ભીમ આર્મી ચીફ ચંદ્રશેખરને મળ્યા જામીન, જામા મસ્જિદે જઇ વાંચી સંવિધાનની પ્રસ્તાવના
ભીમ આર્મીના વડા ચંદ્રશેખર આઝાદ દિલ્હીની જામા મસ્જિદ પહોંચ્યા છે. ચંદ્રશેખરે અહીં નાગરિકતા સુધારો અધિનિયમ અને એનઆરસીનો વિરોધ કરી રહેલા લોકોને પોતાનો ટેકો આપ્યો હતો.
ભીમ આર્મીના વડા ચંદ્રશેખર આઝાદ દિલ્હીની જામા મસ્જિદ પહોંચ્યા છે. ચંદ્રશેખરે અહીં નાગરિકતા સુધારો અધિનિયમ અને એનઆરસીનો વિરોધ કરી રહેલા લોકોને પોતાનો ટેકો આપ્યો હતો. જામા મસ્જિદમાં એકઠા થયેલા લોકોને સંબોધન કરતા ચંદ્રશેખરે કહ્યું કે, શાંતિપૂર્ણ વિરોધ એ આપણી તાકાત છે. આ કાયદાની વિરૂદ્ધમાં રહેલા તમામ ધર્મોના લોકોએ અમારી સાથે આવવું જોઈએ અને કહેવું જોઈએ કે મુસ્લિમો આ વિરોધમાં એકલા નથી. આ સમય દરમિયાન ચંદ્રશેખરે બંધારણની પ્રસ્તાવના પણ વાંચી હતી. 26 દિવસ પહેલા સીએએ કાયદાના વિરોધમાં દિલ્હી પોલીસ દ્વારા ચંદ્રશેખરની ધરપકડ કરવામાં આવી હતી. ગુરુવારે જ કોર્ટે દિલ્હી છોડવાની શરતે ચંદ્રશેખરને જામીન આપી દીધા હતા.

ચંદ્રશેખરને ગુરૂવારે મળ્યા છે જામીન
ભીમ આર્મી ચીફ ચંદ્રશેખરને ગુરુવારે રાત્રે તિહાડ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. જે પછી, શુક્રવારે સવારે તેઓ પહેલા દિલ્હીના રવિદાસ મંદિર, ત્યારબાદ ગુરૂદ્વારા અને ચર્ચ ગયા. આ પછી હવે તે જામા મસ્જિદ પહોંચ્યા છે. શુક્રવારે સાંજે, તે સહારનપુરના તેમના ગામ જશે, કારણ કે કોર્ટે ચંદ્રશેખરને ચાર સપ્તાહ માટે દિલ્હી ન આવવાની અને 16 ફેબ્રુઆરી સુધી કોઈપણ વિરોધ પ્રદર્શનમાં ભાગ ન લેવાની શરતે જામીન આપ્યા છે.

ભીમ આર્મીએ જંતર મંતર સુધી કાઢી હતી રેલી
ચંદ્રશેખરની સંસ્થા ભીમ આર્મીએ 20 ડિસેમ્બરના રોજ જામા મસ્જિદથી જંતર મંતર સુધીની સીએએ વિરુદ્ધ એક પદયાત્રા કાઢી હતી. પોલીસે તેની મંજૂરી આપી ન હતી. પોલીસે તેની ધરપકડ કરી હતી. 21 ડિસેમ્બરે ચંદ્રશેખરને અદાલતે ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. આ પછી તેને 16 જાન્યુઆરીએ છૂટા કરવામાં આવ્યો હતો.

જામીનની શરતો વિરૂદ્ધ કરશે અરજી
તીસ હજારી કોર્ટમાંથી શરતી જામીન મેળવ્યા બાદ ચંદ્રશેખરે કહ્યું હતું કે તેઓ આંદોલન ચાલુ રાખશે, જ્યાં સુધી આ કાયદો પાછો ખેંચાય નહીં ત્યાં સુધી બંધારણીય રીતે આંદોલન ચાલુ રાખશે. અમે દેશના ભાગલા પાડવા માંગતા લોકોની વિરુદ્ધ છીએ. તેમણે જામીનની શરતો અંગે કોર્ટમાં અરજી કરવાની પણ જણાવ્યું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
