ય કેવી રીતે બનાવી શકાય તેનુ સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ છે.
છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે પોતાનો ઘોષણાપત્ર જાહેર કરી દીધો છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહે ઘોષણાપત્ર જાહેર કરીને કહ્યુ કે છત્તીસગઢમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર અને તેમના 15 વર્ષ દેશમાં કલ્યાણ રાજ્ય કેવી રીતે બનાવી શકાય તેનુ સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ છે. ભાજપની સરકારે ડૉ. રમન સિંહના નેતૃત્વમાં છત્તીસગઢને બદલવાનો ભરપૂર પ્રયાસ કર્યો છે. જ્યારે છત્તીસગઢ અલગ રાજ્ય નહોતુ ત્યારે તેને બીમારુ રાજ્ય માનવામાં આવતુ હતુ. પરંતુ ગયા 15 વર્ષોમાં રમન સિંહ સરકારે વિકાસ કાર્યો કર્યા.

નવા છત્તીસગઢના નિર્માણની ચૂંટણી
અમિત શાહે કહ્યુ કે રમન સિંહ સરકારે રાજ્યની સૌથી મોટી સમસ્યા નક્સલવાદને લગભગ ખતમ કરવાનું કામ કર્યુ છે. ડૉ. રમન સરકાર રાજ્યને હવે ડિજિટલ બનાવવા લાગી ગઈ છે. આ ચૂંટણી નવા છત્તીસગઢના નિર્માણની ચૂંટણી છે. કેન્દ્ર અને રાજ્યની સરકારો મળીને છત્તીસગઢને આગળ લઈ જવા માટે એકસાથે કામ કરશે.
|
મફત મીઠાની યોજના આગળ પણ ચાલુ રહેશે
છત્તીસગઢમાં સૌથી પહેલુ કામ અંત્યોદયને અમે પ્રાથમિકતા આપી છે. એક રૂપિયે કિલો મીઠા જેવી યોજનાઓ. રમન સરકારે કૃષિનો ખર્ચ ઓછો કરવા માટે સૌથી સારુ કામ કર્યુ છે. મનરેગામાં વધુ 50 દિવસનો રોજગાર આપવામાં આવશે. રમન સિંહે ઘોષણાપત્રમાં કરાયેલા વચનોની વાત કરતા કહ્યુ કે ખેડૂતોને ટેકાના ભાવ અને ખેડૂતોને ખરીદીની પૂરતી વ્યવસ્થા રાજ્ય સરકારે કરી. 32 લાખ લોકો માટે મફત મીઠાની યોજના આગળ પણ ચાલુ રહેશે.
|
કોંગ્રેસનો ઘોષણા પત્ર જનતા સાથે છેતરપિંડી
આ સાથે સાથે છત્તીસગઢના ખેડૂતો માટે યોજનાઓમાં 60 વર્ષોથી વધુ ઉંમરના ખેડૂતોને દર મહિને હજાર રૂપિયાનું પેન્શન આપવામાં આવશે. રાજ્યને જૈવિક ખેતી માટે વિકસિત કરવામાં આવશે. છત્તીસગઢનો વિશ્વપટલ પર પર્યટક સ્થળ તરીકે વિકાસ કરવામાં આવશે. બાળ સુવર્ણ અને બાલ હ્રદય યોજનાને આગળ વધારવાનું કામ કરશે. રમન સિંહે કહ્યુ કે કોંગ્રેસે ઘોષણાપત્રમાં જે વાત કહી છે તે જનતા સાથે સંપૂર્ણપણે છેતરપિંડી છે પરંતુ ભાજપે જે સંકલ્પ પત્ર જાહેર કર્યો છે તેને પૂરો કરવામાં આવશે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
