અયોધ્યા ચુકાદા બાદ શું કાશી-મથુરા વિવાદ પહોંચશે કોર્ટ? SCએ આપ્યો આ જવાબ
અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ સૌથી મોટો સવાલ એ ઉભો થઈ રહ્યો હતો કે શું આ ચુકાદા બાદ આ રીતના ધાર્મિક મામલાની કોર્ટમાં લાઈન લાગી જશે.
અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ સૌથી મોટો સવાલ એ ઉભો થઈ રહ્યો હતો કે શું આ ચુકાદા બાદ આ રીતના ધાર્મિક મામલાની કોર્ટમાં લાઈન લાગી જશે. લોકોના મનમાં એ સવાલ હતો કે શું પ્રાર્થના સ્થળ માટે કોર્ટમાં અરજીઓની લાંબી લાઈન લાગશે. પરંતુ આ સાલો પર સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદા દરમિયાન જ વિરામ લગાવી દીધુ છે. કોર્ટે ચુકાદામાં કહ્યુ છે કે ઈતિહાસમાં ઘણી ભૂલોનો ઈલાજ લોકો દ્વારા કાયદાને હાથમાં લેવાનો નથી.

આ રીતના વિવાદ માટે નથી ખુલ્લા કોર્ટના દરવાજા
રામ મંદિરના પક્ષમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યા બાદ એક જૂથ એવુ પણ હતુ જે દેશના અન્ય ભાગોમાં આ રીતના વિવાદને કોર્ટ પહોંચાડવા ઈચ્છે છે જેમાં મુખ્ય રીતે કાશી તેમજ મથુરા આવે છે જ્યાં અયોધ્યાની જેમ જ મસ્જિદ સ્થિત છે. પાંચ જજોની બેંચે હાઈકોર્ટન જજ ડીવી શર્માના મંતવ્યને બાજુએ મૂકીને કહ્યુ કે અયોધ્યા ચુકાદા બાદ આ રીતના ધાર્મિક પ્રાર્થના સ્થળ સાથે જોડાયેલ વિવાદ માટે કોર્ટના દરવાજા ખુલી નથી ગયા.

હાઈકોર્ટનો ચુકાદો
અયોધ્યા વિવાદ પર ઈલાહાબાદ હાઈકોર્ટની ત્રણ જજોની બેંચે ચુકાદો સંભળાવ્યો હતો. આ ચુકાદામાં જસ્ટીસ શર્માએ કહ્યુ હતુ કે જો ધાર્મિક સ્થળ પર પ્રાર્થના કરવાની અનુમતિ પહેલા મળેલી હતી તો આની સાથે જોડાયેલા કેસની સુનાવણી પ્રાર્થના સ્થળ એક્ટ (પ્લેસ ઑફ વર્શિપ એક્ટ) કાયદા અનુસાર જ થશે. કોર્ટના આ ચુકાદા બાદ બધા ધાર્મિક વિવાદની સુનાવણી કોર્ટે કરવી પડતી. એટલુ જ નહિ દેશની આઝાદી બાદ જેટલા પણ આ પ્રકારના વિવાદ છે તેના પર કોર્ટે સુનાવણી કરવી પડતી. પરંતુ રામ જન્મમભમિ વિવાદને આ એક્ટથી અલગ રાખવામાં આવ્યો છે.

ભવિષ્યમાં ન કરવામાં આવે છેડછાડ
કોર્ટના ચુકાદાને બાજુએ મૂકીને સુપ્રીમ કોર્ટે કહ્યુ કે કાયદા હેઠળ કોઈ પણ ધાર્મિક સ્થળનુ પરિવર્તન ન કરી શકાય. સાથે જ કોર્ટે કહ્યુ કે ભવિષ્યમાં લોકો દ્વારા જ્યાં પ્રાર્થના કરવામાં આવે ચે તે પ્રાર્થના સ્થળને સુરક્ષિત રાખવામાં આવે અને તેની સાથે છેડતી કરવામાં ન આવે. સુપ્રીમ કોર્ટની બેંચે કહ્યુ કે પ્રાર્થના સ્થળ માટે સંસદે જે કાયદો બનાવ્યો છે તેમાં ક્યાંય કહેવામાં નથી આવ્યુ કે ઈતિહાસમાં કંઈ ખોટુ થયુ છે તો તેને આધાર બનાવીને વર્તમાન સમયમાં કે પછી ભવિષ્યમાં પ્રાર્થના સ્ળ સાથે કોઈ છેડછાડ કરવામાં આવે.

ધાર્મિક સ્થળને સુરક્ષિત રાખવામાં આવે
સુપ્રીમ કોર્ટે કહ્યુ કે કાયદાનુ કામ છે બંધારણ દ્વારા અપાયેલ મૌલિક મૂલ્યોની રક્ષા કરવામાં આવે. કોર્ટે કહ્યુ કે એક્ટને એ આધારે તૈયાર કરવામાં આવ્યો છે કે ભૂતકાળમાં લોકો સાથે થયેલો અન્યાય અને તેમના જખમ પર મલમ લગાવવામાં આવી શકે અને બધા ધર્મ સમાજના લોકોને એ ભરોસો આપી શકાય કે પ્રાર્થના સ્થળ સુરક્ષિત રહેશે અને તેમનો મૂળ સ્વભાવને બદલવામાં નહિ આવે. કોર્ટે કહ્યુ કે ધાર્મિક પ્રાર્થના સ્થળ એક્ટ ભારતના બધા ધર્મોની સમાનતાના વિશ્વાસને પ્રદર્શિત કરે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
