ભિવાની હત્યાકાંડઃ હરિયાણાના ટેક્સી ડ્રાઈવરની ધરપકડ, બજરંગ દળના મોનૂ માનેસરની છે નજીક
ભિવાનીના ચકચારી હત્યાકાંડમાં રાજસ્થાન પોલીસે શુક્રવારે હરિયાણાના મેવાતથી રિંકુ સૈની નામના ટેક્સી ડ્રાઈવરની ધરપકડ કરી છે.
Bhiwani deaths case: ભિવાની હત્યાકાંડમાં રાજસ્થાન પોલીસે શુક્રવારે હરિયાણાના મેવાતથી રિંકુ સૈની નામના વ્યક્તિની ધરપકડ કરી છે. હરિયાણાના ભિવાનીમાં મળેલી બોલેરો કારમાં કથિત રીતે મૃત મળેલા બે પીડિતો નાસિર અને જૂનેદના પરિવારજનો દ્વારા નોંધવામાં આવેલ એફઆઈરમાં રિંકુ સૈનીનુ નામ છે. રિંકુ સૈની કથિત રીતે કેસના અન્ય એક આરોપી મોનૂ માનેસરની નજીક ગણાય છે. પોલીસ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

હરિયાણાના નૂંહ જિલ્લાના ફિરોઝપુર ઝિરકા નિવાસી 32 વર્ષીય રિંકુ સૈનીને પૂછપરછ અને અન્ય પુરાવાના આધારે ધરપકડ કરવામાં આવી તેમ રાજસ્થાન પોલીસે એક નિવેદનમાં જણાવ્યુ. પોલીસે કહ્યુ કે રિંકુ સૈની ટેક્સી ડ્રાઈવર, ગાય સંરક્ષણ સમૂહ સાથે જોડાયેલો હતો. પોલીસ આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરશે.રિંકુ ટેક્સી ડ્રાઈવર ગાયના દાણચોરો સામે કામ કરતો હતો તેવુ કહેવામાં આવી રહ્યુ છે.
તમને જણાવી દઈએ કે હરિયાણાના ભિવાનીમાં ગુરુવારે બળી ગયેલી બોલેરોમાં બે હાડપિંજર મળી આવ્યા હતા. તે જ દિવસે રાજસ્થાનના ભરતપુરમાં નોંધાયેલી ગુમ થયેલી વ્યક્તિની એફઆઈઆરમાં કારના એન્જીનનો રજીસ્ટ્રેશન નંબર ટ્રેસ કરવામાં આવ્યો હતો, જેના કારણે બંને રાજ્યોની પોલીસ દ્વારા આ મામલે કાર્યવાહી કરવામાં આવી હતી. રાજસ્થાન પોલીસે ઘટનાની વિગતો ચકાસવા માટે એક ટીમ હરિયાણા મોકલી હતી. હરિયાણાના ભિવાનીના લોહારુ પોલીસ સ્ટેશન વિસ્તારના બરવાસ ગામમાં ગુરુવારે સવારે બળેલી બોલેરો મળી આવી હતી. સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમ સાથે પોલીસ ઘટના સ્થળે પહોંચી.
મૃતકના સંબંધીઓએ આરોપ લગાવ્યો છે કે બજરંગ દળ સાથે જોડાયેલા ગૌ રક્ષકો દ્વારા બંનેનુ ભરતપુરથી અપહરણ કરવામાં આવ્યુ હતુ. આ આરોપો પર પ્રતિક્રિયા આપતા બજરંગ દળે કહ્યુ કે પુરાવા વગર તેની પાર્ટીના સભ્યો સામે કેસ નોંધવો ખોટુ છે. રાજસ્થાનના વરિષ્ઠ પોલીસ અધિકારી શ્યામ સિંહે જણાવ્યુ કે ગોપાલગઢ પોલીસ સ્ટેશનમાં પાંચ લોકો અનિલ, શ્રીકાંત, રિંકુ સૈની, લોકેશ સિંગલા અને મોહિત યાદવ ઉર્ફે મોનુ માનેસર વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે.
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે હત્યાની નિંદા કરી હતી અને આરોપીઓ સામે કડક કાર્યવાહીનુ વચન આપ્યુ હતુ. તેમણે ટ્વિટ કરીને કહ્યુ કે, 'એક આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને બાકીના આરોપીઓની શોધ ચાલુ છે.' વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી) એ ઘટનાની સીબીઆઈ તપાસની માંગ કરી છે અને આરોપ લગાવ્યો છે કે તેની યુવા પાંખ બજરંગ દળનુ નામ 'રાજકીય પૂર્વગ્રહ' ને કારણે આ કેસમાં ખેંચવામાં આવી રહ્યુ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
