આ જનતા અને દરેક પંજાબીની સરકાર છેઃ ભગવંત માન
પંજાબ વિધાનસભામાં મુખ્યમંત્રીએ કહ્યુ કે છેલ્લા 75 વર્ષમાં પહેલીવાર એ લોકોને રાજ્યની સત્તા મળી છે, જે લોકોના ભલા માટે પ્રતિબદ્ધ છે.

ચંદીગઢ: પંજાબના પ્રાચીન ગૌરવને પુનઃસ્થાપિત કરવા માટે તેમની સરકારની નિશ્ચિત પ્રતિબદ્ધતાને પુનરોચ્ચાર કરતા, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને મંગળવારે કહ્યુ કે તેમના લોહીનુ દરેક ટીપું રાજ્યની પ્રગતિ, સમૃદ્ધિ અને શાંતિ માટે સમર્પિત છે. પંજાબ વિધાનસભામાં મુખ્યમંત્રીએ કહ્યુ કે છેલ્લા 75 વર્ષમાં પહેલીવાર એ લોકોને રાજ્યની સત્તા મળી છે, જે લોકોના ભલા માટે પ્રતિબદ્ધ છે. તેમણે ખેદ વ્યક્ત કર્યો કે અગાઉ આ સત્તા એવા લોકોના હાથમાં હતી જેમણે રાજ્યને લૂંટવામાં અંગ્રેજોને પણ પાછળ છોડી દીધા હતા. માને કહ્યું કે આ જનતા અને દરેક પંજાબીની સરકાર છે, તેથી રાજ્યની સુધારણા માટે કોઈ કસર બાકી રાખવામાં આવશે નહીં.
તેમણે કહ્યુ કે પંજાબ દરેક ક્ષેત્રમાં એકંદરે પ્રગતિ અને સમૃદ્ધિનુ સાક્ષી છે અને આ ગતિ આગામી સમયમાં પણ ચાલુ રહેશે. ભગવંત માને કહ્યુ કે તેમની સરકાર પંજાબને દરેક ક્ષેત્રમાં અગ્રણી રાજ્ય બનાવવા માટે પૂરા દિલથી કામ કરી રહી છે. તેમની સરકારની લોક-મૈત્રીપૂર્ણ પહેલોનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્યમાં વીજ કાપના દિવસો પૂરા થઈ ગયા છે કારણ કે તેમની સરકારના પ્રયાસોને કારણે રાજ્યમાં વીજ ઉત્પાદનમાં 83 ટકાનો વધારો થયો છે. માને કહ્યુ કે તેમની સરકારના અથાગ પ્રયાસોને કારણે લાંબા સમય બાદ વીજ ઉત્પાદન માટે કોલસાનો પુરવઠો શરૂ થયો છે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે 1 જુલાઈથી દર મહિને 300 યુનિટ મફત વીજળી આપવાની બાંયધરી પૂરી કરી છે. માને કહ્યુ કે તે એક સામાન્ય પરિવારમાંથી છે અને સારી રીતે જાણે છે કે લોકોને કઈ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારના સંયુક્ત પ્રયાસોને કારણે પંજાબ દેશમાં રોકાણ માટે સૌથી પસંદગીનું સ્થળ બનીને ઉભરી આવ્યું છે. તેમણે કહ્યું કે ઉદ્યોગ સાહસિકો રાજ્યમાં રોકાણ કરવા માટે તૈયારી કરી રહ્યા છે. ભગવંત માને કહ્યું કે આ રાજ્યને ઉચ્ચ વિકાસના માર્ગે આગળ ધપાવશે અને યુવાનો માટે નવી નોકરીઓનું સર્જન થશે. મુખ્યમંત્રીએ પુનરોચ્ચાર કર્યો હતો કે રાજ્ય સરકારે ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે અને રાજ્યને લૂંટનારા રાજકારણીઓ સામે પગલાં લેવાની ખાતરી કરશે. ભ્રષ્ટ નેતાઓ સામે કડક કાર્યવાહી કરતા અમને કોઈ રોકી શકશે નહીં. મુખ્યમંત્રીએ એમ પણ કહ્યુ હતુ કે રાજ્ય સરકાર ટૂંક સમયમાં તેનો મુખ્ય કાર્યક્રમ 'સરકાર તુમ્હારા દ્વાર' શરૂ કરશે, જે અંતર્ગત રહેવાસીઓને તેમના ઘરઆંગણે સેવાઓ મળશે. તેમણે કહ્યું કે આ યોજના એપ દ્વારા ઓનલાઈન ઉપલબ્ધ થશે અને રહેવાસીઓને માત્ર એક ફોન કૉલ પર યોજનાનો લાભ મળશે.












Click it and Unblock the Notifications
