બિહાર: 9 બાળકોની મોતના આરોપી BJP નેતાએ કર્યું સરેન્ડર
બિહારમાં 9 બાળકોના મોતના આરોપી તેવા મનોજ ભાટિયાએ સરેન્ડર કર્યું છે. જોકે સરેન્ડર વખતે મનોજ પોતે ગાડી ન ચલાવતો હોવાની વાત કહી છે. જાણો આ સમાચાર અંગે વધુ અહીં.
બિહારના મુઝફ્ફરપુરમાં 9 બાળકોના મોતના આરોપી તેવા ભાજપના નેતા મનોજ ભાટિયાએ છેવટે સરેન્ડર કર્યું છે. શનિવારે બિહારના સીતામઢી અને મુઝફ્ફરપુર વચ્ચે ભીષણ સડક દુર્ઘટના થઇ હતી. જેમાં ભાજપના નેતાની ગાડીએ 9 બાળકોની કચડી નાંખ્યા હતા. અને તેમનું ઘટના સ્થળે જ મોત થઇ ગયું હતું. માનવામાં આવે છે કે ધરમપુર ગામના ભાજપના નેતાની ગાડી એક મહિલાથી ટકરાઇ ગઇ અને પછી ભાગવાના ચક્કરમાં તેમણે રસ્તાના કિનારે ઊભા રહેલા બાળકોને કચડી નાખ્યા. આ માસૂમ બાળકો પોતાની સ્કૂલ પતાવી ઘરે પરત ફરી રહ્યા હતા. નોંધનીય છે કે આ ઘટનામાં 9 બાળકોની મોત થવાની સાથે 15 બાળકો ઇજાગ્રસ્ત પણ છે. જે બતાવે છે કે આ અકસ્માત કેટલો ભયાનક રહ્યો હશે. જો કે ઘટના પછી ભાજપના નેતા ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.
#Muzaffarpur Hit & Run Case: Accused #ManojBaitha admitted at Patna Medical College for treatment of injuries he suffered in the accident, that killed 9 school students, denies driving the vehicle involved in the incident. pic.twitter.com/IBzjEoTmOD
— ANI (@ANI) February 28, 2018
પાછળથી બિહાર પોલીસે દબાવમાં આ મામલે એફઆઇઆર પણ દાખલ કરી હતી. તે પછી બુધવારે મનોજ ભાટિયા કે જેણે આ અકસ્માતમાં 9 બાળકોને કચડી નાંખ્યા હતા તેણે પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. જાણવા તે પણ મળ્યું છે કે અકસ્માત સમયે મનોજ પોતે ગાડી ચલાવી રહ્યા હતા. અને અકસ્માતમાં તેમને પણ ઇજા થઇ હોવાના કારણે સરેન્ડર પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે હોસ્પિટલમા મીડિયા દ્વારા પૂછવામાં આવતા મનોજે અકસ્માતના સમયે પોતે વહાન ચલાવી રહ્યા હોવાની વાતનો નનૈયો ભર્યો હતો. ત્યારે હવે પોલીસ આ મામલે આગળ તપાસ કરશે. જો કે આ અકસ્માત પછી બિહારમાં વિપક્ષ દ્વારા શાસન પક્ષનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. સાથે જ મૃતક બાળકોના પરિવારે આરોપીને સખત સજા આપવાની વાત પણ ઉચ્ચારી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
