સંતો માટે પણ હોવી જોઇએ આચારસંહિતા : બાબા રામદેવ
જયપુર, 8 નવેમ્બર : યોગગુરુ બાબા રામદેવે સાધુઓ પર ઉઠી રહેલા સવાલો પર વિરામ લગાવવાના હેતુથી આજે જણાવ્યું કે સંતો માટે પણ આચારસંહિતા હોવી જોઇએ. તેમણે જણાવ્યું કે સાધુઓ જો પાપ કરે તો તેમને પણ સામાન્ય લોકોને કરવામાં આવતા દંડથી વધારે દંડ આપવો જોઇએ. વર્તમાન સમયમાં ધર્મસત્તા અને રાજસત્તામાં ઘણું પતન થયું છે. તેમાં સુધારો કરવાની જરૂર છે.
તેમણે જણાવ્યું કે હું સીધી રીતે રાજકારણમાં પ્રવેશ કરીશ નહીં. મારી સમક્ષ બે મોટી જવાબદારી છે. તેમાં પહેલી ઋષિ સંસ્કૃતિઓના કર્તવ્યને નિભાવવાની અને બીજી દેશ સમક્ષ ઉભા થયેલા નેતૃત્વ સંકટનું સમાધાન લાવવાની છે. તેમણે નરેન્દ્ર મોદીને ભગવા વસ્ત્રો વગરના ફકીર જણાવ્યા હતા. તેમણે કહ્યું કે મોદી ભ્રષ્ટાચારી કે લુટારા હોઇ શકે નહીં. તેઓ દેશના ભાગલા કરી શકે નહીં. અમે તેમના પર વિશ્વાસ કર્યો છે. પરિવર્તન બંધારણીય રીતે જ આવશે. આ માટે જ નરેન્દ્ર મોદીને ચૂંટવામાં આવે.

તેમણે ગુવાહાટી હાઇકોર્ટ દ્વારા સીબીઆઇને ગેરબંધારણીય ગણાવવાને બંધારણની મોટી ઘટના ગણાવી હતી. તેમણે જણાવ્યું કે સુપ્રીમ કોર્ટે તાત્કાલિક ધોરણે આ અંગે પોતાનો મત વ્યક્ત કરવો જોઇએ. જો કે તેમણે રાજસ્થાનમાં વસુંધરા રાજે અંગે પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપવાનું ટાળ્યું હતું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
