બાબા રામદેવે પ્રેસ કૉન્ફરન્સ કરીને પતંજલિની કોરોનાની દવાના રિસર્ચ પેપર કર્યા જાહેર
યોગ ગુરુ બાબા રામદેવે શુક્રવારે દિલ્લીમાં એક પ્રેસ કૉન્ફરન્સ કરીને પતંજલિની કોરોના વાયરસની દવા પરના રિસર્ચ પેપર જાહેર કર્યા છે.
નવી દિલ્લીઃ યોગ ગુરુ બાબા રામદેવે શુક્રવારે દિલ્લીમાં એક પ્રેસ કૉન્ફરન્સ કરીને પતંજલિની કોરોના વાયરસની દવા પરના રિસર્ચ પેપર જાહેર કર્યા છે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી ડૉ. હર્ષવર્ધન અને નિતિન ગડકરી પણ કાર્યક્રમમાં હાજર રહ્યા. આ દરમિયાન કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને જણાવ્યુ કે ભારતમાં આયુર્વેદની 30 હજાર કરોડ રૂપિયાની અર્થવ્યવસ્થા છે. અધિકૃત આંકડાઓ મુજબ કોરોના મહામારી પહેલા આમાં 15-20 ટકાનો વધારો જોવા મળ્યો હતો જે મહામારી બાદ વધીને 50-90% થઈ ગયો છે. આ એક સંકેત છે કે લોકોએ આનો સ્વીકાર કરી લીધો છે.

તમને જણાવી દઈએ કે બાબા રામદેવની પતંજલિ આયુર્વેદે કોરોના વાયરસની એક દવા કોરોનિલ બનાવી હતી પરંતુ બાદમાં તેના પર સવાલ ઉઠ્યા હતા કે તેમણે આ દવાને કોઈ ક્લિનિકલ ટ્રાયલ વિના બજારમાં વેચવા માટે ઉતારી દીધી છે. જ્યારે પતંજલિએ દાવો કર્યો કે તેમણે આની ક્લિનિકલ ટ્રાયલ કરી છે અને કોરોના સંક્રમિત લોકો પર આની સો ટકા સકારાત્મક અસર થઈ છે. બાબા રામદેવના દાવા બાદ ભારત સરકારના આયુષ મંત્રાલયે આના પર જાણવાજોગ લીધી અને કહ્યુ કે મંત્રાલયને આ અંગે કોઈ માહિતી નથી. મંત્રાલયે આ દવાના પ્રચાર-પ્રસાર પર પણ રોક લગાવી દીધી હતી.
આ પહેલા રામદેવે આરોપ લગાવ્યો હતો કે પતંજલિ આયુર્વેદને વિવાદાસ્પદ કોવિડ-19 પ્રતિરક્ષા બુસ્ટર દવા કોરોનિલ માટે પ્રતિદિન 10 લાખ પેકની માંગ મળી રહી છે. ગયા વર્ષે જૂનમાં સ્વામી રામદેવે દાવો કર્યો હતો કે તેમની દવા કોરોના વાયરસથી પીડિત દર્દીઓને ઠીક કરી શકે છે પરંતુ આયુષ મંત્રાલયે આના વેચાણ પર રોક લગાવી દીધી હતી. જો કે બાદમાં મંત્રાલયે એ સુનિશ્ચિત કર્યુ હતુ કે પતંજલિ આ દવાને ઈમ્યુનિટી બુસ્ટર તરીકે વેચી શકે છે નહિ કે કોરોના વાયરસને ઠીક કરવાની દવા તરીકે. મદ્રાસ ઉચ્ચ ન્યાયલયે પતંજલિને ચેન્નઈ સ્થિત એક કંપની દ્વારા દાખલ અરજી પર 30 જુલાઈ સુધી કોરોનિલ ટ્રેડમાર્કનો ઉપયોગ કરવાથી અટકાવી દીધી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
