Ayodhya Verdict: ઐતિહાસિક ફેસલા બાદ તમામ પાંચ જજોની સુરક્ષા વધારાયી
Ayodhya Verdict: ઐતિહાસિક ફેસલા બાદ તમામ પાંચ જજોની સુરક્ષા વધારાયી
નવી દિલ્હીઃ અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોરટની પાંચ જજોની સંવૈધાનિક પીઠે પોતાનો ફેસલો સંભળાવી દીધો છે. ફેસલો સંભલાવ્યા બાદ તમામ પાંચ જજોની સુરક્ષા વધારી દેવામાં આવી છે. જજોની સુરક્ષા માટે વધારાની સુરક્ષાબળોને તહેનાત કરી દેવામાં આવ્યા છે, સાથે જ બેરિકેડિંગ અને મોબાઈલ એસ્કોર્ટની ટીમ પણ તહેનાત કરી દેવામાં આવી છે. શનિવારથી તમામ પાંચ જજોની સુરક્ષા વધારી દેવામા આવી છે. શનિવારે જ્યારે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ શરદ બોબડે, જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડ, અશોક ભૂષણ, એસ અબ્દૂલ નજીર આ મામલે પોતાનો ફેસલો સંભળાવ્યો હોય તેમની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

સુરક્ષા વધારાયી
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે તમામ માનનીય જજોની સુરક્ષા વધારી દેવામાં આવી છે. જો કે કોઈપણ જજોની કોઈપણ પ્રકારની ધમકી મળી નથી. તમામ જજોના ઘર બહાર વધારાના સુરક્ષાકર્મીઓને તહેનાતી કરી દેવામા ંઆવી છે, અહીં પર રસ્તાઓ પર બેરિકૈડિંગ લગાવી દેવામાં આવ્યા છે. અગાઉ જજોના ઘર પર હાઉસ ગાર્ડ અને સ્થિર સુરક્ષા હતી, પરંતુ આ ફેસલાને પગલે અતિરિક્ત સુરક્ષાકર્મીઓ તહેનાત કરવામાં આવ્યા છે. હવે જજોની સુરક્ષામાં એક એસ્કોર્ટ ગાડી હથિયારબંધ સુરક્ષા સાથે તહેનાત રહેશે.

કોઈ પ્રકારનો કોઈ ખતરો નથી
અન્ય એક અધિકારીએ જણાવ્યું કે માત્ર એટલા માટે સુરક્ષા વધારવામાં આવી છે જેથી કોઈ અપ્રિય ઘટનાથી નિપટી શકાય, સાવચેતીના ભાગ રૂમે અમે સુરક્ષા વધારી છે, જજોને કોઈપણ પ્રકારનો ખતરો નથી. એકાધ દશકાથી અયોધ્યા વિવાદ ચાલી રહ્યો હતો, પરંતુ શનિવારે સુપ્રીમ કોર્ટે પોતાનો ઐતિહાસિક ફેસલો સંભળાવી દીધો. કોર્ટે પોતાનો ઐતિહાસિક ફેસલો સંભળાવતા વિવાદિત સ્થળ હન્દુને આપવા કહ્યું, સાથે જ અયોધ્યામાં કોઈપણ જગ્યાએ પાંચ એકરની જમીન મુસ્લિમોને આપવા કહ્યું, જેના પર મસ્જિદ બનાવવામાં આશે.

હિન્દુઓને વિશ્વાસ
પાંચ જજોની બેંચની અધ્યક્ષતા રંજન ગોગોઈએ કરી. કોર્ટે પોતાનો ફેસલો સંભળાવતા કહ્યું કે હિન્દુઓને આ વિશ્વાસ છે કે અયોધ્યામાં જ ભગવાન રામનો જન્મ થયો હતો, જેનાથી ક્યારેય ઈનકાર ન કરી શકાય. આ જગ્યા પ્રતીકાત્મક રૂપે ભગવાન રામની છે અને તેઓ આના માલિક છે. ઉલ્લેખનીય છે કે જસ્ટિસ રંજન ગોગોઈ 17 નવેમ્બરે સુપ્રીમ કોર્ટના મુખ્ય મન્યાયાધીશના પદ પરથી રિટાયર થઈ રહ્યા છે. તેમના બાદ જસ્ટિસ શરદ અરવિંદ બોબડે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ હશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
