‘સુપ્રીમ કોર્ટનો ચુકાદો ગમે તે આવે બાબરી મસ્જિદ અયોધ્યામાં જ બનશે
સુપ્રીમ કોર્ટનો ચુકાદો ભલે ગમે તે આવે પરંતુ બાબરી મસ્જિદ અયોધ્યામાં જ બનશે અને તે જગ્યાએ જ બનશે. અમે ગાંધીના અહિંસક વિચારોને નથી માનતા પરંતુ બંધારણમાં અમને પૂરો ભરોસો છે.
'સુપ્રીમ કોર્ટનો ચુકાદો ભલે ગમે તે આવે પરંતુ બાબરી મસ્જિદ અયોધ્યામાં જ બનશે અને તે જગ્યાએ જ બનશે. અમે ગાંધીના અહિંસક વિચારોને નથી માનતા પરંતુ બંધારણમાં અમને પૂરો ભરોસો છે. સુપ્રીમ કોર્ટ કેન્દ્ર સરકારના દબાણમાં પણ ચુકાદો સંભળાવી શકે છે. આજે દલિતો અને મુસલમાનો પર અત્યાચારો થઈ રહ્યા છે. તાજમહેલનું નિર્માણ મુસલમાનોએ કરાવ્યુ હતુ એટલા માટે તેના બધા પૈસા સરકાર નહિ પરંતુ મુસ્લિમ સમાજને મળવા જોઈએ.' યુપીના કાનપુરમાં આયોજિત 'દલિત-મુસ્લિમ સંમેલન' માં બોલતા આ વિવાદિત નિવેદન ભીમ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેન્દ્ર માને કર્યુ.

દલિત મુસ્લિમ સંમેલનમાં આપ્યુ વિવાદિત નિવેદન
શનિવારે કાનપુરના હલીમ મુસ્લિમ ઈન્ટર કોલેજમાં દલિત-મુસ્લિમ સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ. આ સંમેલનમાં આવેલા લોકોને સંબોધિત કરતા ભીમ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેન્દ્ર માને ઘણા વિવાદિત નિવેદન આપ્યા. તેમણે કહ્યુ કે પંદર ટકા મનુવાદીઓ દેશના 85 ટકા મૂળનિવાસી લોકો પર રાજ કરી રહ્યા છે. અમે વિશ્વાસ અપાવીએ છીએ કે ભલે કોઈ ગમે તેટલુ જોર લગાવી લે પરંતુ બાબરી મસ્જિદ તે જગ્યાએ જ બનશે. આ કાર્યક્રમમાં આસપાસના વિસ્તારોમાંથી પણ લોકો પહોંચ્યા હતા.

દલિત મુસ્લિમ સંમેલનમાં આપ્યુ વિવાદિત નિવેદન
શનિવારે કાનપુરના હલીમ મુસ્લિમ ઈન્ટર કોલેજમાં દલિત-મુસ્લિમ સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ. આ સંમેલનમાં આવેલા લોકોને સંબોધિત કરતા ભીમ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેન્દ્ર માને ઘણા વિવાદિત નિવેદન આપ્યા. તેમણે કહ્યુ કે પંદર ટકા મનુવાદીઓ દેશના 85 ટકા મૂળનિવાસી લોકો પર રાજ કરી રહ્યા છે. અમે વિશ્વાસ અપાવીએ છીએ કે ભલે કોઈ ગમે તેટલુ જોર લગાવી લે પરંતુ બાબરી મસ્જિદ તે જગ્યાએ જ બનશે. આ કાર્યક્રમમાં આસપાસના વિસ્તારોમાંથી પણ લોકો પહોંચ્યા હતા.

દરેક બુથ પર કરીશુ ઈવીએમનો વિરોધ
કાર્યક્રમમાં રાજેન્દ્ર માને કહ્યુ, ‘અમારી ભીમ સેના અને ચંદ્રશેખરની ભીમ આર્મી એક સાથે મળીને કામ કરી રહ્યા છે. અમે ભાજપને કોઈ પણ કિંમતે આ વખતે સત્તા પર આવવા નહિ દઈએ. અમારા સંગઠનના લોકો દરેક બુથ પર ઈવીએમનો વિરોધ કરીશુ અને જરૂર પડી તો ઈવીએમ તોડવાનું પણ કામ કરીશુ. હવે દલિતો અને મુસલમાનો પર કોઈ અત્યાચાર સહન કરવામાં નહિ આવે. અમારી ભીમ સેના અત્યાચાર કરનારાને સીધા યમલોક પહોંચાડે છે. 2 એપ્રિલે ભારત બંધ દરમિયાન દેશમાં જે થયુ તે માત્ર એક ઝલક હતી.'
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
