આસામમાં બીફ પર પ્રતિબંધનો કાયદો, કેમ થઈ રહ્યો છે વિવાદ? - Top News
આસામમાં બીફ પર પ્રતિબંધનો કાયદો, કેમ થઈ રહ્યો છે વિવાદ? - Top News

ઉત્તર પ્રદેશમાં ભાજપની સરકારની બે બાળકોની નવી નીતિનો વિવાદ એક તરફ ચાલી રહ્યો છે, ત્યાં હવે આસામની ભાજપ સરકારના નવા પશુધન સંબંધિત બિલ પર વિવાદ છેડાયો છે.
'ઇન્ડિયન એક્સપ્રેસ'ના રિપોર્ટ મુજબ મુખ્ય મંત્રી હિમંત બિસ્વા શર્મા દ્વારા વિધાનસભામાં લવાયેલા બિલમાં જોગવાઈ છે કે રાજ્યમાં બીફ અથવા તેની બનાવટની વસ્તુઓ હિંદુ, જૈન, શીખ અને બીફ ન ખાતા સમુદાયોની બહુમતી ધરાવનાર વિસ્તારોમાં વેચી નહીં શકાશે.
નવા બિલે પણ ઘણો વિવાદ સર્જ્યો છે. વિપક્ષી દળો પણ આનો વિરોધ કરી રહ્યા છે.
વળી તેમાં એવી પણ જોગવાઈ છે કે સત્ર (વૈષ્ણવી મઠ) અથવા મંદિરોની આસપાસના 5 કિલોમીટરના વિસ્તારમાં બીફ અથવા તેની બનાવટની વસ્તુઓ નહીં વેચી શકાય.
'ધ આસામ કેટલ પ્રિઝર્વેશન બિલ 2021' પશુધન સંબંધિત બીફ મામલેના કતલખાના, સેવન, ગેરકાનૂનીનું નિયમન કરવા લાવવામાં આવ્યું હોવાનું મુખ્ય મંત્રીનું કહેવું છે.
અત્રે નોંધવું કે ઘણા રાજ્યોમાં બીફ (પશુધન કતલ વિરોધી) કાયદા છે. પરંતુ આસામ જે રીતે કેટલાક નિશ્ચિત વિસ્તારોમાં બીફ અથવા તેની વસ્તુઓ મામલે પ્રતિબંધ લાદી રહ્યું છે એવી જોગવાઈઓ તેમાં નથી.
બીજી તરફ વિપક્ષ કૉંગ્રેસે આ બિલનો વિરોધ કર્યો છે. વિપક્ષી નેતા દેબાબ્રત સૈકીયાએ કહ્યું કે આ બિલ ગૌરક્ષા માટે નહીં પણ મુસ્લિમોની લાગણી દુભાવવા લવાયું છે, તેનાથી સમાજમાં વધુ ધ્રુવીકરણ સર્જશે.
- પાંજરામાં નાચતી છોકરીઓ અને બહાર શિકાર માટે તાકી રહેલું ટોળું
- યશપાલ શર્માનું નિધન, 1983ની ક્રિકેટ વિશ્વ કપ જીતનારી ટીમમાં મહત્ત્વનું હતું યોગદાન
નેપાળની સુપ્રીમ કોર્ટે ઓલીના હરીફને પીએમ બનાવવા આદેશ આપ્યો
નેપાળની સુપ્રીમ કોર્ટે સંસદને પુન:સક્રિય કરી ઓલીના હરીફ શેર બહાદુર દેઉબાને વડા પ્રધાન બનાવવા માટે નિર્દેશ આપ્યા છે.
નેપાળમાં છેલ્લા કેટલાક દિવસથી બંધારણીય સંકટ સર્જાયું હતું. કેમ કે કાર્યકારી વડા પ્રધાન કે.પી. શર્મા ઓલીએ રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારીને સંસદ ભંગ કરવા સલાહ આપ્યા બાદ સંસદ ભંગ કરી દેવાઈ હતી.
