આસારામની આધ્યાત્મિક ઘુરા તેમની દીકરી ભારતીના શીરે
પાંડખી અને પોતાને ભગવાન ગણાવતા આસારામને સગીરા સાથે દુષ્કર્મ મામલે આજીવન કેસની સજા થતા હવે આગામી 14 વર્ષ સુધી બહાર આવવાનું આસારામ માટે લગભગ અશક્ય છે.
પાંડખી અને પોતાને ભગવાન ગણાવતા આસારામને સગીરા સાથે દુષ્કર્મ મામલે આજીવન કેસની સજા થતા હવે આગામી 14 વર્ષ સુધી બહાર આવવાનું આસારામ માટે લગભગ અશક્ય છે. બીજી તરફ આસારામનો પુત્ર નારાયણ સાંઇ પણ બળાત્કારનો ગંભીર આરોપ છે અને તે હાલ સુરતની લાજપોર જેલમાં છે. ત્યારે આસારામના કરોડો રૂપિયાના સામ્રાજ્યનું શાસન હવે આસારામની 41 વર્ષની દીકરી ભારતીને સોંપવામાં આવી છે. જેમાં દેશ અને વિદેશમાં આવેલા 400 જેટલા આશ્રમની જવાબદારી પણ ભારતી નિભાવશે. કહેવાય છે કે આસારામની આશ્રમની પ્રોપર્ટીની કિંમત અંદાજે 12000 કરોડ રૂપિયા છે અને આ ઉપરાંત, વિવિધ ફિક્સ ડીપોઝીટ તેમજ અન્ય મિલકતો મળીને તેની કિંમત રૂપિયા 15000 કરોડની ઉપરાંત, છે ત્યારે આ તમામ પ્રોપર્ટીનું સંચાલન ભારતીએ તેના હાથમાં લીધુ છે. જો કે આસારામ આશ્રમ આધ્યાત્મિકતા પર ચાલે છે જેથી આસારામની માફક સતસંગની પ્રવૃતિ સંભાળશે.

ભારતીએ તેના પિતાની જેમ પ્રવચનની શરૂઆત કરી દીધી છે
ઉલ્લેખનીય છે કે આસારામની પત્ની લક્ષ્મી પણ મોટેરા આશ્રમ રહે છે પણ તેની તબિયત નાદુરસ્ત રહેતા હવે આસારામને સજા થતા તે સક્રિય થઇ છે અને હવે નિયમિત રીતે સંસ્થાની કામગીરી જોશે અને પ્રવચન પણ આપશે. જો કે છેલ્લાં ત્રણ વર્ષથી ભારતીએ તેના પિતાની જેમ પ્રવચનની શરૂઆત કરી દીધી છે અને તેના ભક્તો પણ નોંધપાત્ર રીતે વધી રહ્યા છે.

ભારતી પણ ચાંદખેડા ખાતે નોંધાયેલા કેસમાં આરોપી
ભારતી પણ ચાંદખેડા ખાતે નોંધાયેલા કેસમાં આરોપી છે અને હાલ તે જામીન પર છે. તેના પર સુરતની યુવતીએ આક્ષેપ લગાવ્યો હતો કે ભારતી પણ આસારામ માટે યુવતીઓ લઇને તેના રૂમમાં લઇ જતી હતી. જો કે આ બાબત સાબિત કરવી પોલીસ માટે ખુબ કઠીન છે. જેથી ભારતીને ખાતરી છે કે હવે આસારામની મિલકતોની તે એકલી વારસદાર છે.

2007થી તેણે પ્રવચન આપવાનું પણ શરૂ કરી દીધુ હતું
ભારતીનો અભ્યાસ એમ કોમ સુધીનો છે અને તેના લગ્ન 1997માં આસારામના ભક્ત પરિવારમાંથી આવતા હેંમત બોરાની સાથે થયા હતા પણ ત્રણ વર્ષમાં જ તેનું લગ્ન જીવન ડામાડોળ થઇ જતા તેણે વર્ષ 2001માં છુટાછેડા લઇ લીધા હતા અને બાદમાં આશ્રમમાં જ રહેતી હતી. અને વર્ષ 2007થી તેણે પ્રવચન આપવાનું પણ શરૂ કરી દીધુ હતું.

આશ્રમ અંગેનો નિર્ણય ટ્રસ્ટી મંડળ દ્વારા
જો કે આ અગે મોટેરા આશ્રમના સંચાલક વિકાસ ખેમકા કહે છે કે હાલ બધા આશ્રમ અંગેનો નિર્ણય ટ્રસ્ટી મંડળ દ્વારા લેવામાં આવે છે અને ભારતીને સમગ્ર વહીવટ સોંપવામાં આવ્યો તે વાત સાવ ખોટી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
