હવે મેનકા ગાંધી અને આઝમ ખાનના પ્રચાર કરવા પર EC એ પ્રતિબંધ લગાવ્યો
ઉત્તરપ્રદેશના પૂર્વ મંત્રી આઝમ ખાનને કાલ સવારથી 72 કલાક માટે પ્રચાર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જયારે કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી પર 48 કલાકનો પ્રચાર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બસપા સુપ્રીમો માયાવતી તેમના ભડકાઉ ભાષણોને કારણે પ્રતિબંધિત કર્યા પછી હવે ઉત્તરપ્રદેશના પૂર્વ મંત્રી આઝમ ખાનને કાલ સવારથી 72 કલાક માટે પ્રચાર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જયારે કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી પર 48 કલાકનો પ્રચાર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ બંને નેતાઓ કોઈ પણ પ્રકારની ચૂંટણી રેલી અથવા ચૂંટણી પ્રચારમાં ભાગ નહીં લઇ શકે.
આ પણ વાંચો: યુપીમાં ભાજપને હરાવવા માટે કોંગ્રેસે આ રીતે બિછાવી માયાજાળ

જયાપ્રદા માટે અભદ્ર ટિપ્પણી
આપને જણાવી દઈએ કે ચૂંટણી પંચે આઝમ ખાન ઘ્વારા રામપુરમાં ભાજપા ઉમેદવાર જયાપ્રદા વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણીને કારણે પ્રતિબંધ લગાવ્યો છે. આઝમ ખાને ભાજપા ઉમેદવાર જયાપ્રદા માટે અભદ્ર ટિપ્પણી કરી હતી. ચૂંટણી પંચે તપાસમાં જોયું કે રામપુરથી સપા ઉમેદવાર આઝમ ખાને ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું છે. આઝમ ખાને લોકોને સંબોધન કરતા કહ્યું હતું કે અધિકારીઓથી ડરવાની જરૂર નથી.
|
માટે મેનકા ગાંધીના ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ
બીજી બાજુ મેનકા ગાંધી પર પણ ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લાગ્યો છે. મેનકા ગાંધીએ સુલ્તાનપુરમાં આયોજિત કરવામાં આવેલી એક રેલીમાં મુસ્લિમ સમુદાયને સંબોધિત કરતા કહ્યું હતું કે ચૂંટણી તો હું જીતી રહી છું, તમે પણ વોટ આપજો, નહીં તો જયારે કામ કરાવવા આવશો ત્યારે જોઈ લેજો. આ બધા નિવેદનને કારણે ચૂંટણી પંચે આખરે સખત વલણ અપનાવતા એક નિર્ધારિત સમય માટે મેનકા ગાંધીના ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ લગાવી દીધો છે.
|
અમને પણ બજરંગબલી પર વિશ્વાસ
જયારે યુપીના સીએમ યોગી આદિત્યનાથે એક રેલીને સંબોધન કરતા કહ્યું કે જો કોંગ્રેસ, સપા અને બસપાને અલી પર વિશ્વાસ છે કે તો અમને પણ બજરંગબલી પર વિશ્વાસ છે. યોગી આદિત્યનાથે આ નિવેદન માયાવતીના નિવેદન પર આપ્યું હતું જેમાં માયાવતીએ એક રેલીને સંબોધન દરમિયાન મુસલમાનોને સપા-બસપા ગઠબંધનને વોટ આપવાની માંગ કરી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
