કેજરીવાલે બીજેપી પર કસ્યો સકંજો, કહ્યું- દિલ્હીને કચરાનુ શહેર બનાવવા પર તુલી છે ભાજપ
એક્સાઈઝ કૌભાંડને લઈને ભાજપ આમ આદમી પાર્ટી પર પ્રહારો કરી રહી છે. જેના કારણે હવે AAPએ પણ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના કામનો પર્દાફાશ શરૂ કરી દીધો છે, કારણ કે તેમાં લાંબા સમયથી ભાજપનું શાસન છે. ગુરુવારે, દિલ્હીના ડેપ્યુટ
એક્સાઈઝ કૌભાંડને લઈને ભાજપ આમ આદમી પાર્ટી પર પ્રહારો કરી રહી છે. જેના કારણે હવે AAPએ પણ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના કામનો પર્દાફાશ શરૂ કરી દીધો છે, કારણ કે તેમાં લાંબા સમયથી ભાજપનું શાસન છે. ગુરુવારે, દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ એક પ્રેસ કોન્ફરન્સમાં આરોપ લગાવ્યો કે ભાજપ રાજધાનીમાં 16 કચરાના પહાડો બનાવવાની યોજના બનાવી રહી છે, જ્યારે ત્રણ વિશાળ કચરાના પહાડો હજુ પણ ઉભા છે. જેના કારણે અહી પ્રદુષણ ફેલાય છે અને આસપાસના લોકો બીમાર પડી રહ્યા છે. હવે આ મુદ્દે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ પર વળતો પ્રહાર કર્યો છે.

કેજરીવાલે ટ્વીટ કરીને લખ્યું છે કે જો દિલ્હીમાં કચરાના વધુ 16 પહાડો હશે તો દિલ્હી કચરાનું શહેર બની જશે. આપણે દિલ્હીને તિરંગાનું શહેર, તળાવોનું શહેર, બગીચાઓનું શહેર, સારી શાળાઓનું શહેર, સારી હોસ્પિટલોનું શહેર બનાવી રહ્યા છીએ, પરંતુ આ લોકો (ભાજપ) દિલ્હીને કચરાનું શહેર બનાવવા પર તલપાપડ છે. દરેક કોલોનીમાં કચરાનો પહાડ બનાવવા માંગીએ છીએ. બીજી તરફ, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ કચરાના પહાડની સામે બીજેપી વિરુદ્ધ પ્રદર્શન કર્યું, જેના કારણે ત્યાં મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા. કચરાના પહાડની સામે ઉભેલા સૈનિકોનો ફોટો શેર કરતા કેજરીવાલે લખ્યું કે દેશની પોલીસને માતા-બહેનોની સુરક્ષા માટે તૈનાત કરવી જોઈએ કે કચરાના પહાડોની સુરક્ષા માટે? શુ ચાલી ર0હ્ય઼ુ છે?
બીજેપી પર નિશાન સાધતા સિસોદિયાએ કહ્યું કે દિલ્હીમાં ત્રણ કચરાના પહાડ છે, જેની અસર લોકોના સ્વાસ્થ્ય પર પડી રહી છે. આ ત્રણ પર્વતો દર્શાવે છે કે ભાજપે 17 વર્ષમાં વેસ્ટ મેનેજમેન્ટ માટે શું કર્યું છે. અત્યારે ત્રણ પર્વતો તેમને સંભાળી શકતા નથી અને તેમણે 16 નવી જગ્યાઓ બનાવવાની તૈયારી કરી લીધી છે. તેમણે કહ્યું કે જો ભાજપની આ યોજના સફળ થશે તો આખી દિલ્હી બરબાદ થઈ જશે. દરેક જગ્યાએ કચરો અને દુર્ગંધ જોવા મળશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
