પટણા વિસ્ફોટોનો આરોપી NIAની કસ્ટડીમાંથી ફરાર
મુઝફ્ફરપુર, 31 ઓક્ટોબર: ભારતીય જનતા પાર્ટીની હુંકાર રેલી દરમિયાન થયેલા શ્રેણીબદ્ધ બ્લાસ્ટનો એક મહત્વપૂર્ણ આરોપી મેહરે આલમ એનઆઇએની કસ્ટડીમાંથી ફરાર થઇ ગયો છે. મેહરે આલમ મુઝફ્ફરપુર રેલવે સ્ટેશનથી ફરાર થઇ ગયો. તેને ત્રણ દિવસ પહેલા દરભંગાથી પકડી પાડવામાં આવ્યો હતો.
જાણકારી અનુસાર મેહરે આલમ મુઝફ્ફરપુર રેલવે સ્ટેશનથી ફરાર થઇ ગયો. તેનું નામ ઇમ્તિયાઝ સાથેની પૂછપરછમાં સામે આવ્યું હતું, અને ધરપકડ થયા બાદ જ એનઆઇએની ટીમ તેની પૂછપરછ કરી રહી હતી. તેની તપાસ માટે ટીમ બનાવી દેવામાં આવી છે. એનઆઇએનું કહેવું છે કે તેને ટૂંક સમયમાં જ પકડી પાડવામાં આવશે.
એનઆઇએની ટીમે જણાવ્યું કે તેના ગૂમ થયા અંગેની ફરિયાદ દાખલ કરી દેવામાં આવી છે અને તેને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. મેહરે આલમ જ્યાંથી ફરાર થઇ ગયો છે તે મુઝફ્ફરપુર પટણાથી 70 કિલોમીટરના અંતરે આવેલું છે.

અત્રે નોંધનીય બાબત એ છે કે આવતીકાલે રાત્રે નરેન્દ્ર મોદી પટણા જવા માટે રવાના થવાના છે, અને 2 નવેમ્બરના રોજ પીડિતો સાથે મુલાકાત કરશે, અને વિસ્ફોટમાં મૃત્યુ પામેલા લોકોના ઘરે પણ જશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
