રામલલાને મળી વિવાદિત જમીન, જાણો અયોધ્યા કેસમાં SCના ચુકાદાની 10 મોટી વાતો
વિવાદિત જમીન પર રામ મંદિરનુ નિર્માણ કેન્દ્ર સરકાર ટ્રસ્ટ બનાવીને કરશે. વળી, અયોધ્યામાં જ મસ્જિદ બનાવવા માટે સુન્ની વકફ બોર્ડને 5 એકર જમીન મળશે. આવો જાણીએ આ ઐતિહાસિક ચુકાદાની 10 મોટી વાતો...
દેશનો સૌથી જૂનો વિવાદ અયોધ્યા જમીન વિવાદમાં આજે દેશની સર્વોચ્ચ અદાલતે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે અયોધ્યા વિવાદ મામલે ચુકાદો સંભળાવીને વિવાદિત જમીન રામજન્મભૂમિ રામલલા વિરાજમાનને આપી છે. કોર્ટે પોતાના ચુકાદામાં સુન્ની બોર્ડને અલગથી 5 એકર જમીન આપવાની વાત કહી છે. વળી, સુપ્રીમ કોર્ટે નિર્મોહી અખાડાના દાવાને ફગાવી દીધો છે. ચીફ જસ્ટીસ રંજન ગોગોઈની આગેવાનીમાં બંધારણીય પીઠે ચુકાદો સંભળાવીને નિર્મોહી અખાડા અને શિયા વકફ બોર્ટના દાવાને ફગાવી દીધો છે. પાંચ જજોની બેંચે અયોધ્યા મામલે ઐતિહાસિક ચુકાદો સંભળાવીને કહ્યુ કે વિવાદિત જમીન પર રામ મંદિરનુ નિર્માણ કેન્દ્ર સરકાર ટ્રસ્ટ બનાવીને કરશે. વળી, અયોધ્યામાં જ મસ્જિદ બનાવવા માટે સુન્ની વકફ બોર્ડને 5 એકર જમીન મળશે. આવો જાણીએ આ ઐતિહાસિક ચુકાદાની 10 મોટી વાતો...

અયોધ્યા પર ઐતિહાસિક ચુકાદો
સુપ્રીમ કોર્ટે અયોધ્યા જમીન વિવાદ કેસમાં ચુકાદો સંભળાવતા કહ્યુ કે વિવાદિત જમીન રામલલ્લા વિરાજમાનને આપવામાં આવે. કોર્ટે કહ્યુ કે હિંદુઓની આ આસ્થા અવિવાદિત છે કે ભગવાન રામનુ જન્મ સ્થળ ધ્વસ્થ સંરચના છે. તેમણે કહ્યુ કે સીતા રસોઈ રામ ચબૂતરો, ભંડાર ગૃહની ઉપસ્થિતિના મળેલા પુરાવા આ તથ્યનો દાવો રજૂ કરે છે.

કેન્દ્ર સરકાર બનાવશે ટ્રસ્ટ
સુપ્રીમ કોર્ટે કહ્યુ કે રામલલાના જમીન પર કેન્દ્ર સરકાર ટ્રસ્ટ બનાવીને મંદિરનુ નિર્માણ કરશે.સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને મંદિર નિર્માણ માટે 3 મહિનામાં ટ્રસ્ટ બનાવીને યોજના તૈયાર કરવાના નિર્દેશ આપ્યા છે. કોર્ટે કહ્યુ કે ચુકાદો આસ્થા અને વિશ્વાસ, દાવાના આધારે ન આપી શકાય. કોર્ટે કહ્યુ કે ઐતિહાસિક દસ્તાવેજ દર્શાવે છે કે હિંદુઓનો વિશ્વાસ છે કે અયોધ્યા ભગવાન રામનુ જન્મ સ્થાન છે.

મસ્જિદ માટે 5 એકર જમીન
સુપ્રીમ કોર્ટે મસ્જિદ બનાવવા માટે વૈકલ્પિક જમીન આપવાના નિર્દેશ આપ્યા. કોર્ટે સુન્ની વકફ બોર્ડને મસ્જિદ બનાવવા માટે અયોધ્યામાં 5 એકર જમીન આપવાના નિર્દેશ આપ્યા. કોર્ટે કહ્યુ કે બાબરી મસ્જિદને નુકશાન પહોંચાડવુ કાયદાની વિરુદ્ધ હતુ.

નિર્મોહી અખાડાનો દાવો ફગાવ્યો
સુપ્રીમ કોર્ટે અયોધ્યા કેસમાં ત્રીજા પક્ષ નિર્મોહી અખાડાનો દાવો ફગાવી દીધો. નિર્મોહી અખાડાનો દાવો ફગાવતા મુખ્ય ન્યાયાધીશે રંજન ગોગોઈએ કહ્યુ કે અમે 1946ના ફૈઝાબાદ કોર્ટના ચુકાદાને પડકારતી શિયા વકફ બોર્ડની સિંગલ લીવ પિટિશન ફગાવીએ છીએ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