પાંચ જજોની બંધારણીય પીઠે આ ચુકાદો આપ્યો છે. તેમણે સંસદ ભંગ અને ઓલીની પીએમ તરીકે નિમણૂકને ગેરબંધારણીય ઠેરવી હતી.
કોર્ટના ચુકાદાને પગલે હવે ચૂંટણીઓ નહીં થાય અને સંસદ કાર્યરત થશે. જોકે, દેઉબાને વડા પ્રધાન બનાવવાને લઈને પણ વિવાદ થઈ રહ્યો છે.
- કોરોનાની ત્રીજી લહેર અંગે IMAએ આપી ચેતવણી, શું કહે છે ગુજરાતના ડૉક્ટરો?
- ક્યૂબામાં ઐતિહાસિક વિરોધપ્રદર્શનો, 'વૅકિસન’થી લઈ 'આઝાદી’ સુધીની માગ
ભારતમાં કોરોનાના કેસો ઘટવાની ગતિ ધીમી પડી
https://www.youtube.com/watch?v=mDUbXDT5hR4&t=78s
ભારતમાં કોરોના વાઇરસના કેસોમાં જૂન મહિનાથી સતત ઘટાડો થતો આવ્યો છે. 1 લાખથી નીચે આવીને કેસ હવે પ્રતિદિન 30-40 હજારની સપાટી પર છે.
જોકે,'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ મુજબ ભારતમાં કોરોનાના કેસો ઘટવાની ગતિ ધીમી પડી છે. બીજી તરફ કેરળમાં નવા કેસો હજુ પણ વધી રહ્યા છે અને મહારાષ્ટ્ર તથા આસામમાં કેસો ઘટવાનો દર ઘટ્યો છે.
ભારતમાં 5 જુલાઈથી 11 જુલાઈ દરમિયાન 2.9 લાખ કેસ નોંધાયા છે, જે તેના અગાઉના આ જ સમયગાળાના સપ્તાહ માટે 3 લાખ કેસ હતા. એટલે તેમાં 5.5 ટકાનો ઘટાડો નોંધાયો છે.
જૂન 28થી જુલાઈ 4ના સમયગાળા પછીનો આ સૌથી ઓછો ઘટાડો છે.
બીજી તરફ ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ નવા 32 કેસ નોંધાયા અને એક મૃત્યુ થયું છે.
જેકી ચેન કૉમ્યુનિસ્ટ પાર્ટીમાં જોડાશે?
હૉંગકૉંગસ્થિત હોલીવૂડ સ્ટાર જેકી ચેન ચીનની કૉમ્યુનિસ્ટ પાર્ટીમાં જોડાવા ઇચ્છુક હોવાના સમાચાર છે.
ન્યૂઝ વેબસાઇટ 'મની કંટ્રોલ' અનુસાર જેકી ચેનનું કહેવું છે કે કૉમ્યુનિસ્ટ પાર્ટી સારું કામ કરી રહી છે આથી તેઓ તેના સભ્ય બનવા માગે છે.
જેકી ચેને અગાઉ હૉંગકૉંગમાં થયેલા લોકશાહીતરફી વિરોધપ્રદર્શન સામેના દમનનું સમર્થન કર્યું હતું. જેથી તેમની ઘણી ટીકા થઈ હતી. હવે તેમણે એક ભાષણમાં કૉમ્યુનિસ્ટ પાર્ટીમાં જોડાવાની ઇચ્છા વ્યક્ત કરી છે.


- કોરોના વાઇરસની દવા મળી, જે બચાવી રહી છે લોકોના જીવ
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચી શકાય?
- કોરોના વાઇરસ દૂધની થેલી અને શાકભાજી પર કેટલું જીવે છે?
- કોરોના વાઇરસનો ચેપ આખરે કયા પશુમાંથી ફેલાયો?
https://www.youtube.com/watch?v=CZRuslESZUI
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
