પી ચિદમ્બરમનો ફરીથી મોટો હુમલો, બોલ્યા - કેબિનેટ નહિ ભાજપ નક્કી કરે છે કાયદો બનશે કે નહિ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમે ફરીથી કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ છે.
નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે આંદોલનકારી ખેડૂતોની માંગોને માનીને ત્રણે કૃષિ કાયદા પાછા લેવાનુ એલાન કર્યુ. પીએમ મોદીના અચાનક આ નિર્ણયને આગામી ચૂંટણી સાથે જોડીને જોવામાં આવી રહ્યુ છે. વળી, વિપક્ષે કેન્દ્ર સરકાર પર મનમાનીનો આરોપ લગાવીને મોટો હુમલો કર્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમે કહ્યુ કે કેબિનેટની મંજૂરી વિના જ આ સરકારમાં નિર્ણય લેવામાં આવે છે.

શુક્રવારે ટ્વિટર દ્વારા પીએમ મોદી પર કટાક્ષ કર્યા બાદ કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમે આજે(શનિવાર) એ ફરીથી નિશાન સાધીને કહ્યુ કે પીએમ મોદીએ કેબિનેટની બેઠકમાં આના પર ચર્ચા કર્યા વિના જ આટલી મોટી ઘોષણા કરી દીધી. પી. ચિદમ્બરમે કહ્યુ, 'શું તમે જોયુ કે પીએમ(મોદી)એ કેબિનેટની બેઠક કર્યા વિના ઘોષણા કરી? આ માત્ર ભાજપ હેઠળ છે કે કાયદો કેબિનેટની પૂર્વ મંજૂરી વિના બનાવવો અને પાછો લેવામાં આવે છે.' આ પહેલા કોંગ્રેસ નેતાએ પીએમ મોદીના ભાષણ બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પર તેમના ટ્વિટ વિશે પણ હુમલો કર્યો હતો.
આજે પણ પોતાના ટ્વિટમાં તેમણે કટાક્ષ કરીને લખ્યુ, 'ગૃહમંત્રી'એ 'ઉલ્લેખનીય રાજ્ય કૌશલ' બતાવવા માટે પીએમની ઘોષણાની પ્રશંસા કરી...ભાજપ અધ્યક્ષે કહ્યુ કે પીએમને 'ખેડૂતો'ની ખૂબ ચિંતા છે...સંરક્ષણ મંત્રીએ કહ્યુ કે પીએમે 'ખેડૂતોના કલ્યાણ' માટે નિર્ણય લીધો છે.' એક અન્ય ટ્વિટમાં ચિદમ્બરમે આગળ કહ્યુ, 'છેલ્લા 15 મહિનામાં ક્યાં હતા આ યોગ્ય નેતા અને તેમની બુદ્ધિશાળી સલાહ? શું તમે ધ્યાન આપ્યુ કે પીએમે કેબિનેટની બેઠક કર્યા વિના ઘોષણા કરી? આ માત્ર ભાજપને આધીન છે કે કેબિનેટની પૂર્વ સ્વીકૃતિ વિના કાયદો બનાવવામાં આવે કે ના આવે.'
Home Minister hailed the PM’s announcement as showing ‘remarkable statesmanship’
— P. Chidambaram (@PChidambaram_IN) November 20, 2021
BJP President said that PM has ‘immense care for farmers’
Defence Minister said that PM had taken the decision considering the ‘welfare of the farmers’
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
