Bihar Election Result 2025 : બિહારમાં ખરાબ હાર બાદ પ્રશાંત કિશોરની પાર્ટીએ શું કહ્યું?
બિહાર વિધાનસભા ચૂંટણી 2025: જન સુરાજ પાર્ટી ચૂંટણીમાં લોકોનો વિશ્વાસ જીતવામાં નિષ્ફળ રહી છે અને હવે તેની હારની સમીક્ષા કરવાની તૈયારી કરી રહી છે. પાર્ટીના પ્રવક્તા પવન વર્માએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, જન સુરાજ આ હારના કારણોની ગંભીરતાથી સમીક્ષા કરશે.
14 નવેમ્બર 2025 ના રોજ પરિણામો જાહેર થયા બાદ વર્માએ સ્વીકાર્યું કે, મોટા અભિયાન અને અપેક્ષાઓ છતાં જન સુરાજ જનતાનો વ્યાપક સમર્થન મેળવી શક્યું નથી.

આજની ચૂંટણીમાં NDA સ્પષ્ટ બહુમતી સાથે ચૂંટણી જીતતું દેખાઈ રહ્યું છે, જ્યારે વિપક્ષી પક્ષોની સ્થિતિ અત્યંત નબળી છે. તાજેતરના આંકડાઓ અનુસાર, NDA 190 થી વધુ બેઠકો પર આગળ છે, જ્યારે વિપક્ષી ઇન્ડિયા ગઠબંધન 40 બેઠકોનો આંકડો પણ પાર કરી શક્યું નથી. NDA માં JDU 78, BJP 91, LJP (રામવિલાસ) 22 અને HAM (S) 5 બેઠકો પર આગળ છે.
બીજી તરફ મહાગઠબંધનમાં RJD 28, કોંગ્રેસ 4 અને CPI (માલે) 3 બેઠકો પર આગળ છે. BSP ને એક, AIMIM ને 5 અને રાષ્ટ્રીય લોક મોરચાને 4 બેઠકો પર સરસાઈ મળી છે. ચૂંટણી પંચના આંકડા દર્શાવે છે કે, પ્રશાંત કિશોરની જન સુરાજ પાર્ટી ખાતું ખોલવા માટે પણ સંઘર્ષ કરી રહી છે.
મીડિયા સાથે વાત કરતા પવન વર્માએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, જન સુરાજે પૂરી ઈમાનદારી અને દ્રઢ વિશ્વાસ સાથે ચૂંટણી લડી, પરંતુ જો જનતાનો વિશ્વાસ ન મળ્યો હોય તો પાર્ટી આત્મનિરીક્ષણ કરશે. પીટીઆઈ અનુસાર, તેમણે જણાવ્યું કે, પ્રયાસોમાં કોઈ કમી નહોતી, પરંતુ પરિણામો અપેક્ષા મુજબના નહોતા. વર્માના મતે ચૂંટણીના આંચકા છતાં જન સુરાજે રોજગાર, સ્થળાંતર, શિક્ષણ અને ભ્રષ્ટાચાર મુક્ત બિહાર જેવા મુદ્દાઓને મુખ્ય પ્રવાહની રાજનીતિમાં મજબૂતીથી સ્થાપિત કર્યા છે.
વર્માએ ભવિષ્યની રણનીતિ અને પ્રશાંત કિશોર (PK) અંગે પણ વાત કરી. તેમણે કહ્યું કે, પાર્ટી તેની ખામીઓની સમીક્ષા કરશે અને આગળ શું કરવું તે અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. તેમણે સ્વીકાર્યું કે, નીતિશ કુમારને બિહારમાં હજુ પણ વ્યાપક સ્વીકૃતિ છે અને જનતાએ તેમને ફરીથી જનાદેશ આપ્યો છે.
પ્રશાંત કિશોર બિહાર છોડી દેશે તેવી અટકળોને નકારી કાઢતા વર્માએ કહ્યું કે, રહેવું કે જવું તે તેમનો અંગત નિર્ણય છે પરંતુ બિહાર અને PK એકબીજાને છોડી શકતા નથી. તેમણે ઉમેર્યું કે, સંપૂર્ણ પરિણામો આવ્યા બાદ PK ભવિષ્યની રણનીતિ અંગે પ્રતિક્રિયા આપશે.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ





Click it and Unblock the Notifications
