દિલ્હીમાં હર્ષવર્ધન બને CM, કેજરીવાલ ઇનસાઇડ લોકપાલ
[અજય મોહન] દિલ્હી વિધાનસભા વેરાન પડી છે. સદનને જરૂર છે એક સારી સરકારની, પરંતુ એકપણ રાજકીય પાર્ટી એટલી બહુમત નથી મેળવી શક્યો કે વિધાનસભા ભવનની અંદર પ્રવેશ કરી શકે. જનતા પણ વિચારમાં પડી ગઇ છે કે આખરે હવે થશે શું? તેવામાં દિલ્હીની ચૂંટણીના ખર્ચને બચાવવા માટે એક સૂચન જરૂરથી આપી શકાય છે અને એ છે ભારતીય જનતા પાર્ટીની સરકાર બની જાય અને આમ આદમી પાર્ટીનું નાક પણ બચી જાય.

સરકાર પર નજર રાખવી, જે કામ કેજરીવાલ વિપક્ષમાં બેસીને કરવાનું વિચારી રહ્યાં છે, તે સરકારની અંદર રહીને વધારે સારી રીતે કરી શકશે. અંદર રહીને તે દરેક પગલાને જોઇ શકશે કે કયા મંત્રાલયમાં શું ચાલી રહ્યું છે અને ક્યાંક ભ્રષ્ટાચાર તો નથી થઇ રહ્યોને. એટલું જ નહીં, વિજળી, પાણીનું જે વચન તેમણે જનતાને આપ્યું છે, એ વચનને તે પૂર્ણ પણ કરી શકે છે. પોતાની સ્ટ્રે્ટેજી ભાજપ સાથે શેર કરી શકે છે, કારણ કે વિપક્ષમાં બેસીને સરકારની ટીકા કરવા કરતા અંદર બેસીને સારા સૂચન આપવા સારા છે. સાથે જે કામ લોકપાલ બહાર બેસીને કરશે, તે કેજરીવાલ અંદર બેસીને કરી શકશે.
આમ આદમી પાર્ટીના લોકોને કદાચ આ વાત મજાક સમાન લાગી શકે છે, પરંતુ માત્ર એટલું જ કહેવા માગીએ છીએ કે જો દિલ્હી પરિવર્તન તરફ આગળ વધી ચુકી છે તો પછી આ પરિવર્તન કેમ નહીં. જો આમ કરવામાં આવે તો દિલ્હીમાં લોકપાલ બનાવવાની જરૂર પણ નહીં રહે.
જો કે આ વાત માત્ર અમે નથી કહીં રહ્યા, પૂર્વ આઇપીએસ કિરણ બેદી પણ કહીં ચૂક્યા છે કે, બન્ને સાથે મળીને સરકાર બનાવે અને બન્નેના શ્રેષ્ઠ નેતાઓને મંત્રી તરીકે પસંદ કરીને શ્રેષ્ઠ ગવર્નેન્સ પ્રદાન કરે. અત્રે નોંધનીય છે કે, નિયમાનુસાર દિલ્હીના ઉપરાજ્યપાલ ભાજપને સરકાર બનાવવા માટે નિમંત્રણ આપશે, જેમાં તેણે પોતાનું બહુમત સિદ્ધ કરવું પડશે. સંખ્યાની વાત કરવામાં આવે તો જ્યારે ધારાસભ્ય ખરા સમયે એબ્સ્ટેન કરી જાય છે, ત્યારે સંખ્યા ઓછી હોવા છતાં પણ સરકાર બનાવવાનું આમંત્રણ પાઠવવામાં આવે છે.
આ તરફ ભાજપના વરિષ્ઠ નેતા નિતિન ગડકરીનું કહેવું છે કે, ઉપરાજ્યપાલનું નિમંત્રણ મળ્યા બાદ બહુમત સાબિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે, પરંતુ જો બહુમત સિદ્ધ નહીં થાય તો વિપક્ષમાં બેસવા માટે તૈયાર છીએ, આવી જ રીતે આમ આદમી પાર્ટીના તમામ નેતા ભાજપ અને કોંગ્રેસથી અંતર બનાવીને બેઠાં છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
